Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દીકરા મને જીવવું ગમતું નથી, 'ચીકુ'નું ધ્યાન રાખજે':જૂનાગઢ સિવિલમાં સારવાર માટે આવેલી મહિલાએ 7માં માળેથી પડતું મૂકી જિંદગી ટૂંકાવી, સુસાઈડ નોટ મળી આવી

    9 hours ago

    ​જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આજે 17 ઓગસ્ટે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા એક 46 વર્ષીય મહિલાએ હોસ્પિટલના સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે. મૃતક મહિલાની ઓળખ અંજનાબેન કિરીટભાઈ જેઠવા તરીકે થઈ છે. મૃતક મહિલાએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, 'દીકરા મને જીવવું ગમતું નહતું, મને માનસિક વધી ગયું હતું, ચીકુનું ધ્યાન રાખજે'.માનસિક બીમારીના ત્રાસ અને તણાવને કારણે તેમણે આ અંતિમ અને અતિ ગંભીર પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. માનસિક બીમારીની સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા ​અંજનાબેન જેઠવા લાંબા સમયથી માનસિક બીમારીથી ઘેરાયેલા હતા અને મગજની સારવાર ચાલુ હતી. આજે તેઓ માનસિક બીમારીની સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એકલા જ આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં આવ્યા બાદ તેઓ દર્દીઓની અવરજવર વચ્ચે અચાનક હોસ્પિટલની ઈમારતના સાતમા માળે પહોંચી ગયા અને નીચે ઝંપલાવી દીધું હતું. નીચે પટાંગણમાં પટકાતા જ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ મોત થયું હતું.આત્મહત્યાના આ પગલાં પહેલાં મૃતક અંજનાબેને એક અત્યંત ભાવુક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. આ સુસાઈડ નોટમાં તેમણે પોતાના પુત્રને સંબોધીને દિલની વ્યથા ઠાલવી હતી. બીજી ચીઠ્ઠીમાં સરનામું અને પોતાના પુત્રોના મોબાઈલ નંબર લખ્યા ​આ ઉપરાંત, મૃતક મહિલા પાસેથી અન્ય એક ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં તેમણે પોતાનું પૂરું સરનામું અને પોતાના પુત્રોના મોબાઈલ નંબર લખેલા હતા. જેથી કરીને તેની ઓળખ કરવામાં કોઈ વિલંબ ન થાય અને પરિવારનો સંપર્ક થઈ શકે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પરિવારજનો ભારે આઘાત, અકસ્માતે મોતનો ગુનો ચિઠ્ઠીમાંથી મળી આવેલા મોબાઈલ નંબરના આધારે પોલીસે મૃતક અંજનાબેનના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. બનાવની ખબર મળતાં જ પરિવારજનો ભારે આઘાત સાથે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે અંતિમ ચિઠ્ઠીઓ કબજે કરીને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'સાવધાન ઇન્ડિયા' ફેમ એક્ટ્રેસે ટ્રેનમાં ધડબડાટી બોલાવી:અંતરા બેનર્જીએ RPF જવાનને બ્લેડ મારી, કાચ તોડવાનો પ્રયાસ કર્યો; પોલીસે કાર્યવાહી કરી
    Next Article
    શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ:હિંમતનગર સહિત સાબરકાંઠામાં પૂજા-અર્ચના માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment