Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ 7, 13ના કેટલાક વિસ્તારોમાં 12 જૂને પાણીકાપ:ગુરુકુળ હેડવર્કસ લાઈનમાં રીપેરીંગ કરાશે, હજારો નાગરિકોને પાણી વગર ટળવળશે

    9 hours ago

    રાજકોટમાં ભરઉનાળાની આકરી ગરમી વચ્ચે સ્થાનિક નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા બે મહત્વના વોર્ડના વિસ્તારોમાં આગામી સમયમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે. મહાપાલિકા તંત્રએ જાહેરાત કર્યા મુજબ આગામી 12 જૂન,2026ને શુક્રવારના રોજ શહેરના વોર્ડ નંબર 7 (પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ)માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે હજારો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ગુરુકુળ હેડવર્કસ ખાતેથી પાણીની સપ્લાય રોકવી અનિવાર્ય મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ પાણી કાપ પાછળ ટેકનિકલ અનિવાર્યતાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુકુળ હેડવર્કસથી નીકળતી 500 એમ.એમ. એમ.એસ. ડાયાની મુખ્ય લાઈનમાં તાકીદનું રીપેરીંગ કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેઈન પાઈપલાઈનના સમારકામ માટે ગુરુકુળ હેડવર્કસ ખાતેથી પાણીની સપ્લાય રોકવી અનિવાર્ય છે. 12 જૂન શુક્રવારે દૈનિક પાણી વિતરણ નહીં થાય આ ટેકનિકલ કામગીરી શુક્રવારે સવારથી જ હાથ ધરવામાં આવનાર હોવાથી, આ હેડવર્કસ સાથે જોડાયેલા તમામ વિસ્તારોમાં તે દિવસે મનપા દ્વારા અપાતું દૈનિક પાણી વિતરણ બંધ રહેશે. તંત્ર દ્વારા આ અંગે અગાઉથી જાણ કરીને નાગરિકોને સહકાર આપવા અને પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે. વોર્ડ-7, 13ના વિસ્તારોમાં પાણી નહીં આવે આ આયોજિત પાણી કાપના કારણે સેન્ટ્રલ ઝોનના મોટા રહેણાંક વિસ્તારો પ્રભાવિત થવાના છે. વોર્ડ નં.7 (પાર્ટ)માં આવતા લોહાનગર(પાર્ટ) તથા જૈન ચાલ જેવા શ્રમિક અને મધ્યમવર્ગીય વિસ્તારોમાં શુક્રવારે પાણી નહીં આવે. બીજી તરફ, સૌથી વ્યાપક અસર વોર્ડ નં.13 (પાર્ટ)ના વિસ્તારોમાં જોવા મળશે. આ વોર્ડના મુખ્ય વિસ્તારો જેવા કે જુની તથા નવી પપૈયાવાડી, પંચશીલ સોસાયટી (પાર્ટ), રાધાકૃષ્ણ સોસાયટી (પાર્ટ), ગુણાતીતનગર, જે. ડી. પાઠક પ્લોટ, ટપુભવાન પ્લોટ, અંબાજી કડવા પ્લોટ, લોધેશ્વર અને માલવિયા નગર જેવા ભરચક રહેણાંક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. આ ઉપરાંત વિનય સોસાયટી, શિવનગર, સ્વાશ્રય સોસાયટી, રામનગર, વેદવાડી, ડાલીબાઇ આવાસ યોજના, કૃષ્ણનગર, નવલનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, ત્રિવેણી નગર અને કૈલાશનગર સહિતના વિસ્તારોમાં પણ શુક્રવારે જળસંકટ જેવી સ્થિતિ નિર્માણ પામશે. હજારો નાગરિકો પાણી વિના ટળવળશે હાલ જૂન મહિનાની કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત ઊંચો રહે છે. આવા સમયે ઘરોમાં પીવા ઉપરાંત ન્હાવા અને અન્ય સફાઈ કામો માટે પાણીનો વપરાશ બમણો થઈ જતો હોય છે. ભરઉનાળાના આ દિવસોમાં એક દિવસ માટે પણ પાણી ન મળવું એ સામાન્ય પરિવારો માટે ખૂબ મુશ્કેલ સાબિત થઈ શકે છે. ખાસ કરીને આ વિસ્તારોમાં આવેલી મધ્યમવર્ગીય સોસાયટીઓ અને આવાસ યોજનાઓમાં રહેતા લોકો પાસે પાણી સંગ્રહ કરવાની મર્યાદિત ક્ષમતા હોય છે, જેના કારણે શુક્રવારનો આખો દિવસ અને શનિવારની સવાર સુધી લોકોએ ભારે પરેશાની વેઠવી પડશે. મહાનગરપાલિકાના એડી.સીટી એન્જીનીયરે જણાવ્યું હતું કે, લાઈનમાં મોટું પંચર અથવા ખામી સર્જાવાના કારણે આ રીપેરીંગ વહેલી તકે પૂરું કરવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં મોટો બગાડ અટકાવી શકાય. તેમજ દાવો કરવામાં આવ્યો છે કે શુક્રવારે જ સમારકામ પૂર્ણ કરી લેવામાં આવશે જેથી શનિવારથી વિતરણ વ્યવસ્થા પુનઃ પૂર્વવત થઈ જશે. જો કે, નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુરુવારે જ જરૂરી માત્રામાં પાણીનો સંગ્રહ કરી લેવા અને શુક્રવારે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ તેમણે કર્યો છે. તેમજ રિપેરિંગની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે અલગ-અલગ ટીમોને કામે લગાડવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હોવાનું જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કાયદો-વ્યવસ્થા જાળવવા કલેક્ટર તંત્ર એક્શનમાં:ગાંધીનગરમાં આગામી 13 દિવસ સુધી સરઘસો, દેખાવો અને હથિયારો પર સંપૂર્ણ પ્રતિબંધ
    Next Article
    Editor's View : TMCનો કૉંગ્રેસમાં વિલય?:મમતાના ત્રણ સંકેતથી અટકળો તેજ, સોનિયાનો માસ્ટર સ્ટ્રોક, પ્રાદેશિક પક્ષોની પાંખો કપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment