Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાયદો-વ્યવસ્થા જાળવવા કલેક્ટર તંત્ર એક્શનમાં:ગાંધીનગરમાં આગામી 13 દિવસ સુધી સરઘસો, દેખાવો અને હથિયારો પર સંપૂર્ણ પ્રતિબંધ

    10 hours ago

    ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિપુલ ઠક્કર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધાત્મક આદેશો અમલી કરવામાં આવ્યા છે. જે મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં આગામી 22 જૂન સુધી સરઘસો, દેખાવો અને હથિયારો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તંત્રએ કમર કસી ગાંધીનગરમાં સચિવાલય, વિધાનસભા અને મંત્રીઓના નિવાસસ્થાનો જેવા સંવેદનશીલ સરકારી સ્થળો આવેલા હોવાથી અવાર-નવાર વિવિધ મંડળો પોતાની માંગણીઓ સાથે અહીં આંદોલન અને પ્રતિક ઉપવાસ કરતા હોય છે. સેક્ટર-6 મેદાન ખાતે પણ રોજબરોજ ચાલી રહેલા આવા જ ઉપવાસ આંદોલનોને ધ્યાને રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે વહીવટીતંત્રએ કમર કસી છે. ચારથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ વહીવટીતંત્ર દ્વારા આ સમયગાળા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકી સાથે કોઈ પણ જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના નિર્ધારિત વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની મંડળી બનાવવા, રેલીઓ કાઢવા કે સરઘસ યોજવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવાઈ છે. જોકે સેક્ટર-6 માં પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નિયત ઉપવાસી ક્ષેત્ર, મહાત્મા મંદિર, ટાઉન હોલ, સ્ટાફ ટ્રેનિંગ કોલેજ અને સર્કિટ હાઉસ જેવા વિસ્તારોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉશ્કેરણીજનક ભાષણો કે ચિત્રો-નિશાનીઓ પ્રદર્શિત કરવા પર રોક ઉપરાંત જાહેરનામા અનુસાર કોઈપણ વ્યક્તિ તલવાર, ધોકા, બંદૂક, છરા, સળગતી મશાલ કે શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા ઘાતક હથિયારો સાથે હરીફરી શકશે નહીં. આ સાથે જ પથ્થરમારો કરવા માટેની સામગ્રી એકઠી કરવા, સ્ફોટક પદાર્થો સાથે રાખવા, મનુષ્યોની આકૃતિ કે પૂતળા પ્રદર્શિત કરવા પર પણ પ્રતિબંધ છે. જાહેરમાં બીભત્સ સૂત્રોચ્ચાર કરવા, અશ્લીલ ગીતો ગાવા અને રાજ્યની સુરક્ષા જોખમાય કે અશાંતિ ફેલાય તેવા ઉશ્કેરણીજનક ભાષણો આપવા કે ચિત્રો-નિશાનીઓ પ્રદર્શિત કરવા પર કડક રોક લગાવવામાં આવી છે. જાહેરનામાંનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી આ પ્રતિબંધાત્મક હુકમ સામાન્ય જનજીવનને પ્રભાવિત ન કરે તે માટે કેટલીક આવશ્યક બાબતોમાં છૂટછાટ આપવામાં આવી છે. જેમકે ધાર્મિક વિધિઓ, મરણોત્તર ક્રિયાઓ, લગ્નના વરઘોડા તેમજ સ્મશાન યાત્રાને આ નિયમો લાગુ પડશે નહીં. આ ઉપરાંત ફરજ પરના સરકારી કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવા સરકારી વાહનોને આમાંથી મુક્તિ અપાઈ છે. પરંતુ જાહેરનામાંનો ભંગ કરનાર સામે કલમ-135 હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં GST ઇન્સ્પેક્ટરના ઘરમાંથી ₹1.14 લાખની ચોરી:પરિવાર વતનમાં ગયો હતો; તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવ્યો; પોલીસતપાસ શરૂ
    Next Article
    વોર્ડ 7, 13ના કેટલાક વિસ્તારોમાં 12 જૂને પાણીકાપ:ગુરુકુળ હેડવર્કસ લાઈનમાં રીપેરીંગ કરાશે, હજારો નાગરિકોને પાણી વગર ટળવળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment