Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકો ત્રાહિમામ:નિરોણામાં વીજ ધાંધિયા: 7 દિવસમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

    2 सप्ताह पहले

    નખત્રાણા તાલુકાના ‘પાવર પટ્ટી’ વિસ્તારના મુખ્ય મથક અને 10,000 ની વસ્તી ધરાવતા નિરોણા ગામમાં વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમીમાં કલાકો સુધી વીજપુરવઠો ખોરવાતો હોવાથી ગામની 10 આંગણવાડી, 10 શાળાઓ, ડેરી, પોલીસ સ્ટેશન, પેટ્રોલ પંપ, બેંકો અને વિવિધ કચેરીઓના કામકાજને માઠી અસર પહોંચી રહી છે. લાંબા સમયથી પીજીવીસીએલ તંત્ર સમસ્યા ઉકેલવામાં વામણું પુરવાર થતાં આખરે પંચાયત દ્વારા વીજતંત્રને અલ્ટીમેટમ આપી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નિરોણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નરોત્તમ આહિરે વીજ વિભાગને ચોથો પત્ર લખીને રોષ ઠાલવ્યો છે કે, અગાઉ ત્રણ વખત લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. ગામમાં વિલેજ હેલ્પરની નિમણૂક, વીજ લાઈન પર નડતરરૂપ ઝાડીઓનું કટિંગ અને જૂના વાયરો બદલીને નવા કેબલ નાખવાની કામગીરી સદંતર ખોરંભે ચડી છે. ચોમાસા પૂર્વે આગામી 7 દિવસમાં જો આ ત્રણેય સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગ્રામજનો અને ખેડૂતોને સાથે રાખીને વીજ કચેરી સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સ્વતંત્ર ફીડર ક્યારે મળશે? નિરોણા સ્થિત 66 KV સબ-સ્ટેશનમાં જ્યોતિગ્રામ ફીડર અંતર્ગત આસપાસના નાના-મોટા 7 ગામો જોડાયેલા છે. ખામીયુક્ત સિસ્ટમના કારણે જો કોઈ એક ગામમાં ફોલ્ટ સર્જાય તો તમામ સાતેય ગામોનો વીજપુરવઠો કાપવો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે લાંબા સમયથી નિરોણાને ‘સ્વતંત્ર વીજ ફીડર’ ફાળવવાની માંગ ઊઠી છે. બે સરપંચની ટર્મ પૂરી થઈ ગઈ છતાં આ પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. નેતાઓને માત્ર સસ્તી પ્રસિદ્ધિમાં રસ છે: નાગરિકો જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક ધરાવતા નિરોણામાં રાજકીય ઈચ્છાશક્તિનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. પંથકના સક્રિય અને નિષ્ઠાવાન ગ્રામજનોમાં ચર્ચા છે કે, રાજકીય પ્રતિનિધિઓ હોય કે સ્થાનિક હોદ્દેદારો, તેઓ માત્ર સરકારી વિભાગોને પત્રો લખીને અને અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ કરાવીને ‘સસ્તી લોકપ્રિયતા’ જ મેળવે છે. જમીની સ્તરે પ્રજાની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા માટેનું કોઈ જનૂન કે લડાયક મિજાજ નેતાઓમાં જોવા મળતો નથી.
    Click here to Read More
    Previous Article
    નવી કારોબારીની રચના:અંજારમાં શ્રીમાળી સોની સમાજે દાતાઓના સન્માન કર્યા
    Next Article
    અકસ્માત:નખત્રાણાના ઉગેડી-વિગોડી હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત: 3 લોકોને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment