Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારે ચૈત્રી નવરાત્રિ:6:54 વાગ્યા સુધી અમાસ તિથિ ત્યારબાદ આખો દિવસ અને રાત્રિ એકમ તિથિ

    10 hours ago

    પંચાંગ પ્રમાણે ફાગણ વદ અમાસને ગુરુવાર તા.19 માર્ચના દિવસે સવારના 6:54 વાગ્યા સુધી અમાસ તિથિ છે ત્યારબાદ આખો દિવસ અને રાત્રિ એકમ તિથિ છે, શુક્રવારે બીજ તિથિ છે. તેથી નિયમ પ્રમાણે ગુરુવારે આખો દિવસ એકમ તિથિ હોવાથી આ વર્ષે તા.19 માર્ચને ગુરુવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થશે જ્યારે તા.27 માર્ચને શુક્રવારના દિવસે પૂર્ણાહુતિ થશે. વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે તેમાં ચૈત્ર નવરાત્રિ, આસો નવરાત્રિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુરુવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ માતાજી પાલખી ઉપર સવાર થઈને પધારશે. જેથી આરોગ્યનો ખ્યાલ રાખવો અને મોંઘવારીમાં વધારો થાય તેવું દર્શાવે છે. જ્યારે શુક્રવારે નવરાત્રિ પૂરા થતા હોવાથી નવદુર્ગા માતાજી હાથી ઉપર વિદાય લેશે. જે વરસાદ સારો પડે અને ધાન્ય સારું પાકે તેવું દર્શાવે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન રામચરિતમાનસના પાઠ કરવા, સુંદરકાંડના પાઠ કરવા, હનુમાન ચાલીસાના પાઠ કરવા પણ ઉત્તમ ગણાય છે. ઉપરાંત આ દિવસો દરમિયાન કુળદેવીને પૂજા, જપ કરવા, ગુરુ મંત્રની માળા કરવી, નવર્ણ મંત્રના જપ કરવા પણ ઉત્તમ ફળ આપનાર ગણાય છે. ઘટ સ્થાપનના મુહૂર્ત શુભ 6:53થી 8:24 ચલ 11:24થી 12:55 લાભ 11:55થી 2:45 અમૃત બપોરે 2:25થી 3:55 શુભ સાંજે 5:26થી 6:56 બપોરે અભિજિત મુહૂર્ત 12:31થી 1:19 વિશેષ દિવસો 23 માર્ચ સોમવારે શ્રીપંચમી છે. આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા, શ્રીયંત્રની પૂજા કરવી ઉત્તમ રહેશે. 26 માર્ચને ગુરુવારે દુર્ગાષ્ટમી છે. આ દિવસે કુળદેવીની પૂજા, માતા નવદુર્ગાની પૂજા કરવી ઉત્તમ ફળ આપનાર બનશે. 26 માર્ચ ગુરુવારના રોજ રામનવમી છે. નોરતા પ્રમાણે ભોગ ધરાવી શકાય ગુરુવારે પહેલું નોરતું : શૈલપુત્રીની પૂજા, ખીર તથા પૂરીનો ભોગ લગાવી શકાય. શુક્રવારે બીજું નોરતું : બ્રહ્મચારિણી માતાની પૂજા, દૂધના પેંડાની મીઠાઈ ધરવી. શનિવારે ત્રીજું નોરતું : ચંદ્રઘંટાની પૂજા, શ્રીફળ તેમાંથી બનાવેલી વાનગી ધરવી. રવિવારે ચોથું નોરતું : કુષ્માંડા માતાજીની આરાધના, સાકરવાળું મીઠું દૂધ ધરવું. સોમવારે પાંચમું નોરતું : સ્કંદ માતાની પૂજા, તલની વાનગી ધરાવવી. મંગળવારે છઠ્ઠું નોરતું : કાત્યાયની માતાજીની પૂજા, ખીર અને પૂરી, મીઠું દૂધ ધરવું બુધવારે સાતમું નોરતું : કાલરાત્રિની આરાધના કરવી, સાકરની પ્રસાદી પરવી. ગુરુવારે આઠમું નોરતું : મહાગૌરીની પૂજા કરી ખીર તથા પુરીનો ભોગ લગાવી શકાય. શુક્રવારે નવમું નોરતું : સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવી, પંચામૃતનો ભોગ લગાવવો.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:હોટેલ પર ચા પીવા ગયેલા ઠેકેદારના થેલામાંથી રૂ.6.60 લાખની ઉઠાંતરી
    Next Article
    નિર્ણય‎:મનપાના મહત્ત્વના પ્રોજેક્ટ સાઈટ પર સીસીટીવી ફરજિયાત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment