Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવારથી વિમુખ થયેલા માટે ભાવનગરનું ‘માનવ પરિવાર ટ્રસ્ટ’ બન્યું ઘર:650થી વધુ મનોદિવ્યાં ભાઈ-બહેનોની સેવા; આ લોકોને પરિવાર જ ઓળખવાની ના પાડી દે ત્યારે બહું દુઃખ થાયઃ કર્મચારી

    14 hours ago

    ભાવનગરથી અંદાજિત 50 કિલોમીટર દૂર પાલીતાણા તાલુકાના કુંભણ ગામ નજીક છેલ્લા 13 વર્ષથી ‘માનવ પરિવાર ટ્રસ્ટ’ દ્વારા સામાજિક સેવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિને તેનો જ પરિવાર રસ્તે રઝળવા છોડી દે છે, તેવા લોકોને આ સંસ્થા આશરો આપી પરિવારની હુફ પૂરી પાડે છે. હાલમાં ‘માનવ પરિવાર ટ્રસ્ટ’માં રાજ્યભરમાંથી માનસિક બિમાર, સમાજથી તરછોડાયેલા અને રસ્તે રઝળતા 536 ભાઈઓ અને 114 બહેનોને લાવી સંભાણ લેવામાં આવી રહી છે. તેઓની માનસિક સ્થિતી સુધારા પર આવતા તેઓનું સમાજ પૂનઃસ્થાપન કરવામાં આવે છે. આ સંસ્થામાંથી ઘણાં લોકો સામાન્ય બનીને પોતાના પરિવાર સાથે આજે જિંગદી જીવી રહ્યાં છે. રાજેશ વઘાસિયા સુરતથી સંસ્થાને બધુ પુરું પાડે છેઃ સંચાલક આ અંગે માનવ પરિવાર ટ્રસ્ટના સંચાલક ભરત નાકરાણી જણાવ્યું હતું કે, આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા શરૂ કરવાનો વિચાર રાજેશ વઘાસિયા (નોંધણવદરના)ને આવ્યો અને 26 જાન્યુઆરી, 2013થી શરૂ કરી, જે આજ પણ કાર્યરત છે. રાજેશ વઘાસિયા સુરત સ્થાયી થયેલા છે અને સુરતથી અમારી સંસ્થાને જે કાંઈ જરૂર પડે છે, એ બધું પૂરું પાડે છે. આ ટ્રસ્ટમાં 8 ટ્રસ્ટીઓ છે, જેમાં મેઈન ટ્રસ્ટી અને મેઈન ટ્રસ્ટના દાતા રાજેશ વઘાસિયા છે. સંસ્થા પહેલા સોનગઢની બાજુમાં એકલિયા ગામે ભાડાની જગ્યામાં હતી. ત્યાર પછી કુંભણ ચોકડી પાસે ઘોળીઢાળથી અંદર 5 વીઘા જગ્યામાં બાંધકામ કરી સંસ્થાને લાવવામાં આવી. આ જગ્યા એક ખેડૂત પાસેથી લીધી અને બિનખેતી કરાવીને અહીંયા પાક્કું બાંધકામ કર્યું. ‘બહેનો માટે પણ અલગ વ્યવસ્થા કરાઈ, 1 હજારની રહેવાની ક્ષમતાં’ સંસ્થા શરૂ કરી ત્યારે ખાલી 10-12 મનોદિવ્યાંગ પુરુષો જ હતાં. પછી બહેનો માટે પણ અલગથી બિલ્ડિંગ બનાવાયુ. બહેનોની કાળજી લેવા માટે ગૃહમાતા અને બહેનોના સ્ટાફની ભરતી કરી. અત્યારે સંસ્થામાં 114 મનોદિવ્યાંગ બહેનો અને 536 ભાઈઓ છે. દેશભરમાં બિનવારસી રોડે રખડતા-ભટકતા દિવ્યાંગોને સંસ્થામાં આશરો આપવામાં આવી રહ્યો છે. સંસ્થાના સંકુલમાં 1 હજાર ભાઈઓ-બહેનોનો સમાવેશ થઈ શકે એટલી વ્યવસ્થા છે. આવનારા દિવસોમાં હજી લોકોનો સાથ-સહકાર મળશે તો અમે આવા મનોદિવ્યાંગ, જે બિનવારસી રોડે રખડતા ભટકતા હોય એમને સંસ્થામાં લાવી સેવા કરવાની ઈચ્છા છે, ભલે સંસ્થાને હજુ ડેવલપ કરવી પડે. ‘સંસ્થામાં દિવસનો એકથી દોઢ લાખનો ખર્ચ, સો. મીડિયા પણ સહારો’ વધુમાં ભરત નાકરાણીએ ઉમેર્યું કે, વિવિધ સમાજના લોકો દ્વારા અમુક કોઈ તિથિ નિમિત્તે, કોઈ જન્મદિવસ નિમિત્તે થોડો-થોડો સહકાર મળે છે. આ સાથે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરીએ છીએ. 'માનવ પરિવાર ટ્રસ્ટ'નું બપોરનું અને સાંજનું લાઈવ ભોજન બતાવીએ છીએ, એટલે લોકોનો થોડો-થોડો રિસ્પોન્સ હવે મળે રહ્યો છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે લોકો જોઈને સંસ્થા ક્યાં આવેલી છે? શું કાર્ય કરે છે? એટલે અમે લોકોને ફોલો કરતા હોઈએ કે ભાઈ આવું-આવું સંસ્થા કામ કરે છે, એટલે થોડી-થોડી મદદ આવે છે. બધા તહેવારો આ લોકો સાથે આ ટ્રસ્ટ ઉજવી રહ્યું છેઃ રોહિત ધોળિયા વધુમાં ટ્રસ્ટના કર્મચારી રોહિત ધોળિયાએ જણાવ્યું કે, આ ટ્રસ્ટ સાથે હું છેલ્લા બે વર્ષથી સંકળાયેલો છું. અહીં મારી જવાબદારી તમામ ભાઈઓ અને બહેનોને અલગ-અલગ રમત રમાડવી, અલગ-અલગ એક્ટિવિટીઝ કરાવવી કે જેથી તેઓને એવો અહેસાસ થાય કે મારું પણ આ દુનિયામાં કોઈ છે. ગેમ રમાડતી વખતે એક વિશેષ કાળજી એ રહે છે કે, મનોદિવ્યાંગો નજીકથી બેસીને અન્ય કોઈને ઇજા ન પહોંચે તેમ ગેમ રમી શકે. જેમ કે સંગીત ખુરશી, બોલ પાસ કરવાની ગેમ, કેરમ, કલર સિલેક્શન કે કલર ઓળખવાની ગેમ જેવી એક્ટિવિટીઝ કરવામાં આવી રહી છે.0 ‘દર અઠવાડિયે ડોક્ટર્સની વિઝિટ, તહેવારોની પણ ઉજવણી’ અન્ય પ્રવૃત્તિઓમાં સવારે વોકિંગ કરાવવું, એને કપડાં કઈ રીતે પહેરવા એવી સમજ આપવી. આ સાથે જીવન જીવવાની રીતો શીખવવી એના પર વધારે ધ્યાન આપવામાં આવે છે. સાથે દરેક તહેવારો દરમિયાન જેમ એક પરિવાર પોતાના ઘરે તહેવાર ઉજવતો હોય, તેવી જ રીતે બધા ભાઈઓ અને બહેનોની વચ્ચે અમારો 26 વ્યક્તિનો સ્ટાફ ઉત્સવ મનાવે છે. અહીં દર અઠવાડિયે ડોક્ટર્સની વિઝિટ હોય છે. દરેકને સ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. અમારા ડોક્ટર્સના જણાવ્યા મુજબ, કોઈને હોસ્પિટલાઈઝ કરવાની જરૂર હોય, તો એને નજીકની હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવે છે. ‘આ લોકો પાસેથી ખરેખર કંઈક ઉર્જા મળે છે’ વધુમાં રોહિત ધોળિયાએ કહ્યું કે, હાલ જ અમારો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો. છેલ્લા બે વર્ષથી રાજકોટથી એક ગોપાલદાદા આ ટ્રસ્ટમાં હતા. દાદાને રેસ્ક્યૂ કરવામાં આવ્યા એ સમયે એમની હાલત ખૂબ જ નાજુક હતી. પોતે સમજી પણ શકતા નહોતા. આ ટ્રસ્ટમાં એમને આશરો મળ્યા બાદ ધીરે-ધીરે તમામ સમજણ થવા લાગી. એમની દીકરીએ દાદાને વીડિયોમાં જમતા જોયા અને તરત જ આ ટ્રસ્ટનો સંપર્ક કર્યો. જે બાદ દાદાનું પરિવાર સાથે મિલન કરાવ્યું. ‘દુખ ત્યારે થાય, જ્યારે તેઓના પરિવારજનો જ તેઓને ઓળખવાનો ઈન્કાર કરે’ માનસિક રીતે પીડાયેલ વ્યક્તિ જ્યારે મંદબુદ્ધિ અથવા મનોદિવ્યાંગ હોય, તો એને સૌથી વધારે જરૂરિયાત એના ઘર, પરિવારની હોય છે. એમની વ્યવસ્થિત ત્રણ ટાઈમ ભોજન, પૂરતી ઊંઘ અને પ્રેમ-ભાવ આપવાથી એમના જીવનમાં ઘણા સુધારા જોવા મળતા હોય. એની સાથે હું તમને આ ટ્રસ્ટની વાત કરું તો, જ્યારે કોઈ મનોદિવ્યાંગ આશરો મેળવ્યા બાદ મહિને, બે મહિને અથવા છ મહિને એની સ્થિતિ ધીમે-ધીમે સ્ટેબલ થાય, એને એના ઘર, કુટુંબ અને પરિવારની યાદ આવે, એના સગા-વહાલાના નંબર એને યાદ આવી જાય ત્યારે હું જ એમને કોલ ઉપર વાત કરાવતો હોઉં છું. પણ દુર્ભાગ્યવશ ત્યારે ખૂબ પીડા થાય કે જ્યારે એ પીડિત વ્યક્તિને એનો પરિવાર ઓળખવાની પણ ના પાડે છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી બોલ્યા, ‘ગુજરાતના CM નરેન્દ્રભાઈ પટેલ’:વિધાનસભામાં રીસેસ પછી ધારાસભ્યોએ બગાસા ખાધા, વેકરિયાનો સંકેત, ‘પિક્ચર અભી બાકી હૈ’
    Next Article
    શું થલાપતિ વિજય NDAમાં જોડાવાના છે?:છૂટાછેડા કેસ-CBI તપાસનું દબાણ, શું સ્ટાલિન વિરુદ્ધ ભાજપનો સાથ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment