Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધાનું કમકમાટીભર્યુ મોત:પાલનપુરમાં બંધ મકાનમાંથી 65 વર્ષીય વૃદ્ધાની લાશ મળી

    3 days ago

    પાલનપુરની હનુમાન શેરીમાં એકલા રહેતા 65 વર્ષીય મહિલાની લાશ ઘરમાંથી મળી આવી હતી. મકાનમાંથી દુર્ગંધ આવતાં પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘરમાં પ્રવેશ કરતાં મહિલાની સડી ગયેલી લાશ મળી આવી હતી. પાલનપુરની હનુમાન શેરીમાં એકલવાયા જીવન જીવતા 65 વર્ષીય માયાબેન હરગોવનદાસ પંચાલ પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સોમવારે બપોરે તેમના મકાનમાંથી દુર્ગંધ આવતાં સ્થાનિક લોકોએ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બંધ મકાન પોલીસે ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. અંદર માયાબેનની લાશ સડી ગયેલી અને ફૂલી ગયેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને એક બાજુનો રસ્તો પણ બ્લોક કરવો પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી, છતાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. માયાબેનની પિયર મગરવાડા ગામમાં હતું. અને છેલ્લા ઘણા સમયથી પાલનપુરમાં પોતાના મકાનમાં એકલા રહેતા હતા. વર્ષો પહેલાં તેમના પતિ અને પુત્રનું પણ અવસાન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ફરાર આરોપી ઝડપાયો:10 વર્ષથી ફરાર આજીવન કેદનો આરોપી ઝડપાયો
    Next Article
    લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો:પાલનપુરમાં 5 દિવસમાં લીંબુના ભાવ 900 વધ્યા,મણનો ભાવ રૂ.4,400 સુધી પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment