Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિનમંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠાનો 63મો વાર્ષિકોત્સવ:નેમિનાથ, આદિનાથ, ચંદ્રપ્રભુ ભગવાનની મૂર્તિઓનો સ્થાપના દિવસ ઉજવાયો

    16 hours ago

    બોટાદના શ્રી શ્રેયાંસનાથ દિગંબર જિનમંદિરમાં ભગવાન નેમિનાથ, આદિનાથ અને ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠાનો 63મો વાર્ષિકોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. જિનમંદિરમાં વિક્રમ સંવત 2020ના ચૈત્ર સુદ આઠમ, એટલે કે 1 એપ્રિલ 1963, સોમવારના રોજ પૂજ્ય ગુરુદેવ કાનજીસ્વામીના હસ્તે મંગલ વેદી પ્રતિષ્ઠા કરાઈ હતી. મંદિરના ઉપરના ગર્ભગૃહમાં ગિરનારથી શ્રી નેમિનાથ ભગવાન, કૈલાશવાસી શ્રી આદિનાથ ભગવાન અને લલિત કૂટ પર બિરાજમાન શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. વાર્ષિકોત્સવની ઉજવણીના ભાગરૂપે, પ્રભાતે સુવર્ણ-રજત કળશથી મંગલ અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિનેન્દ્ર પૂજા, આરતી અને સ્તુતિ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાંજે શ્રદ્ધાળુઓ દ્વારા ગરબા રમી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપ્તિએ મોક્ષફળ શ્રીફળની પ્રભાવના અને મીઠાઈના બોક્સનું વિતરણ કરાયું. જિનમંદિરને આ પ્રસંગે વિશેષ સુશોભનથી શણગારવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બોટાદ વોર્ડ 4: મતદારોની વિકાસ અને સમસ્યા ઉકેલની માંગ:બાકી કામોને પ્રાધાન્ય આપનાર ઉમેદવારને જ મત આવવા રહીશોની ચિમકી
    Next Article
    ભરૂચમાં વડીલોના ઘર ખાતે સંગીત કાર્યક્રમ:મહેમાનો અને ટ્રસ્ટના સભ્યોએ સંગીતનો આનંદ માણ્યો, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment