Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથના ગજવેશના અલૌકિક દર્શન:દૂધ-દહીં, મધ, ખાંડ, ઘીના પંચામૃતથી જળાભિષેક કરાયો; સાંજે 4 વાગ્યે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે મોસાળમાં જશે

    23 hours ago

    અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે, તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે. આજે 29 જૂનને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથીજીની ધામધુમથી જળયાત્રા યોજાઈ. સૌપ્રથમ 12 હાથી અને બાદમાં જય રણછોડના નાદ સાથે બળદગાડા મંદિર પ્રાંગણની બહાર નીકળી યાત્રાની શરૂઆત થઈ હતી. બેન્ડ-વાજા, ઢોલ-નગારા અને ગોવિંદ બોલો, ગોપાલ બોલો…જય જગન્નાથના નાદ સાથે યાત્રા સાબરમતી નદીના કિનારે પહોંચી હતી. સાબરમતી નદીના ભૂદરના આરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભર્યું. આ જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો. સાથે જ દૂધ, દહીં, મધ, ખાંડ, ઘી સહિતના પંચામૃતનો પણ જળાભિષેક કરાયો. જે બાદ ભગવાને અલૌકિક ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ ક્યું હતું, જેના દર્શન કરી ભક્તિ ભાવવિભોર થયાં હતાં. સાંજે 4 વાગ્યે ભગવાન વાજતે-ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં (પોતાના મોસાળમાં) પહોંચશે, જ્યાં મામાના ઘરે તેમનું ભવ્ય સ્વાગત કરાશે. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શન કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    ચંપત રાયને જેલ ભેગા કરો:અયોધ્યાના વકીલોએ કહ્યું- અમે આરોપીનો કેસ નહીં લડીએ, પોલીસે બેંકમાં ખાતાની તપાસ કરી; સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    Next Article
    કંપનીમાંથી કાઢી મૂકાતા ડિપાર્ટમેન્ટ હેડ પર 5 શખસ તૂટી પડ્યા:નવસારીની કંપનીમાં નાઈટ શિફ્ટમાં સૂઈ જતા રિપોર્ટ કરનારને ઢોર માર માર્યો, વાઈરલ વીડિયોના આધારે પોલીસની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment