Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:આજવાના 62 નહિ હવે 20 દરવાજા

    9 hours ago

    શહેરના પૂર્વ-દક્ષિણના 10 લાખ લોકોને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં મોટો સુધારો કરાઈ રહ્યો છે. 2024ના પૂર બાદ સરોવરને 206 ફૂટ સુધી ઝડપથી ખાલી કરી શકાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા જૂના 62 દરવાજા નજીક 45 કરોડના ખર્ચે નવા 20 આધુનિક દરવાજા બનાવાઈ રહ્યા છે. જે બન્યા બાદ જૂના 62 દરવાજા કાઢી નખાશે. ડિસેમ્બર-2025થી શરૂ થયેલું કામ 50 ટકા જેટલું કામ પૂરું થયું છે, જેમાં 10 પિલર તૈયાર થયા છે. નવા ગેટમાં ઉચ્ચ ગુણવત્તાવાળા માઈલ્ડ સ્ટીલનો ઉપયોગ કરાયો છે. આ દરવાજા જરૂર મુજબ ખૂલી અને બંધ થઈ શકશે. સિંચાઇના કાર્યપાલક ઇજનેર રાહુલ ચૌહાણે કહ્યું કે, બીએન નવલાવાલાની કમિટીના સૂચન મુજબ કામ હાથ પર લીધું છે. આ દરવાજાની ઉપરથી વાહન માટે રોડ પણ બનાવાશે. નવા દરવાજા કેવી રીતે કામ કરશે? 1 જૂની સિસ્ટમની મર્યાદા : 62 દરવાજા ખોલવા-બંધ કરવા ચોક્કસ મિકેનિઝમ ન હતું. જેથી પાણી 211 ફૂટથી વધુ ખાલી કરવું હોય તો થઈ શકતું ન હતું. 2 નવી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ : 20 નવા દરવાજા પર અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. 3 ડ્યુઅલ ઈલેક્ટ્રોનિક યુનિટ: દરેક દરવાજા પર 2 ઈલેક્ટ્રોનિક યુનિટ લગાવાશે. 4 સરળ સંચાલન: આ યુનિટ્સની મદદથી દરેક ગેટને જરૂર મુજબ સરળતાથી ખોલી અને બંધ કરી શકાશે, જેથી પૂર સમયે પાણીનું સ્તર ઝડપથી નિયંત્રિત કરી શકાશે. દરવાજા બનાવવાથી પાણી આવતાં પૂર્વે સરોવરનું પાણી ખાલી કરી શકાશે ઈતિહાસ
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂર- ગુમ થયેલા લોકોનો આંકડો 2400 પહોંચ્યો:320 ભારતીય, ઈન્ફોસિસ પબ્લિક સર્વિસીસના CEOની કોઈ ભાળ નહીં; અત્યાર સુધી 586 મોત, 4451નું રેસ્ક્યૂ થયું
    Next Article
    બાળકીનો ટેસ્ટ કરાયા બાદ સેમ્પલ પૂણે મોકલાયાં:દશરથમાં 6 વર્ષીય બાળકીને ચાંદીપુરાનાં શંકાસ્પદ લક્ષણ દેખાતાં SSGમાં ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment