Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધે સિરામિક ઉદ્યોગની કમર ભાંગી:મોરબીમાં 600 ફેક્ટરીને તાળાં વાગ્યાં, 4 લાખ શ્રમિકોએ વતનની વાટ પકડી

    2 weeks ago

    અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની જ્વાળાઓએ વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીને લપેટમાં લીધું છે. પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય ચેઈન ખોરવાતા મોરબીના ઉદ્યોગની જીવાદોરી સમાન પ્રોપેન અને નેચરલ ગેસનો પુરવઠો સાવ તળિયે બેસી ગયો છે. પરિણામે, ધમધમતા કારખાનાઓ હવે નિર્જીવ શરીર જેવા ભાસી રહ્યા છે. અત્યાર સુધીમાં 600થી વધુ ફેક્ટરીઓ ગેસના અભાવે બંધ થઈ ગઈ છે, જેના કારણે લાખો શ્રમિકો બેરોજગાર બન્યા છે. વધતા ખર્ચ સામે સામૂહિક વેકેશનનો નિર્ણય, સ્થિતિ સામાન્ય થયા બાદ નવા ભાવ ​ગેસ સપ્લાય ક્યારે રાબેતા મુજબ થશે તેની કોઈ ગેરંટી નથી. જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે ગેસના નવા ભાવ અને ઉત્પાદન ખર્ચના આધારે નવા ભાવ જાહેર કરી એકસૂત્રતા જાળવવાનો અમારો પ્રયાસ રહેશે. > મનોજ એરવાડિયા, પ્રમુખ, સિરામિક એસોસિએશન રેલવે સ્ટેશને ભીડ, લેબર ક્વાર્ટર્સ ખાલી થયા ​ફેક્ટરીઓ બંધ થતા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવેલા 4 લાખથી વધુ શ્રમિકોની હાલત દયનીય બની છે. છેલ્લા બે અઠવાડિયાથી મોરબી, વાંકાનેર અને રાજકોટ રેલવે સ્ટેશનો પર વતન જવા માંગતા શ્રમિકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વધતા ખર્ચને પહોંચી ન વળતા શ્રમિકો વતન જવા મજબૂર બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગુરુ-શિષ્યના સંબંધને શર્મસાર કરતો કિસ્સો:ધો.10માં જે શિક્ષિકા પાસે ભણ્યો તેનો 12 વર્ષ પછી સંપર્ક કરી લગ્ન કરવાની લાલચ અને વિદેશ સ્થાયી થવાનું સ્વપ્ન બતાવી અઢી વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:પાલિકા રૂ. 1000 કરોડના બોન્ડ બહાર પાડશે સરકાર સાથે બેઠક બાદ પ્રોજેક્ટો નક્કી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment