Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત:પ્રદ્યુમનનગર પોલીસે સુરતથી ગાંજો લાવેલા રીક્ષા ચાલકને 600ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી સપ્લાયરની શોધખોળ હાથ ધરી

    2 days ago

    રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ ટીમને બાતમી મળી હતી કે પોપટપરા સ્મશાન સામે રોડ પર એક શખ્સ માદક પદાર્થ સાથે ઉભો છે જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં શખ્સને અટકાવી પૂછપરછ કરતા તેનું નામ બળદેવ ઉર્ફે બળીયો રાજેશ ફતેપરા (ઉ.વ.35) હોવાનું અને રિક્ષા હંકારતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની અંગ જડતી લેતાં તેના ખિસ્સામાંથી મોબાઇલ ફોન તેમજ તેના હાથમાં રહેલી પ્લાસ્ટીકની થેલીમાંથી ગાંજો મળી આવતાં બળદૈવ ઉર્ફે બળીયા સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી 600 ગ્રામ ગાંજો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ શખ્સ ગાંજાનો જથ્થો સુરતના રેલ્વે સ્ટેશન નજીકથી લઈ આવ્યો હોવાની અને અહીં તે છૂટકમાં વેંચાણ કરવાનો હોવાની કબૂલાત આપતા પોલીસે સુરતના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. ન્હાવા જવાનું કહીંને ઘરમાં ગયેલા પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતા શિલ્પાબેન સુભાષભાઈ મકવાણા (ઉ.વ.47) ગઈકાલે સાંજે 7 વાગ્યે પોતાના ઘરે બહાર પાડોશી મહિલા સાથે બેઠા હતા પછી ન્હાવા જવાનું કહીં ઘરમાં ગયા હતા અને બાદમાં તેમણે ઘરમાં ઝેરી દવાનો ભૂકો કરી પાણી સાથે પી ગયા હતા. બનાવ અંગે થોડી વાર પછી પરિવારજનો અને પાડોશીઓને જાણ થતા શિલ્પાબેનને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. શિલ્પાબેનના લગ્ન થયાને 23 વર્ષ પહેલા થયા હતા તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ત્રણ મહિના પહેલા જ હજુ દીકરા દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા હતા. પતિ સુભાષભાઈ બસ ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે તેમને આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. રોડ પર બેસીને ચાલતા વિકલાંગને ફોર્ચ્યુનર ચાલકે અડફેટે લેતા મોત ભગાભાઈ વરજાંગભાઇ પરમાર (ઉં.વ.55) આજરોજ સવારે 10 વાગ્યા આસપાસ રૈયા રોડ તુલસી સુપર માર્કેટ પાસે રોડ ઉપર બેસીને જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કારના ચાલકે આધેડને હડફેટે લેતા ભગાભાઈને માથા તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા બેભાન હાલતમાં 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર કારગત નીવડે એ પહેલા તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં આશરે ત્રણેક વર્ષ પહેલા રૈયા રોડ ઉપર જ ભગાભાઈને એક કાર ચાલકે અડફેટે લીધા હતા તે સમયે ભગાભાઈના પગમાં ખોટ રહી ગઈ હતી અને તે ચાલી શકતા ન હતા જેથી તેઓ બેઠા બેઠા જ રોડ ઉપર ચાલતા હતા. આજે સવારે તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જીજે.03.એમઆર.4582 નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે ભગાભાઈને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. ભગાભાઈને સંતાનમાં ચાર દીકરા અને એક દીકરી છે. બનાવ અંગે jan થતા યુનિવર્સીટી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગરમ કરવા મુકેલ અથાણાંનું તેલ ઉભરાતા વૃધ્ધ દાઝયા રાજકોટ શહેરમાં સંત કબીર રોડ ઉપર બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા ભરતભાઈ લીલાધરભાઇ પાટડીયા (ઉં.વ.62) પોતાના ઘરે હતા ત્યારે ગેસ ઉપર તપેલામાં અથાણા માટે તેલ ગરમ કરવા મૂક્યું હતું આ તેલ ઉભરાતા ફટાફટ તેઓ તપેલું ઉતારવા જતા તપેલું તેમના હાથ અને શરીર પર ઢોળાયું હતું જેથી તેઓ દાઝી ગયા હતા જેથી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભરતભાઈ અનાજ દળવાની ઘંટી ચલાવે છે તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કુકર ફાટતા મહિલા દાજી જતા સારવાર અર્થે ખસેડાયા રાજકોટના બાલાજી હોલ સામે ચંદ્રેશ નગર મેઇન રોડ ઉપર RMC ક્વાર્ટરમાં રહેતા ગીતાબેન લલીતભાઈ પીઠડીયા (ઉં.વ.48) દિવાનપરા શેરી નંબર 2માં મામા સાહેબના મંદિરની પાસે રહેતા અશ્વિનભાઈના ઘરે રસોઈ બનાવવા માટે ગયા હતા જ્યાં કુકર ફાટતાં ગીતાબેન શરીરે અને ચહેરા ઉપર દાઝી ગયા હતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ગીતાબેનના પતિ લલીતભાઈ હયાત ન હોવાનું અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલ ગીતાબેન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકર્તાએ મહિલાને ધક્કો માર્યો, CCTV:ગોરાટમાં 'ભાજપ ગો બેક'ના નારા લગાવી સ્થાનિકોએ સિનિયર નેતાઓને ભગાડ્યા
    Next Article
    JEE રિઝલ્ટમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠનો દબદબો:ઓલ ઇન્ડિયા ટોપ 500 માં 7 વિદ્યાર્થીઓ, 130 માંથી 124 વિદ્યાર્થીઓ એડવાન્સ્ડ માટે ક્વોલિફાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment