Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે શિવસેનાનો 60મો સ્થાપના દિવસ:મુંબઈમાં બંને જૂથોની અલગ-અલગ રેલી; શિંદેના કાર્યક્રમમાં 6 બળવાખોર સાંસદો પહોંચી શકે છે

    3 days ago

    આજે શિવસેનાનો 60મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ મુંબઈમાં અલગ-અલગ રેલીઓ કરશે. ઉદ્ધવ જૂથનો કાર્યક્રમ સાયનના ષણમુખાનંદ હોલમાં યોજાશે, જ્યારે શિંદે જૂથ ગોરેગાંવના નેસ્કો સેન્ટરમાં રેલી કરશે. આ સ્થાપના દિવસ એવા સમયે યોજાઈ રહ્યો છે, જ્યારે શિવસેના (UBT)ના 9માંથી 6 સાંસદોએ બળવો કર્યો છે. ગુરુવારે આ સાંસદોએ પાર્ટીની સંસદીય દળની બેઠકનો બહિષ્કાર કર્યો. લોકસભા સ્પીકરને પત્ર સોંપીને અલગ થવાનું કારણ જણાવ્યું. શિંદે જૂથના કાર્યક્રમમાં બળવાખોર સાંસદો પહોંચી શકે છે શિંદે જૂથના કાર્યક્રમને લઈને સૌથી વધુ ચર્ચા આ 6 સાંસદોની છે. એવું માનવામાં આવે છે કે તેઓ નેસ્કો સેન્ટરમાં યોજાનાર કાર્યક્રમમાં પહોંચી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. સ્થાપના દિવસ પહેલાં મુંબઈમાં શિંદે જૂથે મોટા પાયે પોસ્ટર અને બેનરો લગાવ્યા છે. આમાં બાલાસાહેબ ઠાકરે, આનંદ દિઘે, છત્રપતિ શિવાજી મહારાજ અને એકનાથ શિંદેની તસવીરો લગાવવામાં આવી છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથે પણ રાજ્યભરમાંથી કાર્યકરોને મુંબઈ બોલાવ્યા છે. ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં 3 સાંસદો પહોંચ્યા ન હતા બળવાખોર સાંસદોએ કહ્યું- ઠાકરે જૂથ કોંગ્રેસમાં વિલીન થવા માંગતું હતું બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકરને સુપરત કરેલા પત્રમાં દાવો કર્યો છે કે ઠાકરે જૂથના કેટલાક વરિષ્ઠ નેતાઓ શિવસેનાનું કોંગ્રેસમાં વિલિનીકરણ ઇચ્છતા હતા. તેમનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે પાર્ટીની મૂળ વિચારધારાથી દૂર ચાલ્યા ગયા છે, તેથી પાર્ટીનું અસ્તિત્વ બચાવવા માટે અલગ થવું જરૂરી છે. શિવસેના નેતા ચંદ્રકાંત ખૈરેએ દાવો કર્યો છે કે આ સાંસદો શિંદે જૂથમાં સામેલ થઈ ચૂક્યા છે. તેને તેમણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા "ઓપરેશન ટાઈગર"નો ભાગ ગણાવ્યો. પાર્ટીમાં 4 વર્ષમાં બીજી વખત ભંગાણ જૂન 2022માં એકનાથ શિંદેના નેતૃત્વમાં 39 ધારાસભ્યોએ બળવો કરીને શિવસેનાને બે ભાગમાં વહેંચી દીધી હતી. આ પછી ચૂંટણી પંચે શિંદે જૂથને શિવસેના નામ અને ધનુષ-બાણ ચૂંટણી ચિહ્ન આપ્યું હતું. હવે 6 સાંસદોના બળવાને છેલ્લા ચાર વર્ષમાં પાર્ટી માટે બીજું મોટું ભંગાણ માનવામાં આવી રહ્યું છે. 6 સાંસદોના જૂથને પક્ષપલટા વિરોધી કાયદાથી રાહત મળી શકે છે લોકસભામાં શિવસેના (UBT) ના 9 સાંસદો છે. પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ, કોઈ પક્ષમાં ભંગાણ પછી ગેરલાયકાતથી બચવા માટે ઓછામાં ઓછા બે-તૃતીયાંશ સાંસદોનો સાથ હોવો જરૂરી છે. એટલે કે, જો 9 માંથી 6 સાંસદો એકસાથે અલગ થવાનો નિર્ણય કરે છે, તો તેઓ પોતાને કાયદેસર જૂથ ગણાવવાનો દાવો કરી શકે છે. આ જ કારણોસર, 6 સાંસદોના બળવો કરવાની ખબર રાજકીય અને કાનૂની, બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જાણકારોના મતે, માત્ર અલગ જૂથ બનાવવું જ પૂરતું નહીં હોય. આગળ જતાં આ સાંસદોને કોઈ બીજા પક્ષમાં વિલીનીકરણની પ્રક્રિયા પણ પૂરી કરવી પડી શકે છે, જેથી તેમની સ્થિતિ કાનૂની રીતે વધુ મજબૂત બની શકે. છેલ્લા ચાર દિવસમાં શું-શું થયું… 18 જૂન: ઉદ્ધવ ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી સંસદીય દળની બેઠકથી 6 સાંસદો દૂર રહ્યા. સાંસદોએ સ્પીકરને પત્ર સોંપીને અલગ થવાનું કારણ જણાવ્યું. 17 જૂન: શિંદે જૂથના નેતાઓએ દાવો કર્યો કે 6 સાંસદો અલગ જૂથ બનાવવા માટે સહમત થઈ ચૂક્યા છે. આ પછી સંજય રાઉત, અનિલ દેસાઈ અને અરવિંદ સાવંતે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી. 16 જૂન: અલગ-અલગ શહેરોમાંથી સાંસદોને દિલ્હી લાવવામાં આવ્યા. સંજય રાઉતે આરોપ લગાવ્યો કે સાંસદોને તોડવા માટે 50 કરોડ રૂપિયા સુધીની ઓફર આપવામાં આવી. 15 જૂન: 'ઓપરેશન ટાઈગર'ની ચર્ચા શરૂ થઈ. દાવો કરવામાં આવ્યો કે ઉદ્ધવ જૂથના 6 સાંસદો શિંદે જૂથમાં જઈ શકે છે. સંજય રાઉતે આ દાવાઓને નકારી કાઢ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    India News LIVE June 19 | Another NEET aspirant dies, Reliance announces Jio IPO— Breaking News Today
    Next Article
    ગોધરામાં પોણા ત્રણ ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત:નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, ચીફ ઓફિસરે કરી સ્થળ મુલાકાત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment