Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમ લગ્નના 60 દિવસમાં જ પરિણીતાએ ગળાફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો:દહેજ માટે પતિ અને સાસુએ ત્રાસ આપ્યાનો આક્ષેપ, બંને સામે ફરિયાદ

    6 hours ago

    શહેરના વેજલપુર વિસ્તારમાં પ્રેમ લગ્નના ગણતરીના મહિનાઓમાં જ એક યુવતીએ સાસરિયા પક્ષના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક ઉર્વીના પિતાએ આક્ષેપ કર્યો છે કે, પતિ અને સાસુ દ્વારા દહેજ માટે દબાણ કરવામાં આવતું હતું અને સતત હેરાનગતિ કરવામાં આવતી હતી, જેનાથી કંટાળીને તેમની દીકરીએ પિયરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પ્રેમ લગ્ન બાદ શરૂ થયો ત્રાસનો દૌર મળતી વિગતો અનુસાર, વેજલપુરમાં રહેતા અને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા કિશોરભાઈની દીકરી ઉર્વીએ પોણા બે વર્ષ પહેલા શ્રેયાંક ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ઉર્વી છેલ્લા પાંચ વર્ષથી અર્બન કંપનીમાં બ્યુટી પાર્લરનું કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. જોકે, લગ્નના બે મહિના બાદ જ તેનો પતિ શ્રેયાંક અને સાસુ રેખાબેન ઠાકોરે અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. પતિ શ્રેયાંક પોતાની કમાણી શેરબજારમાં રોકી દેતો અને ઘર ખર્ચ માટે ઉર્વીની કમાણી પર નિર્ભર રહેતો હતો. દહેજની માંગણી અને માનસિક ત્રાસ ઉર્વીના પિતાએ તેને ટુ-વ્હીલર લેવા માટે ₹20,000 આપવાનું વચન આપ્યું હતું, જે રકમ પિયરમાંથી લઈ આવવા માટે પતિ અને સાસુ સતત દબાણ કરતા હતા. આ ઉપરાંત, ઉર્વીએ પોતાની જૂની ગાડી વેચી હતી, તેના પૈસા પડાવવા માટે પણ શ્રેયાંક અવારનવાર ઝઘડા કરતો હતો. એક સમયે ત્રાસ વધી જતા ઉર્વીએ છૂટાછેડા લેવાનું પણ નક્કી કર્યું હતું, પરંતુ સાસરિયાઓએ 'હવે તકલીફ નહીં પડે' એવો વિશ્વાસ આપતા પિતાએ દીકરીનું ઘર ન ભાંગે તે આશયથી તેને સાસરે પરત મોકલી હતી. ઘરમાં એકલી હતી ત્યારે આત્મઘાતી પગલું ભર્યું ગત 20 એપ્રિલના રોજ ફરી વિવાદ થતા ઉર્વી પિયર રહેવા આવી ગઈ હતી. 24 એપ્રિલના રોજ જ્યારે ઉર્વીના માતા-પિતા તેના ભાઈના આંખના ઓપરેશનના કારણે હોસ્પિટલ ગયા હતા અને ઉર્વી ઘરે એકલી હતી ત્યારે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. સાંજે માતા-પિતા ઘરે પરત ફર્યા ત્યારે દરવાજો ન ખુલતા અને અનેક ફોન કરવા છતાં ઉર્વીએ જવાબ ન આપતા પરિવારને શંકા ગઈ હતી. પિતાએ પાડોશના ધાબા પરથી ગેલેરી વાટે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ઉર્વી દુપટ્ટાથી લટકતી હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ, તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધ્યો દીકરીના મોતથી ભાંગી પડેલા પિતાએ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઉર્વીના પતિ શ્રેયાંક ધર્મેન્દ્રભાઈ ઠાકોર અને સાસુ રેખાબેન ઠાકોર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા, દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે યુવતીના મોબાઈલ ફોન અને કોલ ડિટેલ્સના આધારે પુરાવા એકત્રિત કરી વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Punjab Board Class 10 Results on May 11: Look at PSEB matric toppers from the past years
    Next Article
    કડીમાં હરે કૃષ્ણ સેન્ટર ખાતે નરસિંહ ઉત્સવ ઉજવાયો:1000થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment