Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોક્ટરોની સુરક્ષા માટે હવે ફોર્સ તૈનાત રહેશે:સયાજી હોસ્પિટલમાં તબીબો પર થયેલા હુમલા બાદ રેપિડ ટાસ્ક ફોર્સના 60 જવાનો ખડેપગે રહેશે,એડી.ડાયરેક્ટરની બેઠક બાદ નિર્ણય

    8 hours ago

    વડોદરાની સયાજી હોસ્પિટલમાં બુધવારે એનઆરઆઈ પરિવારની મહિલાનું મોત થતા પોસ્ટમોર્ટમ વિભાગમાં ત્રણ દિવસ માટે ડેડબોડી રાખવામાં આવી હતી. વિદેશથી પરિવાર આવી કોલ્ડરૂમમાં રાખેલી બોડી જોતા તે ડિકમ્પોઝ સ્થિતિમાં હોવાથી આક્રોશ ફેલાયો હતો અને તબીબો સાથે ઘર્ષણ બાદ મારામારી થઈ હતી. આ ઘટના બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. આખરે SSG હોસ્પિટલમાં તબીબો દ્વારા આપવામાં આવેલી હડતાળ સમેટાઈ ગઈ છે. સરકાર તરફથી સુરક્ષાનું આશ્વાસન મળતાં જ તબીબોએ તેમનો આંદોલન પાછો ખેંચ્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે હવે SSG હોસ્પિટલમાં રેપિડ ટાસ્ક ફોર્સ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સમાં 60 સુરક્ષા જવાનોની ટુકડી ખડેપગે તૈનાત રહેશે. આ અંગે મેડિકલ એજ્યુકેશન વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડો. જયેશ સચદૈવ વડોદરા દોડી આવ્યા હતા. તેમણે SSG હોસ્પિટલના તબીબો અને વ્યવસ્થાપન સાથે વિસ્તૃત બેઠક કરી હતી. બેઠક બાદ તબીબોએ હડતાળ સમેટી લીધી છે. આ સાથે રેસિડેન્ટ તબીબોને પોતાની અન્ય માંગણી અંગે પણ ચર્ચા કરી ત્વરિત નિરાકરણ લાવવા સમજાવવામાં આવ્યા છે. શું હતો સમગ્ર મામલો વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29 એપ્રિલે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ (કોહવાઈ) થઈ જવાની આઘાતજનક ઘટના સામે આવતા પરિવારજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. આ મામલે હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારી અને ખરાબ વર્તનના ગંભીર આક્ષેપો સાથે બબાલ કરી હતી. આ ઘટનાને લઈ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. આક્રોશમાં આવેલા પરિવારજનો અને લોકોએ તબીબોને માર માર્યો હોવાના આક્ષેપો પણ કર્યા હતાં. આ ઘટનામાં તબીબોએ પોલીસ ફરિયાદ નિશાની હતી. જેમાં તબીબ પર થયેલ હુમલાની ઘટનામાં અત્યાર સુધીમાં 12 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ગઈ કાલે પકડાયેલા 3 આરોપીઓના એક દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. જ્યારે આજે 9 આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    MPના જબલપુરમાં ક્રૂઝ ડૂબ્યું, 4 મૃતદેહ મળ્યા:15થી વધારે લાપત્તા, 22ને બચાવાયા; તોફાનના કારણે નર્મદાના બરગી ડેમમાં દુર્ઘટના; આર્મીએ મોરચો સંભાળ્યો
    Next Article
    US Blockade Of Ports An "Extension Of Military Operations": Iran President

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment