Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેફ્ટી વગર કામ કરતા શખસને હાઈવોલ્ટેજ કરંટ લાગ્યો:ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયો, સુરતના ઉધના રેલ્વે સ્ટેશના પ્લેટફોર્મ નં.-6 પર કામ ચાલતું હતું ત્યારે અચાનક કરંટ પાસ થયો

    2 days ago

    સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર રેલ્વે વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર સેફ્ટીના કોઈ પણ સાધનો વગર મજૂરો પાસે જોખમી કામ કરાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક હાઈવોલ્ટેજ કરંટ પાસ થઈ જતાં એક મજૂર ગંભીર રીતે દાઝી ગયો હતો. અકસ્માતને પગલે સ્ટેશન પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્લેટફોર્મ નંબર 6 પર કામ કરતી વખતે સર્જાયો અકસ્માત મળતી માહિતી મુજબ, ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર વિકાસના કાર્યો અંતર્ગત મજૂરો પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનમાંથી અચાનક કરંટ પાસ થયો હતો. ત્યાં કામ કરી રહેલા 44 વર્ષીય મજૂર જગરામ શ્રીરામ રાવત (રહે. અશ્વિની કુમાર રોડ, સુરત) આ હાઈવોલ્ટેજ કરંટની ચપેટમાં આવી ગયા હતા. કરંટ એટલો જોરદાર હતો કે જગરામભાઈના શરીરના અલગ-અલગ ભાગો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. સુરક્ષાના સાધનો વગર મજૂરો પાસે વૈતરું કરાવાતું હોવાનો આક્ષેપ આ ચકચારી ઘટનાને પગલે રેલ્વે સ્ટેશન પર હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોની સુરક્ષાને લઈને ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. મજૂરો પાસે ગ્લોવ્ઝ, સેફ્ટી શૂઝ કે હેલ્મેટ જેવા કોઈ પણ અનિવાર્ય સુરક્ષા સાધનો વગર જ હાઈવોલ્ટેજ લાઈનો નજીક કામ કરાવવામાં આવી રહ્યું હતું. સુરક્ષાના નિયમોને નેવે મૂકીને માત્ર નફો કમાવવાના ચક્કરમાં ગરીબ મજૂરોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે. સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં સારવાર શરૂ, કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માગ ઘટના બાદ તરત જ સાથી મજૂરો અને રેલ્વે સ્ટાફ દ્વારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત જગરામ રાવતને 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમની ગંભીર હાલતને જોતા તબીબોએ તેમને તાત્કાલિક વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર શરૂ કરી છે. બીજી તરફ, ગરીબ મજૂરના જીવ સાથે રમત રમનાર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. રેલ્વે પોલીસ આ મામલે આગળની તપાસ હાથ ધરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકા ગોમતી ઘાટ પર વૃદ્ધ ડૂબ્યા, વીડિયો વાઈરલ:સ્થાનિકોએ માંડ-માંડ બચાવ્યા, દરિયામાં કરંટ વધતા તંત્ર એલર્ટ, નાહવા પર પ્રતિબંધ
    Next Article
    મૃતદેહો સાચવા મુદ્દે વડોદરાની SSG હોસ્પિટલનો યુ-ટર્ન:ફોર્મમાં નાખેલી વિવાદીત 3 લીટીની શરત પરત ખેંચી ; જવાબદારી હોસ્પિટલ અને વડાનીઃ આરોગ્ય મંત્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment