Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપર ખેડૂત આંદોલન, સરકારના સંવાદના આમંત્રણને ખેડૂતોનો ઇનકાર:6 માંગણીઓ પર લેખિત ખાતરી મળ્યા બાદ જ ચર્ચાની ખેડૂતોએ શરત મૂકી

    23 hours ago

    મોરબીના જેતપર ગામે વીજ લાઇન માટે થાંભલા ઉભા કરવાની કામગીરી સામે ખેડૂતોનું આંદોલન ૧૧ દિવસથી યથાવત છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતો અને સરકાર વચ્ચે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની ૬ મુખ્ય માંગણીઓ અંગે રાજ્ય સરકાર હકારાત્મક વલણ ધરાવે છે. પ્રશ્નનો ઉકેલ સંવાદથી લાવવા સરકાર પ્રતિબદ્ધ છે. કાયદાકીય અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂત સમિતિને રૂબરૂ ચર્ચા માટે સત્તાવાર લેખિત આમંત્રણ અપાયું છે. હાલ પૂરતી જેતપર ખાતે વીજ થાંભલાની કામગીરી પણ સ્થગિત રખાઈ છે. કલેક્ટરે ખેડૂતોને ગેરમાર્ગે ન દોરાવા અને ટેબલ પર બેસીને પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવા અપીલ કરી હતી. જોકે, સરકારનું આ લેખિત આમંત્રણ આંદોલનકારી ખેડૂતોએ સ્વીકાર્યું નથી. કલેક્ટરની જાહેરાત બાદ પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ઉપવાસ છાવણી ખાતે લેખિત આમંત્રણ લઈને પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોએ પત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો. ઉપવાસી ખેડૂત અગ્રણી નેહુલ અમૃતિયાના જણાવ્યા મુજબ, ખેડૂતો અગાઉ જ પોતાની ૬ મુખ્ય માંગણીઓ લેખિતમાં તંત્રને આપી ચૂક્યા છે. હવે માત્ર ચર્ચા માટેનું આમંત્રણ નહીં, પરંતુ દરેક માંગણી અંગે સરકાર શું નિર્ણય લેવા તૈયાર છે તેની સ્પષ્ટ લેખિત ખાતરી જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે સરકારના પત્રમાં માત્ર માંગણીઓ અંગે ટેકનિકલ અભ્યાસ ચાલી રહ્યો હોવાનું જણાવાયું છે. તેમાં કોઈ માંગણી સ્વીકારવા કે તેના ઉકેલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી, જ્યાં સુધી સરકાર તરફથી માંગણીઓ અંગે લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી વાટાઘાટો નહીં કરવામાં આવે અને આમરણાંત ઉપવાસ યથાવત ચાલુ રહેશે. આમ, સરકારના સંવાદના પ્રયાસો અને ખેડૂતોની લેખિત ખાતરીની માંગ વચ્ચે જેતપર ખેડૂત આંદોલનમાં મડાગાંઠ યથાવત રહી છે.
    Click here to Read More
    Previous Article
    હાઈ પ્રોફાઇલ પોલો ક્લબની ચૂંટણી:બે પેનલ વચ્ચે સત્તા મેળવવા માટે રસાકસી, 1034 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
    Next Article
    Messi's 1st Instagram Post After Argentina's Win Takes Internet By Storm

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment