Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંતિમ પ્રવાસ, છેલ્લો વીડિયો, આવજો; કુદરતનો ગજબ સંયોગ:મનાલી નજીક કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના દંપતી, દીકરી-જમાઈ અને ભાણેજ સહિત 6નાં મોત

    11 hours ago

    ભાવનગરથી મનાલી ફરવા ગયેલા સિંધી સમાજના 9 લોકો સાથે કાર હિમાચલ પ્રદેશના ચંબા-નૂરપુરના નેશનલ હાઈવે પરની ખાઈમાં ખાબકી હતી. જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ગુજરાતના 5 લોકોનાં મોત થયા છે.એક જ પરિવારના દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત થયું છે. જ્યારે પોલીસે 4 લોકોને ખાઈમાંથી સલામત રીતે બહાર કાઢીને ચંબા જિલ્લાના ટાંડાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. જેમાં મોતને ભેટેલા ગુજરાતી પરિવારનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આજે વહેલી સવારે 3.30થી 4 વાગ્યા દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારમાં ગુજરાતી પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો, ત્યારે ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ‘ભારે વરસાદ દરમિયાન કારે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું અનુમાન’ ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4ને માથામાં ઈજા થઈ હતી. છઠ્ઠા મૃતકની ઓળખ જસવંત કુમાર (51) તરીકે થઈ હતી, જે મંડી જિલ્લાના જોગીન્દરનગર તહસીલના કોહરા ગામના રહેવાસી હતા. તે પ્રવાસીઓને લઈ જતી કારના ડ્રાઈવર હતા. તેને વધુમા કહ્યું કે, પોલીસે ખાઈમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વરસાદને કારણે માટી લપસણી થઈ શકે તેથી, એવી શક્યતા છે કે ભારે વરસાદ દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું અનુમાન છે. પોલીસે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને પણ જાણ કરી છે. પીએમ બાદ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવશે. મૃતકોની અંતિમવિધિ ચંબામાં કરવાનો પરિવારનો નિર્ણય કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, પ્રશાસન દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની જે કાનૂની કાર્યવાહી છે, તે હાથ ધરવામાં આવી છે. અમારા સમાજ અને પરિવારે એવો નિર્ણય લીધો છે કે ત્યાં જ અંતિમ સંસ્કાર થવા જોઈએ, જેથી કે મૃતદેહને લઈને 1700 કિલોમીટરની યાત્રા ના કરવી પડે. તો તેને લઈને અત્યારે ભાવનગરનું એક પ્રતિનિધિમંડળ અમારા સમાજનું ત્યાં પહોંચી ગયું છે. રસ્તામાં જ છે, સાંજ સુધીમાં પહોંચી જશે. તો અંતિમ સંસ્કાર જે છે એ હિમાચલમાં જ કરવાનો નિર્ણય સમાજ અને પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કાનૂની કાર્યવાહી તરીકે પોસ્ટમોર્ટમ અને બીજી અન્ય પ્રોસેસ કરવામાં આવશે. ‘કાનૂની અને મેડિકલ કાર્યવાહી પૂર્ણ થઈ રહી છે’ તેને વધુમાં ક્હ્યું કે, ત્યાંના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સતત હું પોતે સંપર્કમાં છું. આપણા ગુજરાતના મુખ્યમંત્રી, આપણા સ્થાનિક ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને મનસુખભાઈ માંડવિયા દ્વારા પણ ખૂબ સારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે ત્યાં વધુમાં વધુ સુવિધાઓ મળી રહે અને જેટલી ઝડપથી આ બધી કાનૂની અને મેડિકલ કાર્યવાહી પૂર્ણ થાય તેવા પ્રયત્નો હિમાચલ સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત મૃતક લલિતભાઈના મિત્ર સુરેશ માખેજાએ જણાવ્યું હતું કે, મૃતક લલિતભાઈ ફતનાની જેઓ ભાવનગરના ઘોઘાસર્કલ છાપરું સોસાયટીમાં રહેતા હતા અને બ્રોકરેજનું કામ કરતા સાથે સમાજ સેવક પણ હતાં. લલિતભાઈ ફતનાની અને એ લોકો બધા મનાલી ફરવા ગયા હતાં અને રાત્રે અઢી વાગ્યે એ લોકો રિટર્ન થતા હતાં, પછી ડ્રાઈવરે ગાડીનો કાબૂ ગુમાવ્યો અને ખાઈમાં ગાડી પડી ગઈ હતી. માખેજાએ વધુમાં કહ્યું કે, મૃતકોમાં એક લલિતભાઈ ફતનાની (ઉ.વ 59) છે, તેમના પત્ની સોનિયાબેન અંદાજિત (ઉ.વ ,56) એમની દીકરી કાજલબેન (ઉ.વ 36), લલિતભાઈના જમાઈ પ્રિયાંકભાઈ (ઉ.વ.39) અને એક તેમનો દીકરો દિવ્યાંશુ 9 વર્ષ સહિત 5નાં મોત થયા છે. જ્યારે લલિતભાઈના દીકરા મયંકભાઈ, તેના પત્ની ફોરમબેન અને તેનો દીકરો જિયાંશ અને તેના જમાઈની દીકરી પ્રિયાંશી અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ આ દુર્ઘટનાના સમાચાર ભાવનગર પહોંચતા પરિવારજનો, મિત્રો અને ઓળખિતાઓમાં ભારે ચિંતા અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમજ ભાવનગરના સિન્ધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણી સતત હિમાચલ પ્રદેશ પ્રશાસન સાથે સંપર્કમાં રહી જરૂરી સહાય અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે. મૃતદેહો વતન લાવવા સમાજના 3 આગેવાનો મનાલી જવા રવાના થયા છે. આવતી કાલ સાંજ સુધીમાં મૃતદેહ આવે તેવી શકયતા છે. ‘ફતનાની અને ભોપાણી ફેમિલીના કુલ 9 લોકો હિમાચલ પ્રવાસમાં ગયા હતાં’ સિન્ધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરવાસીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે. મને મયંકભાઈનો કોલ આવ્યો કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયા હતા અને અમને અકસ્માત નડ્યો છે. તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશના તંત્ર સાથે વાત કરીને, તે લોકોને તે ઘટનાસ્થળે સુવિધાઓ મળી રહે અને સારવાર મળી રહે તેના માટે વાત કરી હતી. ‘સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા’ કમલેશ ચંદાણીએ કહ્યું કે, અમારા સમાજના વડીલ અને ખૂબ સમાજસેવક એવા આપણા લલિતભાઈ ફતનાની અને એમના જમાઈ અને દીકરી અને તેના પત્નીનું મોત નિપજ્યું છે. હાલમાં અત્યારે મૃતકના પરિવારમાંથી, સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે. કમલેશ ચંદાણીએ વધુમાં કહ્યું કે, સમાજમાં ખૂબ દુઃખ છે. પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્ય, શહેર અધ્યક્ષ અને મંત્રીઓને વાત કરી એટલે મંત્રીઓ અને શહેર અધ્યક્ષ અને તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહિંયા મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે અને મદદનું કામ ચાલુ પણ થઈ ગયું છે. મૃતક લલિતભાઈના ઘરે સિંધી સમાજના આગેવાનોએ પરિવારને સાંત્વના પાઠવી ભાવનગરના સિંધી સમાજના પાંચ લોકોના દુઃખદ મોત બાદ સમગ્ર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર લલિતભાઈ ફતનાનીના નિવાસસ્થાને આજે 11મે સિંધી સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકોએ પહોંચીને પરિવારને સાંત્વના પાઠવી હતી. સમાજના આગેવાનોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. સાથે જ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરવામાં આવી છે. ભાવનગરથી 4મેના મનાલી પ્રવાસ માટે નીકળ્યા હતા ભાવનગર સિંધી જનરલ પંચાયતના મહામંત્રી ભરતકુમાર વરછરામ વાધવાણીએ જણાવ્યું હતું કે, અમારા સિંધી સમાજના એક પરિવારના 9 લોકો તા.4મેના રોજ મનાલી પ્રવાસ કરવા માટે ગયા હતા. ગઈકાલે(10મે) રાત્રે 2.30 વાગ્યે મનાલી પાસે તેમનો અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી 4 લોકો મનાલી જવા નીકળ્યા, અમે હાલ તંત્રના સંપર્કમાં છીએ વાધવાણીએ વધુમાં જણાવ્યું કે, હાલ ભાવનગરથી 4 લોકો મનાલી જવા નીકળ્યા છે, ત્યાં આજે અમદાવાદથી 11:30 વાગ્યાની ફ્લાઇટ હતી. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સાથે સતત સંપર્કમાં રહીને તેમના દ્વારા ત્યાંની જે કઈ ઘટતી વ્યવસ્થા છે તે ત્યાં પૂર્ણ કરવા માટે અહીંથી ગયા છે. તેઓ સતત અમારા પ્રમુખ અને સમાજ સાથે સંકલનમાં છે. નીમુબેને ખાતરી આપી છે કે અમારા તરફથી કોઈ પણ વ્યવસ્થાની જરૂર હોય તો તમે સતત અમારા સંપર્કમાં રહેજો અને તેમના પી.એ. દ્વારા અમને 4 નંબર પણ આપ્યા છે કે કોઈ પણ જરૂર હોય તો અમે પૂરી કરીશું. સાથે હિમાચલ પ્રદેશનું પ્રશાસન નીમુબેન બાંભણિયાના સંપર્કમાં રહીને અમને પોઝિટિવ રીતે ખૂબ સારી રીતે સંપર્કમાં છે અને ખૂબ જ કો-ઓપરેટ કરે છે. ત્યાંના સમાજસેવકો અને તંત્રના મુખ્ય અધિકારીઓના સતત ફોન પણ શરૂ છે અને તેઓ અમને પૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Suvendhu Adhikari LIVE : बंगाल CM Suvendhu Adhikari की पहली कैबिनेट बैठक के बाद प्रेस कॉन्फ्रेंस
    Next Article
    ગુજસેલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો:આરોપી એરપોર્ટ પર ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો, સ્કૂલને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment