Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર માર્કેટયાર્ડમાં 6 દિવસ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે:અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તથા ડુંગળીની જાહેર હરાજી બંધ રહેશે જ્યારે શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે

    14 hours ago

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભાવનગર-ઘોઘા દ્વારા આગામી તહેવારો અને માર્ચ એન્ડિંગના કારણે માર્કેટ યાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ છ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તહેવારો રામનવમી, મહાવીર જયંતિ તથા માર્ચ એન્ડિંગના કારણે જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે જેમાં ​તા.26/3 થી 31/3 સુધી 6 દિવસ સુધી બંધ રહેશે, જેમાં 6 દિવસ દરમ્યાન તહેવારોઓમાં રામનવમી, મહાવીર જયંતી અને માર્ચ એન્ડિંગ હિસાબી કામકાજ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તથા ડુંગળીની જાહેર હરાજી બંધ રહેશે તથા શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે, તેમજ ખાસ નોંધ કે લીંબુની હરાજી માત્ર 26/3 ને ગુરુવાર ના રોજ રામનવમી નિમિત્તે બંધ રહેશે, માર્કેટ યાર્ડના સેક્રેટરી દ્વારા તમામ ખેડૂત ભાઈઓ, વેપારીઓ અને વાહન માલિકોને આ સમયગાળા દરમિયાન પોતાની જણસી વેચાણ માટે ન લાવવા માર્કેટિંગ યાર્ડ ઇન્ચાર્જ સેક્રેટરી એ અપીલ કરવામાં આવી છે. ​માર્કેટ યાર્ડમાં તમામ જણસીઓની જાહેર હરાજીનું કામકાજ 1/4/2026 ને બુધવાર થી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે,
    Click here to Read More
    Previous Article
    હિટ એન્ડ રનમાં ઘાયલ યુવકનું ત્રણ દિવસ બાદ મોત:મહેસાણાના દેલા પાસે અજાણ્યા વાહને ટક્કર મારી હતી, વાલીવારસની શોધખોળ શરૂ
    Next Article
    રાજકોટમાં પ્રમુખ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ - ડીઝલનું વેચાણ બંધ:અફવા ફેલાવવા બદલ પોલીસ ફરિયાદ બાદ HPCL એ ખૂલાસો પૂછ્યો - 48 કલાક વેચાણ બંધ રાખવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment