Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોતને ભેટેલા ગુજરાતી પરિવારનો અંતિમ વીડિયો:મનાલી નજીક કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના દંપતી, દીકરી-જમાઈ અને ભાણેજ સહિત 6નાં મોત

    11 hours ago

    ભાવનગરથી મનાલી ફરવા ગયેલા સિંધી સમાજના 9 લોકો સાથે કાર હિમાચલ પ્રદેશના ચંબા-નૂરપુરના નેશનલ હાઈવે પરની ખાઈમાં ખાબકી હતી. જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ગુજરાતના 5 લોકોનાં મોત થયા છે.એક જ પરિવારના દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત થયું છે. જ્યારે પોલીસે 4 લોકોને ખાઈમાંથી સલામત રીતે બહાર કાઢીને ચંબા જિલ્લાના ટાંડાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. જેમાં મોતને ભેટેલા ગુજરાતી પરિવારનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આજે વહેલી સવારે 3.30થી 4 વાગ્યા દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારમાં ગુજરાતી પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો, ત્યારે ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મૃતકોનું ચંબાના ચુવાડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ પોલીસે મૃતદેહોને ખાઈમાંથી બહાર કાઢીને તેને ચંબાના ચુવારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને પણ જાણ કરી છે. પીએમ બાદ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવશે. મૃતકોની અંતિમવિધિ ચંબામાં કરવાનો પરિવારનો નિર્ણય મનાલી ખાતે અંતિમ સંસ્કાર કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે. મૃતકોની અંતિમવિધિ પણ ચંબાના ચવાડી ભાટિયાદ ખાતે જ કરવામાં આવશે. ‘ભારે વરસાદ દરમિયાન કારે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું અનુમાન’ ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4ને માથામાં ઈજા થઈ હતી. છઠ્ઠા મૃતકની ઓળખ જસવંત કુમાર (51) તરીકે થઈ હતી, જે મંડી જિલ્લાના જોગીન્દરનગર તહસીલના કોહરા ગામના રહેવાસી હતા. તે પ્રવાસીઓને લઈ જતી કારના ડ્રાઈવર હતા. તેને વધુમા કહ્યું કે, પોલીસે ખાઈમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વરસાદને કારણે માટી લપસણી થઈ શકે તેથી, એવી શક્યતા છે કે ભારે વરસાદ દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું અનુમાન છે. દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત મૃતક લલિતભાઈના મિત્ર સુરેશ માખેજાએ જણાવ્યું હતું કે, મૃતક લલિતભાઈ ફતનાની જેઓ ભાવનગરના ઘોઘાસર્કલ છાપરું સોસાયટીમાં રહેતા હતા અને બ્રોકરેજનું કામ કરતા સાથે સમાજ સેવક પણ હતાં. લલિતભાઈ ફતનાની અને એ લોકો બધા મનાલી ફરવા ગયા હતાં અને રાત્રે અઢી વાગ્યે એ લોકો રિટર્ન થતા હતાં, પછી ડ્રાઈવરે ગાડીનો કાબૂ ગુમાવ્યો અને ખાઈમાં ગાડી પડી ગઈ હતી. માખેજાએ વધુમાં કહ્યું કે, મૃતકોમાં એક લલિતભાઈ ફતનાની (ઉ.વ 59) છે, તેમના પત્ની સોનિયાબેન અંદાજિત (ઉ.વ ,56) એમની દીકરી કાજલબેન (ઉ.વ 36), લલિતભાઈના જમાઈ પ્રિયાંકભાઈ (ઉ.વ.39) અને એક તેમનો દીકરો દિવ્યાંશુ 9 વર્ષ સહિત 5નાં મોત થયા છે. જ્યારે લલિતભાઈના દીકરા મયંકભાઈ, તેના પત્ની ફોરમબેન અને તેનો દીકરો જિયાંશ અને તેના જમાઈની દીકરી પ્રિયાંશી અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ આ દુર્ઘટનાના સમાચાર ભાવનગર પહોંચતા પરિવારજનો, મિત્રો અને ઓળખિતાઓમાં ભારે ચિંતા અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમજ ભાવનગરના સિન્ધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણી સતત હિમાચલ પ્રદેશ પ્રશાસન સાથે સંપર્કમાં રહી જરૂરી સહાય અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે. મૃતદેહો વતન લાવવા સમાજના 3 આગેવાનો મનાલી જવા રવાના થયા છે. આવતી કાલ સાંજ સુધીમાં મૃતદેહ આવે તેવી શકયતા છે. ‘ફતનાની અને ભોપાણી ફેમિલીના કુલ 9 લોકો હિમાચલ પ્રવાસમાં ગયા હતાં’ સિન્ધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરવાસીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે. રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને મયંકભાઈનો કોલ આવ્યો કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયા હતા અને અમને અકસ્માત નડ્યો છે. તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે, ડિઝાસ્ટર સાથે વાત કરીને, તે લોકોને તે સ્થળે સુવિધાઓ મળી રહે અને સારવાર મળી રહે તેના માટે વાત કરી હતી. ‘સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા’ કમલેશ ચંદાણીએ કહ્યું કે, હાલમાં સારવાર હેઠળ 4 લોકો છે, તેઓ અત્યારે ખતરાથી બહાર છે. અને 5 લોકોના મોત થયા છે, એમાં અમારા સમાજના વડીલ અને ખૂબ સમાજસેવક એવા આપણા લલિતભાઈ ફતનાની અને એમના જમાઈ અને દીકરી અને તેના પત્નીનું મોત નિપજ્યું છે. હાલમાં અત્યારે મૃતકના પરિવારમાંથી, સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે. સાંજ સુધી સ્થળે પહોંચી જશું. આગળની વિધિ માટે ત્યાં જે સરકારી પ્રોસેસ છે એ પૂર્ણ કરીને પરત ભાવનગર આવવાનું પ્લાનિંગ છે. કમલેશ ચંદાણીએ વધુમાં કહ્યું કે, સમાજમાં ખૂબ દુઃખ છે. પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્ય, શહેર અધ્યક્ષ અને મંત્રીઓને વાત કરી એટલે મંત્રીઓ અને શહેર અધ્યક્ષ અને તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહિંયા મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે અને મદદનું કામ ચાલુ પણ થઈ ગયું છે. મૃતક લલિતભાઈના ઘરે સિંધી સમાજના આગેવાનોએ પરિવારને સાંત્વના પાઠવી મનાલી નજીક થયેલા કરુણ અકસ્માતમાં ભાવનગર શહેરના સિંધી સમાજના પાંચ લોકોના દુઃખદ અવસાન બાદ સમગ્ર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર લલિતભાઈ ફતનાનીના નિવાસસ્થાને આજે સિંધી સમાજના આગેવાનો, સમાજના અગ્રણી લોકો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકોએ પહોંચીને પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દુર્ઘટનાને લઈને ભાવનગરમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. સમાજના આગેવાનોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. સાથે જ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરવામાં આવી છે. ભાવનગરથી 4મેના મનાલી પ્રવાસ માટે નીકળ્યા હતા ભાવનગર સિંધી જનરલ પંચાયતના મહામંત્રી ભરતકુમાર વરછરામ વાધવાણીએ જણાવ્યું હતું કે, અમારા સિંધી સમાજના એક પરિવારના 9 લોકો તા.4મે ના રોજ મનાલી પ્રવાસ કરવા માટે ગયા હતા. ગઈકાલે(10મે) રાત્રે 2.30 વાગ્યે મનાલી પાસે તેમનો અકસ્માત સર્જાયો છે. એમાં પાંચના દુઃખદ મોત છે અને 4 લોકો હાલ મનાલી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભાવનગરથી 4 લોકો મનાલી જવા નીકળ્યા, અમે હાલ તંત્રના સંપર્કમાં છીએ વાધવાણીએ વધુમાં જણાવ્યું કે, હાલ ભાવનગરથી 4 લોકો મનાલી જવા નીકળ્યા છે, ત્યાં આજે અમદાવાદથી 11:30 વાગ્યાની ફ્લાઇટ હતી. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સાથે સતત સંપર્કમાં રહીને તેમના દ્વારા ત્યાંની જે કઈ ઘટતી વ્યવસ્થા છે તે ત્યાં પૂર્ણ કરવા માટે અહીંથી ગયા છે. તેઓ સતત અમારા પ્રમુખ અને સમાજ સાથે સંકલનમાં છે. નીમુબેને ખાતરી આપી છે કે અમારા તરફથી કોઈ પણ વ્યવસ્થાની જરૂર હોય તો તમે સતત અમારા સંપર્કમાં રહેજો અને તેમના પી.એ. દ્વારા અમને 4 નંબર પણ આપ્યા છે કે કોઈ પણ જરૂર હોય તો અમે પૂરી કરીશું. સાથે હિમાચલ પ્રદેશનું પ્રશાસન નીમુબેન બાંભણિયાના સંપર્કમાં રહીને અમને પોઝિટિવ રીતે ખૂબ સારી રીતે સંપર્કમાં છે અને ખૂબ જ કો-ઓપરેટ કરે છે. ત્યાંના સમાજસેવકો અને તંત્રના મુખ્ય અધિકારીઓના સતત ફોન પણ શરૂ છે અને તેઓ અમને પૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ‘He said he found private work in Delhi’: Last call 20-year-old made to family before arrest in terror case
    Next Article
    મતદાનના દિવસ બાદ ફરી કંડલામાં ગરમીનો પારો 45.2°C પહોંચ્યો:કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, 7 જિલ્લામાં પારો 43°Cને પાર; ગરમી સિઝનનો રેકોર્ડ તોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment