Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 વર્ષના ઇંતેજારનો અંત આવ્યો:પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરુદ્વારા એક કિમીનો રેલવે ઓવરબ્રિજ બનતાં ટ્રાફિકથી રાહત,સમય બચશે

    1 week ago

    મહેસાણા શહેરના લાખો નાગરિકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા 6 વર્ષના લાંબા પ્રયત્નો અને રજૂઆતો બાદ, રેલવે અને મહાનગરપાલિકા દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પાસે રક્ષાશક્તિ સર્કલથી ગુરુદ્વારાને જોડતા રેલવે ઓવરબ્રિજના નિર્માણને આખરે મંજૂરી મળી ગઈ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ અને મહાનગરપાલિકા દ્વારા મુસાફરો તથા સામાન્ય નાગરિકોની સુવિધા અને સુરક્ષિત અવરજવર માટે આજે આ પ્રસ્તાવિત ઓવરબ્રિજનો વિગતવાર ગ્રાઉન્ડ સર્વે કરવામાં આવ્યો હતો. મહેસાણા શહેરમાં રેલવે લાઇનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણ થયા બાદ શહેર ભૌગોલિક રીતે બે ભાગોમાં વહેંચાઈ ગયું હતું. ખાસ કરીને દર ચોમાસામાં ગોપીનાળા અને ભમરીયા નાળામાં પાણી ભરાઈ જવાથી શહેરના બે ભાગો વચ્ચેનો સંપર્ક કપાઈ જતો હતો. અત્યાર સુધી શહેર ગોપીનાળા, ભમરીયા નાળા અને આંબેડકર બ્રિજ દ્વારા જોડાયેલું હતું, પરંતુ આ નવો રેલવે ઓવરબ્રિજ હવે ચોથા માર્ગ તરીકે મહેસાણા-1 અને મહેસાણા-2ને જોડશે, જેનાથી વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ પ્રોજેક્ટના ગ્રાઉન્ડ સર્વે દરમિયાન મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મીન ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશ અને વરિષ્ઠ વાણિજ્ય પ્રબંધક અન્નુ ત્યાગી સહિતના અધિકારીઓએ પ્રોજેક્ટના તકનિકી અને વ્યવહારુ પાસાઓ પર ચર્ચા કરી હતી. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને લોકોના સમયની મોટી બચત થશે. સીધી કનેક્ટિવિટી મળવાને કારણે સ્થાનિક વેપાર અને જનજીવનને નવી ગતિ મળશે. 12 મીટર પહોળા બ્રિજમાં 76 મીટરનો મુખ્ય ગર્ડર સ્પાન રહેશે આ ઓવરબ્રિજ અને એપ્રોચ સહિત 1050 મીટર લાંબો અને 12 મીટર પહોળાઈ ધરાવતો બનશે. તેમજ 76 મીટરનો મુખ્ય ગર્ડર સ્પાન રહેશે. પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરુદ્વારા સુધીનો રહેશે. એટલે કે, શહેરમાંથી સીધા અમદાવાદ-પાલનપુર હાઇવે પર જઈ શકાશે. આ ત્રણ ફાયદા થશે‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર જાધવનો મોટો દાવો:મંત્રીમંડળને બચાવવા બજેટ સત્ર પૂર્વે જ ખરાત વિરુદ્ધ એસઆઈટી
    Next Article
    દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પ યોજાયો:હોસ્પિટલના ડી.ઇ.આઈ.સી.સેન્ટર ખાતે વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment