Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસાવદરના જાંબુડીમાં દીપડાનો આતંક:છેલ્લા 6 મહિનાથી ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ, વન વિભાગ તાત્કાલિક દીપડાઓને પાંજરે પૂરે તેવી માગ

    12 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબુડી ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક ચિંતાજનક રીતે વધી ગયો છે. છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારમાં અવારનવાર દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો, ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ડર અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જાંબુડી આસપાસના વિસ્તારોમાં અલગ-અલગ બનાવોમાં આશરે 3થી 4 લોકો પર દીપડાએ હિંસક હુમલા કર્યા છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ હોવાથી ખેતરો અને વાડીઓમાં ઊંચું ઘાસ ઊગી નીકળશે, જેના કારણે જંગલ જેવી સ્થિતિ સર્જાશે. આવા સંજોગોમાં ખેતરે જવું કે રાત્રિના સમયે ખેતરમાં પિયત અને રખોપું કરવા જવું ખેડૂતો માટે જીવના જોખમ સમાન બની ગયું છે. માત્ર દીપડા જ નહીં, પરંતુ ભૂંડ અને રોઝ જેવા વન્યપ્રાણીઓનો પણ ભારે ત્રાસ હોવાથી રાત્રે બત્તી લઈ નીકળવું પણ ભયજનક બન્યું છે. અવારનવાર બનતી ઘટનાઓને લીધે નાના બાળકો અને મહિલાઓ પણ ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. 'અમારા ખેતીવાડી વિસ્તારમાં જ 7થી 10 દીપડા છે' ​આ મામલે સરપંચ લાલજીભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે, મારી વાડી પાસે જ તાજેતરમાં એક વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત બાજુના ખેતરમાં અને અહીં ઊભેલા એક ભાઈ પર પણ દીપડાએ હુમલો કર્યો છે. એક જ રાતમાં દીપડો 2-3 વાર હુમલા કરવાનો પ્રયાસ કરે છે. વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યાને 5-5, 7-7 દિવસ થઈ ગયા હોવા છતાં હજી સુધી દીપડો પાંજરે પૂરાયો નથી. સરકાર એવું દાવો કરે છે કે સમગ્ર ગુજરાતમાં 2200 દીપડા છે. જો 8-10 દિવસ સુધી એક દીપડો પાંજરે પકડાતો ન હોય, તો સરકાર પાસે 2200નો સાચો આંકડો કઈ રીતે હોઈ શકે? આ ગણતરી ખોટી લાગે છે. અમારું માનવું છે કે માત્ર અમારા ખેતીવાડી વિસ્તારમાં જ 7થી 10 દીપડાઓ છે. જો ગામડે-ગામડે ગણતરી કરવામાં આવે તો દીપડાઓની સાચી સંખ્યા 2200 કરતાં બેથી ત્રણ ગણી વધારે હોઈ શકે છે. 'વન વિભાગના કર્મચારીઓને તૈનાત કરવામાં આવે' ​લાલજીભાઈ કોટડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સરકાર અને વન વિભાગને અગાઉ પણ અનેક રજૂઆતો કરી છે અને વીડિયો બનાવીને પણ મોકલ્યા છે. ભૂતકાળમાં સોમનાથ નજીક એક ઘટનામાં દીપડાએ બાળકના જીવન પર હુમલો કરતા પિતા-પુત્રએ સ્વબચાવમાં પગલાં ભર્યા તો તેમની સામે કાર્યવાહી થઈ હતી. જો ખેડૂત પોતાની જિંદગી બચાવવા માટે પણ કંઈ ન કરી શકે તો તેમણે ખેતી કઈ રીતે કરવી? અમારી સરકારને સ્પષ્ટ રજૂઆત છે કે બોર્ડરના ગામડાઓમાં ખેડૂતો સુરક્ષિત રહી શકે તે માટે વન વિભાગના કર્મચારીઓને તૈનાત કરવામાં આવે, જેથી તેઓ પાકનું રક્ષણ કરે અને ગ્રામજનોને વન્યપ્રાણીઓના ત્રાસમાંથી મુક્તિ અપાવે. 'દીવાલ કૂદી દીપડા હુમલા કરે એ સ્થિતિ ભયજનક' ​નારણભાઈ વાળાએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીના વર્ષોમાં આ વિસ્તારમાં દીપડાનો આટલો બધો આતંક ક્યારેય જોવા મળ્યો નહોતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી અવારનવાર દીપડાઓ માનવ વસાહત તરફ આવી ચડ્યા છે. હમણાં 10 દિવસ પહેલા જ બાજુના એક ભાઈ પર દીપડાએ હુમલો કર્યો હતો. એ પછી 2 દિવસ પહેલાં જ રાત્રે આશરે 3 વાગ્યાના સુમારે દીપડો મારી માતા પર ત્રાટક્યો હતો.અમારા મકાનની આસપાસ 15 ફૂટ ઊંચી પાકી દીવાલ છે અને તેની ઉપર 4 ફૂટનું પ્રોટેક્શન છે, એટલે કે કુલ 19 ફૂટ ઊંચી દીવાલ કૂદીને દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો. આટલી ઊંચી દીવાલ કૂદીને હુમલો કરવો એ બતાવે છે કે સ્થિતિ કેટલી ભયજનક છે. ​જાંબુડી અને આસપાસના ગ્રામજનો તેમજ પંચાયતના પ્રતિનિધિઓ એકસૂરે માંગ કરી રહ્યા છે કે વન વિભાગ માત્ર પાંજરા મૂકીને સંતોષ ન માણે પરંતુ દીપડાના લોકેશનનું સચોટ ટ્રેકિંગ કરે. ખેતીની સિઝન શરૂ થઈ રહી હોવાથી ખેડૂતોને રાત-દિવસ ખેતરે જવું પડતું હોય છે. જો વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ માનવભક્ષી અને હિંસક દીપડાઓને પકડીને દૂરના જંગલ વિસ્તારમાં ખસેડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    27 ગુજરાત NCC દ્વારા કારગિલ શહીદોને પત્ર:કારગિલ વિજય દિવસે 527 વીરોને 527 પત્રો લખી શ્રદ્ધાંજલિ અપાઈ
    Next Article
    Sam Altman says humanity already in the singularity, warns of AI authoritarianism

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment