Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોખરામાં યુવકને છરીના ઘા મારી દીધા:6 શખ્સોનો અંગત અદાવતમાં એકટીવા પર જતાં બે મિત્રો પર હુમલો, એક્ટિવા પર પટ્ટો મારતા બંને પડી ગયા

    6 days ago

    અમદાવાદ શહેરમાં જાણે પોલીસનો કોઈ ડર ના હોય તેમ દિન પ્રતિદિન લોકો ઉપર છરી અને લાકડીઓ વડે હુમલાના બનાવો બની રહ્યા છે. શહેરના ખોખરા વિસ્તારમાં રાત્રિના સમયે ત્રણ બાઈક પર આવેલા છ જેટલા શખ્સોએ અંગત અદાવતમાં બે લોકો ઉપર હુમલો કર્યો હતો. ચાલુ એક્ટિવા પર પટ્ટો મારવા જતા બંને પડી ગયા હતાં. જેમાંથી એક મિત્ર જીવ બચાવવા ભાગ્યો હતો, જ્યારે બીજા મિત્રોને પકડીને તેને છરીનો ઘા માર્યો હતો. તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ખોખરા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ઝડપવા તજવીજ હાથ ધરી છે. પાછળથી અચાનક જ પટ્ટો મારતાં બંને યુવકો પડી ગયા મળતી માહિતી મુજબ શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલી નિગમ સોસાયટીમાં યશવંતસિંગ પરિહાર તેના પરિવાર સાથે રહે છે અને સીએનો અભ્યાસ કરે છે. 17 માર્ચના રોજ રાત્રે 8:00 વાગ્યાની આજુબાજુ યશવંત તેના મિત્ર પ્રથમ ઉર્ફે ભોલુ ઉપાધ્યાયને મળવા માટે તેના ઘરે ગયો હતો. રાત્રે પોણા 11 વાગ્યાની આજુબાજુ એકટીવા લઈને બંને ખોખરા સર્કલ તરફ ગયા હતાં. 11:30 વાગ્યાની આસપાસ ખોખરા સર્કલ પાસેના સોની બજાર પાસે આવતા પાછળથી બેથી ત્રણ બાઈક પર નિરંજન ચૌહાણ, સાહિલ પરિહાર, સૌરવ ઠાકુર, સતીશ પાંડે, જયસિંગ રાજપૂત તેમજ રોહિત રાજપૂત આવ્યા હતાં. પાછળથી અચાનક જ પટ્ટો મારવા જતા એકટીવાનું બેલેન્સ રહ્યું હતું અને બંને એકટીવા સાથે નીચે પડી ગયા હતા. 'ત્યાં 108 ઉભી હતી અને બીજા માણસોના ટોળા ઉભા હતાં' બંને નીચે પડ્યા હતા, ત્યારે યશવંત ઉભો થઈને ખોખરા સર્કલ તરફ ભાગ્યો હતો. જ્યારે તેનો મિત્ર પ્રથમ બાલ ભવન તરફ ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ યશવંતે પ્રથમના પિતાને ફોન કરી અને જાણ કરી હતી. જેથી પ્રથમના પિતા અને અન્ય માણસો આવી ગયા હતા. તમામ લોકો બાલભવન પાસે ગયા હતા ત્યારે ત્યાં 108 ઉભી હતી અને બીજા માણસોના ટોળા ઉભા હતાં. ઢીકાપાટુનો માર મારીને છરી મારી દીધી પ્રથમને પેટના ભાગે ઇજા થયેલી હતી અને લોહી નીકળતું હતું. પ્રથમને પૂછતા જાણવા મળ્યું હતું કે તમામ લોકો બાઈકો લઈને આવ્યા હતા અને મેગા આશરે ફ્લેટ પાસે કરતા ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી અને જાનથી મારી રાખવાના ઇરાદે નિરંજન ચૌહાણએ છરી મારી દીધી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડાયો મારામારી થતા બૂમાબૂમ થઈ હતી જેથી લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતાં. સ્થાનિક લોકોએ 108 બોલાવી હતી અને તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 6 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો ખોખરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ એલજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી આ સમગ્ર મામલે પોલીસે 6 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરના અપીયા ગામે કરા સાથે વરસાદ:ઉનાળામાં માવઠું થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી, ખેડૂતોમાં ચિંતિત, જનજીવન પ્રભાવિત
    Next Article
    પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું:પરિણીતાના ભાઈએ બનેવી પાસેથી ઉછીના લીધા હતા, રૂપિયા પરત ન કરતા પતિ એક વર્ષથી ત્રાસ આપતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment