Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 લાખનું પ્રથમ ‘પેલિકન સિગ્નલ’ તોડી નખાયું:નિદ્રાધીન તંત્ર, મરી પરવારેલી સિવિક સેન્સ પર ક્યાં સુધી મૌન

    3 days ago

    અમદાવાદને ‘સ્માર્ટ સિટી’ બનાવવાના નામે મ્યુનિ. લાખો-કરોડોની આધુનિક યોજનાઓ તો લાવે છે, પરંતુ કેટલાક અસામાજિક તત્ત્વોની વિકૃત માનસિકતા આ આખી કવાયત પર પાણી ફેરવી દે છે. સી. જી. રોડ પર રાહદારીઓની સુરક્ષા માટે મુકાયેલું શહેરનું સૌથી પહેલું ‘પુશ-બટન પેલિકન સિગ્નલ’ માત્ર નવ દિવસમાં તોડી નાખવામાં આવ્યું! આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા શહેર પોલીસ દ્વારા લગાવવામાં આવેલી એનાઉન્સમેન્ટ સિસ્ટમ, પેનિક બટન બોક્સ અને પબ્લિક ગાર્ડન્સમાં બાળકો માટેનાં સાધનો પણ આ જ રીતે તોડી નખાયાં છે. હદ તો એ છે કે બીઆરટીએસ કોરિડોરનાં બેરિયર પણ આવાં તત્ત્વો તોડી નાખે છે. આ તમામ બનાવો સાક્ષી પૂરે છે કે, સમસ્યા માત્ર કોઈ એક સિગ્નલ તૂટવાની નથી, પરંતુ આપણા શહેરમાં ઓવરઓલ ‘સિવિક સેન્સ’ની સંપૂર્ણપણે દમ તોડી દેવાની છે. આમાં ટ્રાફિક સેન્સનો અભાવ તો રોજનું દુઃખ છે. સૌથી મોટો દોષ ખુદ મ્યુનિ. કોર્પોરેશન અને સંબંધિત અધિકારીઓનો છે, જે લાખોનો ખર્ચ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. હવે કાગળ પરના દાવાનો સમય વીતી ગયો છે. જો કોઈ વિસ્તારમાં જાહેર મિલકતને નુકસાન પહોંચે તો સૌથી પહેલા ત્યાંના જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ કે તેમણે આ અંગે શું પગલાં લીધાંં? જ્યાં સુધી તંત્રમાં આવી બેદરકારી બદલ અધિકારીઓની જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી ઉપદ્રવીઓ છાકટા બનીને ફરશે. વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે, જો આપણી વ્યવસ્થાનો આ જ હાલ રહ્યો તો વૈશ્વિક સ્તરે શહેરની છબિ શું બનશે? એટલું સ્પષ્ટ છે કે આવાં અસામાજિક તત્ત્વો ભારે દંડ, કડક સજા અને કાયદાના ડર વગર સુધરવાના નથી. તંત્રે આવા લોકો સામે અત્યંત કડક વલણ અપનાવવું જ પડશે.પરિવર્તનનો રસ્તો કોઈ થોપેલા જ્ઞાનમાંથી નહીં નીકળે. આ માટે સૌથી પહેલા શહેરના આવાં અસામાજિક તત્ત્વોની પેટર્નને સમજવાની જરૂર છે તથા સિવિક સેન્સ અંગે એક વ્યાપક ગ્રાઉન્ડ સ્ટડી કરવાની જરૂર છે. આ સિવાય ટ્રાફિક સેન્સ બાબતે પણ તંત્ર અને લોકો તરફથી પ્રયાસ થવા જરૂરી છે. સી. જી. રોડ પર જ્યારે પેલિકન ટ્રાફિક સિસ્ટમ લગાવાઈ હતી ત્યારે તેના વિશે લોકોને સમજાવ્યું નહોતું. વાહનચાલકો પણ રેડ લાઇટ થાય તો ઊભા રહેતા નહોતા. તો જ્યારે પણ આવી કોઈ સિસ્ટમ અમલમાં મુકાતી હોય ત્યારે તેના વપરાશ વિશે સમજ આપવી જરૂરી છે. લોકો આ શહેરને પોતાનું સમજે, તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કૂલો, કોલેજો, સરકારી-ખાનગી કચેરીઓ, સામાજિક સંગઠનો અને સોસાયટીઓની મદદ લઈને એક સ્પેસિફિક અને વ્યવહારુ પ્લાન તૈયાર કરવો પડશે. કોઈ નક્કર પ્લાનિંગ અને આંતરિક જવાબદારી વગર જમીન પર કોઈ બદલાવ શક્ય નથી.
    Click here to Read More
    Previous Article
    એક વ્યક્તિ રોજ 200 ઘરની તપાસ કરશે:મચ્છરોના પોરાનો નાશ કરવા મ્યુનિ. 12 કરોડનો ધુમાડો કરશે
    Next Article
    સ્ટેન્ડિંગ ચેરમેનનો અધિકારીઓને સવાલ:કેટલાક ચોક્કસ વિસ્તારોમાંથી દબાણો કેમ હટાવાતાં નથી?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment