Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક વ્યક્તિ રોજ 200 ઘરની તપાસ કરશે:મચ્છરોના પોરાનો નાશ કરવા મ્યુનિ. 12 કરોડનો ધુમાડો કરશે

    3 days ago

    શહેરમાં ચોમાસામાં થતા મચ્છરના ઉપદ્રવને ધ્યાને લઇ ઘરમાં પેદા થતા મચ્છરના પોરાનો નાશ કરવા મ્યુનિએ રૂ.12 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેમાં, એક વ્યક્તિ રોજના 200 ઘર તપાસશે અને પોરા મળશે તો તેનો નાશ કરશે. 20 જેટલાં ઘરમાં પોરાને લગતી કામગીરીના ફોટો અપલોડ કરવા સૂચના અપાઇ છે. આગામી 6 માસ માટે વરસાદને લીધે થતા મચ્છરજન્ય રોગચાળાને નાથવા મ્યુનિ.એ બે એજન્સીને શહેરના ઘરોમાં પેદા થતાં મચ્છરના પોરા નાશ કરવાની કામગીરી સોંપી છે. જેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. પ્રત્યેક ઘરમાં ચકાસણી માટે રૂ.5.90નો ભાવ નક્કી કર્યો છે. 7 ઝોનમાં કામગીરી માટે રૂ.12 કરોડની જોગવાઇ છે. ગત વર્ષે 7 ઝોનમાં 11.5 કરોડની જોગવાઇ હતી, જેમાં 5.76 કરોડનો ખર્ચ થયો હતો. જો કામગીરીમાં બેદરકારી જણાશે તો પેનલ્ટી થશે એજન્સી દ્વારા નિયત રીતે પ્રત્યેક ઘરના 20 ફોટો અપલોડ કરવાના છે. જો કામગીરીમાં કોન્ટ્રાક્ટર નિષ્ફળ જાય તો તેને પેનલ્ટી થશે. ગત વર્ષે પેનલ્ટી રૂ.25 હતી, જેને વધારીને રૂ.50 કરી છે. ગત વર્ષે મ્યુનિ.એ રૂ.37 લાખની પેનલ્ટી કરી હતી. આ વખતે અસરકારક નિયંત્રણ લાદી કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા પ્રયત્ન કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર:ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
    Next Article
    6 લાખનું પ્રથમ ‘પેલિકન સિગ્નલ’ તોડી નખાયું:નિદ્રાધીન તંત્ર, મરી પરવારેલી સિવિક સેન્સ પર ક્યાં સુધી મૌન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment