Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરમાં મારામારી કરનાર 6 ઝડપાયા, માફી માગીને ઉઠક બેઠક કરી:રાવપુરાના રાજા ગણેશજીની આગમન યાત્રા દરમિયાન અરાજકતા ફેલાવી હતી

    1 day ago

    વડોદરા રાવપુરાના રાજા ગણેશજીની આગમન યાત્રા દરમિયાન જાહેરમાં મારામારીની ઘટનામાં પોલીસે 6 યુવાનની અટકાયત કરી છે. આ યાત્રા દરમિયાન થયેલી હિંસક મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ મામલે તપાસ હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. વીડિયો ફુટેજના આધારે 6 દબોચાયા શહેરમાં સૌપ્રથમ ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી. આ યાત્રામાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં મારામારી કરી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગેનો વીડિયો વાયરલ થયો હતો. રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો ફુટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી ઘટના સ્થળે બબાલ કરનારા આરોપીઓની ઓળખ કરીને છ આરોપીને દબોચી લીધા હતા. ઝડપાયેલ યુવાનો ઉઠક બેઠક કરીને માફી માગી અટકાયત કરવામાં આવેલા આરોપીઓમાં હર્ષ ઉર્ફે રોશન કમલેશભાઈ કહાર, વિશાલ રાજુભાઈ માળી, જયદિપ રાજુભાઈ પટેલ, અશ્વીનભાઈ ઉર્ફે યશ નારણભાઈ કહાર, ધ્રુવ વિજયભાઈ વસાવા અને મેહુલ ગોવિંદભાઈ કહારનો સમાવેશ થાય છે. રાવપુરા પોલીસ ઇન્સપેક્ટર ડી. જે. પટેલ તથા તેમની ટીમ જેમાં હેડ કોન્સ્ટેબલ ગુલાબસિંગ, મનિષભાઈ, જગમાલભાઈ, કાનાભાઈ તેમજ લોકરક્ષક વિશાલભાઈ અને દિનેશસિંહનો સમાવેશ થાય છે, તેમણે સતર્કતા દાખવીને વાયરલ વીડિયોના આધારે ગુનાનો ભેદ ઉકેલી તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ કાન પકડીને ઉઠક બેઠક કરી હતી અને માફી માગી હતી. ધાર્મિક યાત્રાઓ ઉપર પોલીસની નજર રહેશે આગામી થોડા દિવસોમાં શ્રાવણ મહિનાનો આરંભ થઇ રહ્યો છે ત્યારે પવિત્ર શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. અને અનેક ધાર્મિક યાત્રાઓ પણ નીકળે છે. ત્યારે આ ધાર્મિક યાત્રાઓમાં જોડાનાર શ્રધ્ધ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે અને શહેરનું વાતાવરણ ન ડહોળાય તે માટે પોલીસની બાજ નજર રહેશે. અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક રહે કાર્યવાહી કરવામાં આવશે. શહેરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારને કોઈ પણ સંજોગોમાં નહીં છોડાય તેવો સ્પષ્ટ કોલ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ કેસમાં નવો ખુલાસો:સિક્યુરિટી કંપનીનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું, રીન્યુ પ્રોસેસ પણ કરી નહોતી, માલિક સામે ગુનો નોંધાયો
    Next Article
    સોનગઢ આંગણવાડીઓમાં રાષ્ટ્રધ્વજ રંગપૂરણી પ્રવૃત્તિ યોજાઈ:સ્વતંત્રતા પર્વ નિમિત્તે બાળકોમાં દેશભક્તિનો ઉમંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment