Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ઈંડાની અછત સર્જાવાના એંધાણ:મહારાષ્ટ્રના નવાપુરમાં બ્લડફ્લૂના કારણે અઢી લાખ મરઘા મારી નાખ્યા, રોજના 10 લાખ ઈંડાની સપ્લાય બંધ

    12 hours ago

    મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા નવાપુરમાં બર્ડફ્લૂના પોઝિટિવ કેસ આવતા પોલટ્રી ફાર્મને તાળા લાગી ગયા છે. અઢી લાખ મરઘાને તો મારી નાખવાની ફરજ પડી છે. આ સ્થિતિની સૌથી વધુ અસર થઈ હોય તો તે સુરત છે. કારણ કે, સુરતમાં દૈનિક ઈંડાની મોટાભાગની જરુરિયાત નવાપુર પૂરી કરે છે. લાખો ઈંડાની સપ્લાય ઠપ્પ થતા સુરતમાં ઈંડાની અછત સર્જાવાની શક્યતા છે. નવાપુરથી સુરત આવતા લાખો ઈંડાની સપ્લાય બંધ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુરના પોલ્ટ્રી ઉદ્યોગમાં ‘બર્ડ ફ્લૂ’ (H5N1) ફાટી નીકળતા ફફડાટ વ્યાપી ગયો છે. નવાપુર પોલ્ટ્રી એસોસિએશનના અધ્યક્ષ આરિફભાઈ બલેસરિયાએ પુષ્ટિ કરી છે કે નંદુરબાર જિલ્લા કલેક્ટરે સત્તાવાર રીતે બર્ડ ફ્લૂ જાહેર કર્યો છે. આ સમાચારની સૌથી વધુ અને સીધી અસર સુરત શહેર પર જોવા મળી રહી છે. સુરત પોતાની ઈંડાની જરૂરિયાત માટે સંપૂર્ણપણે નવાપુર પર નિર્ભર છે. રોજિંદા ધોરણે નવાપુરથી સુરતમાં જે લાખો ઈંડાની આવક થતી હતી, તે કલેક્ટરના જાહેરનામા બાદ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. આના કારણે આગામી દિવસોમાં સુરતના રિટેલ માર્કેટમાં ઈંડાની અછત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. નવાપુર ખાતે તમામ તપાસ કાર્યવાહી પર સુરત જિલ્લા કલેકટર કચેરીની પણ નજર છે. સરકારી ગાઈડલાઈન: 1 કિલોમીટરના વિસ્તારમાં ‘કલિંગ’ ઓપરેશન બર્ડ ફ્લૂની ગંભીરતાને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલ્ટ્રી એસોસિએશનના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં વાયરસ પોઝિટિવ આવ્યો છે તેના 1 કિલોમીટરના રેડિયેશનમાં આવતા તમામ પોલ્ટ્રી ફાર્મ્સને ખાલી કરાવવાનો આદેશ અપાયો છે. એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 2 લાખ 40 હજાર મરઘાંઓને ‘કલિંગ’ (મારી નાખવાની પ્રક્રિયા) દ્વારા નષ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયાનો હેતુ વાયરસને અન્ય તંદુરસ્ત પક્ષીઓ અને માણસો સુધી ફેલાતો અટકાવવાનો છે. બાકીના વિસ્તારોમાં પણ સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે. સુરતમાં આવતા ઈંડાની 90 ટકા સપ્લાય ઠપ નવાપુર એ સુરતનું ‘એગ હબ’ માનવામાં આવે છે. નવાપુર પોલ્ટ્રી એસોસિએશનના અધ્યક્ષ આરિફભાઈ બલેસરિયાના જણાવ્યા મુજબ, નવાપુરમાં કુલ 12 લાખ મરઘાંની ક્ષમતા છે, જેમાંથી દૈનિક 10 લાખ ઈંડાનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનનો 80 થી 90 ટકા હિસ્સો માત્ર સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જ વેચાય છે. હાલમાં સરકારે ટ્રાન્સપોર્ટેશન પર પ્રતિબંધ મૂકતા અને ફાર્મ્સ લોક કરી દેતા, સુરત આવતા 9 થી 10 લાખ ઈંડાનો સપ્લાય અટકી ગયો છે. લારી ગલ્લાઓ અને રેસ્ટોરાંમાં ઈંડાની વાનગીઓના શોખીન સુરતીઓ માટે આ મોટા સમાચાર છે, કારણ કે સપ્લાય ચેઈન ખોરવાતા કિંમતોમાં ઉછાળો આવી શકે છે. સર્વેલન્સ અને સેમ્પલિંગ બાદ વધુ ફાર્મ્સ પર જોખમની તલવાર પ્રથમ તબક્કામાં 2.40 લાખ મરઘાંના નિકાલ બાદ, હવે બીજા ઝોનમાં આવતા મરઘાંઓ પર વૉચ રાખવામાં આવી રહી છે. એનિમલ હસબન્ડરી વિભાગની ટીમો દ્વારા સતત બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ સેમ્પલ્સ તપાસ માટે ભોપાલની હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો આ રિપોર્ટ્સ પણ પોઝિટિવ આવશે, તો બાકીના 12 લાખ મરઘાંના જથ્થાને પણ મારી નાખવાની ફરજ પડી શકે છે. હાલમાં તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ મૂકીને સમગ્ર પોલ્ટ્રી ઝોનને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. હેલ્થ એડવાઈઝરી: શું ચિકન-ઈંડા ખાવા સુરક્ષિત છે? બર્ડ ફ્લૂના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોમાં ચિકન અને ઈંડા ખાવા અંગે ડરનો માહોલ છે. જોકે, નિષ્ણાતો અને પોલ્ટ્રી એસોસિએશનના પ્રમુખે લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે. WHOની ગાઈડલાઈન મુજબ, જો ચિકન કે ઈંડાને 70 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન પર બરાબર ઉકાળીને કે રાંધીને ખાવામાં આવે તો વાયરસ જીવિત રહી શકતો નથી. ભારતીય રસોઈ પદ્ધતિમાં સામાન્ય રીતે ખોરાક 80 થી 90 ડિગ્રી તાપમાન પર રાંધવામાં આવતો હોય છે, તેથી યોગ્ય રીતે પકવેલો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. પરંતુ, કાચા કે અર્ધકચરા રાંધેલા ઈંડા-ચિકનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. નવાપુરના પોલ્ટ્રી ઉદ્યોગને કરોડોનું નુકસાન આ કુદરતી આફતને કારણે નવાપુરના વેપારીઓની કમર તૂટી ગઈ છે. 2.50 લાખ જેટલા મરઘાંના મોત અને લાખો ઈંડાના વેચાણ પરના પ્રતિબંધને કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરવામાં આવી શકે છે, પરંતુ માર્કેટમાં ફરી વિશ્વાસ બેસાડતા લાંબો સમય લાગશે. ખાસ કરીને સુરત જેવા મોટા માર્કેટમાં જ્યારે સપ્લાય બંધ થાય છે, ત્યારે તેની આર્થિક અસર સમગ્ર દક્ષિણ ગુજરાતના પોલ્ટ્રી બિઝનેસ પર પડે છે.
    Click here to Read More
    Previous Article
    મેડિકલ કોલેજના ગુમ MBBS વિદ્યાર્થીનો 10 દિવસથી કોઈ પત્તો નહીં:છેલ્લે માતા સાથે વાત કર્યા બાદ ફોન સ્વિચ ઓફ, દીકરાને શોધવા પરિવારની રઝળપાટ; વડોદરાથી રાજસ્થાન સુધી શહેરો ખુંદ્યા
    Next Article
    એન. એસ. પટેલ કોલેજમાં નવા આચાર્ય ડૉ. પ્રશાંત પટેલનું સ્વાગત:ટ્રસ્ટીઓ અને પૂર્વ આચાર્યોએ શુભેચ્છા પાઠવી, વાઇસ પ્રિન્સિપાલની પણ નિમણૂક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment