Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યોગી મંત્રીમંડળમાં 6 નવા મંત્રી, 2નું પ્રમોશન:ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે કેબિનેટ મંત્રી બન્યા; કૃષ્ણા પાસવાને જય શ્રી રામના નારા લગાવ્યા

    5 days ago

    યોગી કેબિનેટનું આજે રવિવારે બીજી વખત વિસ્તરણ થયું. 2 કેબિનેટ, 4 રાજ્યમંત્રી અને 2 રાજ્યમંત્રીઓને પ્રમોશન આપીને રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા છે. રાજભવનમાં સૌથી પહેલા ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ શપથ લીધા. ત્યારબાદ સપામાંથી બળવો કરનાર ધારાસભ્ય મનોજ પાંડેએ શપથ લીધા. બંનેને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્રીજા નંબરે અજીત પાલ અને પછી સોમેન્દ્ર તોમરે શપથ લીધા. બંને ધારાસભ્યો પહેલા રાજ્યમંત્રી હતા, હવે તેમને રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ કૃષ્ણા પાસવાન, કૈલાશ રાજપૂત, સુરેન્દ્ર દિલેર અને હંસરાજ વિશ્વકર્માએ શપથ લીધા. ચારેયને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કૃષ્ણા પાસવાન રાધે-રાધેનો પટકો પહેરીને આવ્યા હતા. સુરેન્દ્ર દિલેર ભગવા વસ્ત્રોમાં હતા. કૃષ્ણા પાસવાને શપથ ગ્રહણ પછી જય શ્રી રામના નારા લગાવ્યા. નવા બનનારા મંત્રીઓમાં 1 બ્રાહ્મણ, 3 ઓબીસી અને 2 દલિત વર્ગના છે. ચર્ચા છે કે ભૂપેન્દ્ર ચૌધરીને પીડબ્લ્યુડી વિભાગ આપવામાં આવી શકે છે. જિતિન પ્રસાદ કેન્દ્રમાં મંત્રી બન્યા પછી આ મંત્રાલય યોગી પાસે જ છે.હવે યોગી સરકારમાં મંત્રીઓનો ક્વોટા પૂરો થઈ ગયો છે. કુલ 60 મંત્રીઓ છે. જેમાં 23 કેબિનેટ મંત્રી, 16 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને 21 રાજ્યમંત્રી છે. યોગી મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ 2024માં લોકસભા ચૂંટણી પહેલા 5 માર્ચ, 2024ના રોજ થયું હતું. તસવીરો જુઓ… આ બન્યા મંત્રી… ભૂપેન્દ્ર ચૌધરીએ પહેલા મંત્રીપદના શપથ લીધા.. સપાના બળવાખોર મનોજ પાંડેય મંત્રી બન્યા પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણમાં 4 મંત્રી બનાવયા હતા યોગી 2.0નું પ્રથમ વિસ્તરણ લોકસભા ચૂંટણી- 2024 પહેલાં 5 માર્ચ, 2024ના રોજ થયું હતું. આ દરમિયાન 4 નેતાઓને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમાં સપા સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે આવનારા સુભાસપા પ્રમુખ ઓમપ્રકાશ રાજભર, સપા છોડીને ભાજપમાં જોડાનારા દારા સિંહ ચૌહાણ, રાલોદ ક્વોટામાંથી અનિલ કુમાર અને ભાજપના સુનીલ શર્માને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. અખિલેશે લખ્યું, 9 વર્ષમાં કાંઈ ન કરી શક્યા, તે 9 મહિનામાં શું કરશે?
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈનો જોશ હાઈ, તોફાની બેટિંગ બાદ ઇંગ્લિસ આઉટ:33 બોલમાં 85 રન ફટકાર્યા, લખનઉએ ત્રીજી વિકેટ ગુમાવી
    Next Article
    ’30 runs at strike rate of 300 but…’: Hayden on what Sooryavanshi lacked vs GT

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment