Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારધામ યાત્રામાં પ્રવાસીઓને અધવચ્ચે તરછોડ્યા:વડોદરાના ટ્રાવેલ્સ સંચાલક સામે 6 લાખની છેતરપિંડીનો ગુનો

    1 day ago

    પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામના એક ખેડૂત અને પ્રવાસ આયોજક પાસેથી ચારધામ યાત્રાના પેમેન્ટ પેટે પૂરા ₹15,62,000 મેળવી લીધા બાદ, 48 પ્રવાસીઓને હરિદ્વાર-ઋષિકેશ વચ્ચે અધવચ્ચે તરછોડી દેવા બદલ વડોદરાના ટ્રાવેલ્સ સંચાલક કુલદીપ પંડ્યા વિરુદ્ધ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ બાકીના 9 દિવસના પ્રવાસના ₹6,00,000 ન ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. ફરિયાદી હરેશભાઈ અમરાભાઈ રથવી (ઉંમર 40), રહેવાસી મોટીચંદુર, ખેતીકામ કરે છે અને ગુજરાત રાજ્યમાં પ્રવાસનું આયોજન કરે છે. તેમને રાજ્ય બહારના પ્રવાસનો અનુભવ ન હોવાથી, નવેમ્બર 2023માં ફેસબુક પર ખોડલરાજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, વડોદરાની જાહેરાત જોઈ હતી. તેમણે તેના સંચાલક કુલદીપભાઈ મહેંદ્રભાઈ પંડ્યા (રહે. 507, વૈલ્થ સ્ક્વેર, ગોત્રી રોડ, વડોદરા)નો સંપર્ક કર્યો હતો. શંખેશ્વર તાલુકાના આજુબાજુના ગામના કુલ 48 લોકો ચારધામ યાત્રા માટે તૈયાર થતાં, ફરિયાદી 28 જાન્યુઆરી 2024ના રોજ આરોપીની ઓફિસે ગયા હતા. ત્યાં 48 વ્યક્તિઓના રહેવા, જમવા અને નાસ્તા સાથે 23 દિવસના પ્રવાસના કુલ ₹15,37,000 તથા રજીસ્ટ્રેશન ફીના ₹25,000 મળી કુલ ₹15,62,000 મૌખિક રીતે નક્કી કરવામાં આવ્યા હતા. આ પ્રવાસ 23 મે 2024 થી 14 જૂન 2024 સુધીનો નક્કી થયો હતો. આરોપી કુલદીપ પંડ્યાએ પ્રવાસના એડવાન્સ પેટે ફરિયાદીના ઘરેથી ₹5,80,000 રોકડા મેળવ્યા હતા. ત્યાર બાદ હોટેલ બુકિંગ અને સીધો-સામાન લેવાના બહાને અલગ-અલગ તારીખે ફોન પે, બેંક ઓફ બરોડાના ખાતામાં ઓનલાઈન અને હરિદ્વાર ખાતે રોકડા મળી કુલ ₹15,42,000 મેળવી લીધા હતા. પ્રવાસ દરમિયાન 6 જૂન 2024ના રોજ ચારધામથી ઋષિકેશ આવ્યા બાદ, રસોડાની ગાડીના ભાડા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ આરોપી ગેસના બાટલા ભરવાનું કહીને પ્રવાસીઓને અધવચ્ચે મૂકીને ભાગી ગયો હતો અને સંપર્કવિહોણો થઈ ગયો હતો. આરોપી 23 દિવસના પ્રવાસમાંથી માત્ર 14 દિવસનો પ્રવાસ કરાવી 9 દિવસનો પ્રવાસ અધૂરો મૂકી ભાગી જતાં, ફરિયાદીએ પ્રવાસીઓ સાથે હરિદ્વાર રોકાઈને બાકીનો પ્રવાસ પોતાના ખર્ચે પૂર્ણ કર્યો હતો. જેમાં બસ ભાડું ₹2,12,000 તથા રહેવા-જમવાનો ખર્ચ મળી કુલ ₹6,00,000 ફરિયાદીને ભોગવવા પડ્યા હતા. મોટીચંદુર પરત આવ્યા બાદ મહેસાણા ખાતે આરોપીના સસરા રમેશભાઈ દવેની મધ્યસ્થીથી સમાધાન માટે બેઠક યોજાઈ હતી. જેમાં આરોપીએ ₹1,25,000 આપી સમાધાન કરવા તૈયારી બતાવી હતી, પરંતુ પાછળથી આરોપી અને તેના સસરા ફરી ગયા હતા અને નાણાં આપવાની સાફ ના પાડી દીધી હતી. ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી ₹6,00,000ની છેતરપિંડી આચરવામાં આવી હોવાથી શંખેશ્વર પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘પ્રભુ અમે કરીએ રથ તૈયાર, પેટ્રોલ-ડીઝલ-ગેસના જહાજો લાવો હોર્મુઝ પાર’:રથયાત્રામાં ઈરાન-અમેરિકા યુદ્ધના પોસ્ટર લઈ પહોંચ્યા ભક્તો; ‘નંદીઘોષ’માં બિરાજી જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ
    Next Article
    અમરેલીના નાની ધારીમાં યુવકની હત્યા:પ્રેમલગ્નના મનદુઃખમાં તલવારથી હુમલો, આપોપીઓ ફરાર, 4 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment