Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના નાની ધારીમાં યુવકની હત્યા:પ્રેમલગ્નના મનદુઃખમાં તલવારથી હુમલો, આપોપીઓ ફરાર, 4 સામે ફરિયાદ

    1 day ago

    અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાની ધારી ગામ નજીક બુધવારે સાંજે પ્રેમલગ્નના મનદુઃખને કારણે જીવલેણ હુમલાની ઘટના બની હતી. આ હુમલામાં નાની ધારીના જયરાજભાઈ ઉર્ફે લાલાભાઈ ગોદડભાઈ ધાખડાનું મોત થયું હતું, જ્યારે શક્તિરાજભાઈ અમરૂભાઈ વાળા ઈજાગ્રસ્ત થતાં તેમની સારવાર ચાલી રહી છે. ખાંભા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ગૌતમભાઈ ધીરૂભાઈ વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ઇંગોરાળાથી નાની ધારી તરફ પરત ફરી રહ્યા હતા. તેમની આગળ જયરાજભાઈ પોતાની મોટરસાયકલ પર શક્તિરાજભાઈને બેસાડીને જઈ રહ્યા હતા. ગોવિંદભાઈ મધુભાઈ માંગરોળીયાની વાડી નજીક પાછળથી આવેલી એક સ્વિફ્ટ કારે તેમની બાઈકને ટક્કર મારી હતી, જેના પગલે આ ઘટના બની હતી. કારની ટક્કર બાદ કારમાંથી મયુરભાઈ વલકુભાઈ વરૂ (રહે. કંથારીયા) તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા. ફરિયાદ અનુસાર, આરોપીઓ પાસે તલવાર, કુહાડી અને લોખંડની પાઈપ જેવા હથિયારો હતા. મયુરભાઈએ જયરાજભાઈના માથામાં તલવારના ઘા માર્યા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સોએ પણ હથિયારો વડે હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા શક્તિરાજભાઈને પણ લોખંડની પાઈપથી માર મારવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ “પ્રેમલગ્ન કેમ કર્યા?” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. બનાવ બાદ આરોપીઓ સ્વિફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ અને 112 પોલીસને જાણ કરવામાં આવી હતી. બંને ઈજાગ્રસ્તોને ખાંભા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જયરાજભાઈને મૃત જાહેર કર્યા હતા. શક્તિરાજભાઈની સારવાર ચાલુ છે. મૃતક જયરાજભાઈએ સુર્મિલાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સુર્મિલાબેનની અગાઉ મયુર વલકુભાઈ વરૂ સાથે સગાઈ થઈ હતી. આ મનદુઃખના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મયુરભાઈ વલકુભાઈ વરૂ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ખાંભા પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાના પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચારધામ યાત્રામાં પ્રવાસીઓને અધવચ્ચે તરછોડ્યા:વડોદરાના ટ્રાવેલ્સ સંચાલક સામે 6 લાખની છેતરપિંડીનો ગુનો
    Next Article
    પાટણમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા:વહેલી સવારે મંગળા આરતી, પહીંદ વિધિ યોજાઈ; ભગવાન નગરચર્યાએ નીકળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment