Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કમળ' છોડી 'ઝાડુ' પકડનારા બે નેતા સામે ભાજપની લાલ આંખ:શહેર પ્રમુખ પરેશ પટેલે શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

    2 weeks ago

    સુરતની રાજનીતિમાં અત્યારે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય જનતા પાર્ટીએ તેના બે મુખ્ય કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. મહત્વની વાત એ છે કે, આ બંને કાર્યકર્તાઓ હવે ભાજપમાં નથી રહ્યા પરંતુ 'આમ આદમી પાર્ટી'ના સત્તાવાર ઉમેદવાર બની ચૂક્યા છે. પક્ષ વિરુદ્ધ જઈને અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવાનું નક્કી કરતા, સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે આ બંનેને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્યપદ સહિત તમામ જવાબદારીઓ પરથી આગામી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલ AAPમાં જોડાયા ભાજપ દ્વારા જે બે નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમાં સુરત ભાજપના પાયાના કાર્યકરોનો સમાવેશ થાય છે. જેમાં વોર્ડ નંબર એકના શહેર કારોબારી સભ્ય શર્મિષ્ઠાબેન વરીયા અને વોર્ડ નંબર 30 ના યુવા મોરચાના મંત્રી ધ્રુમિલ પંચાલ સામેલ છે. આ બંને નેતાઓ લાંબા સમયથી કેસરીયા બ્રિગેડ સાથે જોડાયેલા હતા, પરંતુ ટિકિટની વહેંચણીમાં અન્યાય થયાની લાગણી અનુભવતા તેઓએ રાતોરાત પક્ષ પલટો કરી વિરોધી છાવણીમાં આશરો લીધો છે. વોર્ડ નં. 1 અને 29માંથી AAPના બેનર હેઠળ ચૂંટણી લડશે આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ એ છે કે ધ્રુમિલ પંચાલ હાલમાં ભાજપ છોડીને આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 29ના ઉમેદવાર બની ગયા છે. તેવી જ રીતે, શર્મિષ્ઠાબેન વરિયા પણ વોર્ડ નં. 1થી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પક્ષ વિરુદ્ધ ગતિવિધિ કરવા અને શિસ્તનો ભંગ કરવા બદલ સુરત ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ દ્વારા આ બંનેના સસ્પેન્શન ઓર્ડર પર મહોર મારવામાં આવી છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા 'આપ'માં જઈને મૂરતિયા બન્યા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક રીતે ટિકિટ માટે મોટો ધસારો હતો. જ્યારે પક્ષ દ્વારા આ બંને કાર્યકર્તાઓને ઉમેદવારી તક ન આપવામાં આવી, ત્યારે તેઓએ બગાવતના સૂર છેડ્યા હતા. પક્ષ પ્રત્યેની વફાદારી બાજુ પર મૂકીને બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા અને તરત જ ત્યાંથી ઉમેદવારી પણ મેળવી લીધી હતી. ભાજપે આ વર્તનને પક્ષ સાથેની ગદ્દારી ગણીને સજાના ભાગરૂપે તેમને પક્ષની બહારનો રસ્તો બતાવ્યો છે. શર્મિષ્ઠાબેને રાજીનામું આપ્યું, પણ ધ્રુમિલે હજુ પદ નહોતું છોડ્યું ઘટનાક્રમ મુજબ, ઉમેદવારી મળ્યા બાદ 10 એપ્રિલના રોજ શર્મિષ્ઠા બેને ભારતીય જનતા પાર્ટીમાંથી વિધિવત રીતે રાજીનામું આપી દીધું હતું. જોકે, અન્ય કાર્યકર્તા અને હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધ્રુમિલ પંચાલ અંગે ભાજપના સૂત્રોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધ્રુમિલે ઉમેદવારી પત્ર ભરી દીધું હોવા છતાં અત્યાર સુધી ભાજપમાંથી ટેકનિકલી રાજીનામું આપ્યું નહોતું, જેને કારણે પક્ષે તેમને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. ધ્રુમિલ પંચાલની જગ્યાએ 'ધ્રુમિલ પટેલ' લખવામાં આવ્યું જોકે, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સસ્પેન્શન લેટર બહાર પાડવામાં આવ્યો હતો, તેમાં પણ ભૂલ જોવા મળી હતી. લેટરમાં ધ્રુમિલ પંચાલની જગ્યાએ 'ધ્રુમિલ પટેલ' લખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં. 30ના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મંત્રી હવે આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નં. 29ના ઉમેદવાર બની ગયા છે. ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલનું કડક વલણ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ બંને નેતાઓ પક્ષમાં મુખ્ય પદ પર હોવા છતાં તેઓએ પક્ષ વિરોધી ગતિવિધિઓ કરી છે. તેઓ અત્યારે અન્ય રાજકીય પક્ષના સત્તાવાર ઉમેદવાર હોવાથી તેમને ભાજપમાં રાખવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. આ નિર્ણયથી ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈપણ વ્યક્તિને સાંખી લેવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    સાગબારામાં LCBએ 1.47 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે બુટલેગર ઝડપાયો
    Next Article
    બિહારની બોગસ ડિગ્રીના આધારે ડોક્ટર બની ગયેલા શખસને કોર્ટની નોટિસ:લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 3 વર્ષની જેલ ફટકારી, વર્ષ 2008માં થઈ હતી ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment