Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ:6 થી 11 એપ્રિલ સુધી નોંધણી, 15 એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે

    19 hours ago

    ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખોની જાહેરાત બાદ, આજે 6 એપ્રિલથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો, જિલ્લાની 4 નગરપાલિકાઓની 132 બેઠકો અને 9 તાલુકા પંચાયતોની 182 બેઠકો માટે ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરી શકશે. નગરપાલિકાના ઉમેદવારીપત્રો મેળવવા અને ભરવા માટે ભરૂચ કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલી પ્રાંત કચેરી ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 13 એપ્રિલે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રાખવામાં આવી છે. રાજકીય દૃશ્ય પર નજર કરીએ તો, આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, ભાજપ અને કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો દ્વારા હજુ ઉમેદવારોના નામોની જાહેરાત બાકી છે. આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં ઉમેદવારીપત્રો લેવા અને ભરવા માટે ભારે ગતિવિધિ જોવા મળશે તેવી સંભાવના છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    BJPનો સ્થાપના દિવસ, PM મોદીએ કહ્યું-ભાજપ દરેક પડકાર માટે તૈયાર:CM યોગીએ પાર્ટીના ઝંડા સાથે સેલ્ફી લીધી, MPમાં 17 નવી ઓફિસોનું ભૂમિપૂજન
    Next Article
    સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની નવી સ્ટ્રેટેજી:50%થી વધુ નવા ચહેરા, ઝોન-વોર્ડ વાઈઝ મંથન તેજ; પાર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસીય બેઠકથી અંતિમ મહોર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment