Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મતગણતરીના દિવસે 'ડ્રાય ડે' જાહેર:જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ.સોલંકીએ જાહેરનામું બહાર પાડ્યું, સવારના 6 કલાકથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી અમલી

    14 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ મતગણતરીના દિવસે 'ડ્રાય ડે' અને મતગણતરી કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જાહેરનામા અનુસાર, તા. 28/4/2026ના રોજ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 'ડ્રાય ડે' રહેશે. મુંબઈ નશાબંધી અધિનિયમ-1949ની કલમ-142 હેઠળ આ દિવસે તમામ હોટલ, ભોજનાલય, વીશી, દુકાન કે કોઈપણ ખાનગી અથવા જાહેર સ્થળે માદક દ્રવ્યો કે દારૂના વેચાણ, આદાન-પ્રદાન અથવા વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 અને નશાબંધી ધારા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ મતગણતરી કેન્દ્રોની 200 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધાત્મક આદેશો ફરમાવ્યા છે. આ આદેશો તા. 28/4/2026ના રોજ સવારના 6 કલાકથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી અમલમાં રહેશે. આ વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. સભા ભરવા, સંબોધન કરવા કે સરઘસ કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વાહનો લઈ જવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ માચિસ, લાઈટર, ગેસ લાઈટર કે અન્ય કોઈપણ સળગાવી શકાય તેવા પદાર્થો સાથે રાખવા પર પણ પ્રતિબંધ છે. આ જાહેરનામું ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર, ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ/કર્મચારીઓ, ચૂંટણી ફરજ પરના વાહનો અને ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે પોલીસ અધિક્ષક દ્વારા અધિકૃત કરાયેલી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર કે વ્યક્તિ દ્વારા ઉક્ત હુકમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાપાત્ર કાર્યવાહી કરવામાં આવશે. -સુરેન્દ્રનગર જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ : જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી-2026ની પ્રક્રિયાને અંતિમ તબક્કા સુધી પારદર્શક અને સુરક્ષિત રાખવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મતદાન બાદની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી મતગણતરી દરમિયાન કોઈ અવરોધ ન આવે અને પરિણામોની ગુપ્તતા તેમજ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ.સોલંકી દ્વારા મતગણતરી કેન્દ્રો પર ઇલેક્ટ્રોનિક સાધનોના વપરાશ અંગે પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. જાહેરનામાની વિગતો અનુસાર, આગામી તા.28/4/2026ના રોજ યોજાનારી મતગણતરીના દિવસે કોઈપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રની અંદર કે તેની આસપાસના કોર્ડન કરવામાં આવેલા વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, બ્લૂટૂથ, પેન કેમેરા કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તેવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરી શકશે નહીં. મતગણતરી પ્રક્રિયામાં સંકળાયેલા ઉમેદવારોના પ્રતિનિધિઓ કે અન્ય કોઈપણ ખાનગી વ્યક્તિ માટે પણ આ નિયમ કડક રીતે લાગુ પડશે. આ પ્રતિબંધમાંથી માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા ફરજ પરના પોલીસ અધિકારીઓ, વહીવટી કર્મચારીઓ તેમજ ચૂંટણી પંચ દ્વારા જેમને ખાસ અધિકૃત કરવામાં આવ્યા હોય તેવા સ્ટાફને જ મુક્તિ આપવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ આ હુકમનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS)ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી કડક સજા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતની ‘વોટ સ્પેશિયલ’ ટ્રેન બંગાળના રાજકારણમાં ગરમાવો લાવશે?:આ વખતે બંગાળમાં શાસન બદલવા અમે મક્કમ: મુસાફર, ત્રણ ટ્રેનમાં હજારોની સંખ્યામાં મતદારો વતન રવાના
    Next Article
    Ahmedabad Sthanik Swaraj Election News | અમદાવાદમાં બે સ્થાનો પર થશે મતગણતરી| Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment