Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દર્દીના સંબંધીઓ માટે રહેવા-ખાવાની વ્યવસ્થા નજીવા દરે ઉપલબ્ધ:6 મુખ્ય હોસ્પિટલોમાં ધર્મશાળા માટે ગુજરાતની સંસ્થાને જગ્યા અપાશે

    7 hours ago

    રાજ્યની છ મુખ્ય સરકારી હોસ્પિટલોમાં ધર્મશાળા/વિશ્રામગૃહ ઊભા કરવા ગુજરાતના અમદાવાદ ખાતેની સેવાદાન આરોગ્ય ફાઉન્ડેશનને જગ્યા આપવાનો નિર્ણય મહાયુતિ સરકારે લીધો છે. આ જગ્યા પર સંસ્થા તરફથી દર્દીઓના સગાસંબંધીઓ માટે રહેવાની, ભોજનની વ્યવસ્થા સહિત સ્વચ્છતાગૃહ ન નફો ન ખોટના ધોરણે ઉપલબ્ધ કરી આપવામાં આવશે. મુંબઈની જે.જે. હોસ્પિટલ, નાગપુર અને છત્રપતિ સંભાજીનગર ખાતે સરકારી અને મેડિકલ કોલેજ, પુણેની બી.જે. મેડિકલ કોલેજ અને સસૂન હોસ્પિટલ, યવતમાળ ખાતેના વસંતરાવ નાઈક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા કોલ્હાપુરની છત્રપતિ પ્રમિલારાજે સર્વોપચાર હોસ્પિટલના પરિસરમાં ધર્મશાળા ઊભી કરવામાં આવશે. આ પહેલાં પણ સેવાદાન આરોગ્ય ફાઉન્ડેશનને ગુજરાત, ઉત્તરપ્રદેશ, આસામ, ઉતરાખંડ, છતીસગડ અને રાજસ્થાન જેવા રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીના સગાસંબંધીઓ માટે ધર્મશાળા, વિશ્રાંતીગૃહ બાંધવા જગ્યા આપવામાં આવી છે. એ જ પ્રમાણે મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલોમાં ધર્મશાળા અને વિશ્રાંતીગૃહ ઊભા કરવામાં આવશે. ધર્મશાળામાં સુવિધાઓ ફક્ત સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સગાસંબંધીઓને જ આપવામાં આવશે. જગ્યાનો બીજો કોઈ વ્યવસાયિક કે ખાનગી હેતુ માટે વપરાશ કરી શકાશે નહીં એવી સ્પષ્ટ શરત સરકારે મૂકી છે. ધર્મશાળાનું બાંધકામ, નાણાભંડોળ, સુસજ્જકરણ, સંચાલન, દેખભાળ, સ્વચ્છતાષ સુરક્ષા, મનુષ્યબળ, વીમો અને જરૂરી પરવાનગીઓની સંપૂર્ણ જવાબદારી પૂર્ણપણે સેવાદાન આરોગ્ય ફાઉન્ડેશન પર સોંપવામાં આવી છે. સરકાર તરફથી જમીન ઉપલબ્ધ કરી આપવી અને જરૂરી પ્રશાસકીય સહકાર્ય કરવામાં આવશે. તમામ જરૂરી પરવાનગીઓ મળ્યા પછી બે વર્ષમાં ધર્મશાળાનું બાંધકામ પૂરું કરીને એ શરૂ કરવી સંસ્થા માટે ફરજિયાત રહેશે. એમઓયુ પછી ત્રણ મહિનાની અંદર વિગતવાર પ્રકલ્પ રૂપરેખા સરકાર પાસે મંજૂરી માટે રજૂ કરવાની રહેશે. દરેક પ્રકલ્પ માટે જિલ્લાધિકારીની અધ્યક્ષતા હેઠળની સંયુક્ત વ્યવસ્થાપન સમિતી સ્થાપવામાં આવશે. પ્રકલ્પની પ્રગતિ, સુવિધા, શુલ્ક, ફરિયાદ નિવારણ, અગ્નિસુરક્ષા, સ્ટ્રકચરલ સુરક્ષા, અને સરકારની શરતોનું પાલન જેવી બાબત પર આ સમિતી નિયમિત દેખરેખ રાખશે.
    Click here to Read More
    Previous Article
    ખરા અર્થમાં મેહુલિયો ગાજ્યો:ગુજરાતી ભાષા ભવન હવે ‘દિનકર જોષી ગુજરાતી ભાષા ભવન’
    Next Article
    સમુદ્ર પ્રદક્ષિણા' નવા ભારતના સંકલ્પ:25,500 દરિયાઈ માઇલની 314 દિવસની સફર કર્યા પછી નેવીની 9 મહિલા અધિકારીની વાપસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment