Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:5.6 કરોડ વર્ષ પહેલાં કચ્છ ગરમ જંગલ હતું; ખારાશ અને ખુશ્કી વચ્ચે ધબકતી વન્ય સૃષ્ટિ, સાડા પાંચ કરોડ વર્ષ પૂર્વે વ્હેલનો વસવાટ હતો!

    10 hours ago

    વિશ્વ આખુંય આજે વિશ્વ વન દિવસ ઉજવી રહ્યું છે, પણ તાજેતરના સંશોધનમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે કે, પેલિયોજીન અને નિયોજીન યુગ દરમિયાનના દરિયાઈ અને જમીની જીવસૃષ્ટિના ફેરફારો થયા ત્યારે કચ્છનું પેસિવ કોન્ટિનેન્ટલ સેટિંગ પ્રાચીન સમયમાં અનેક જીવોના સંવર્ધન માટે આદર્શ રહ્યું છે. અભ્યાસ મુજબ, પેલિયોજીન જેમાં પણ ખાસ કરીને ઇઓસીન યુગ એટલે આજથી અંદાજિત 5.6 કરોડ વર્ષ પહેલા કચ્છ એક અલગ અને ગરમ ઉષ્ણકટિબંધીય જંગલ જેવું વાતાવરણ ધરાવતું હતું. અહીં મધ્ય ઇઓસીન સમયના પ્રખ્યાત આર્કિયોસેટ આદિમ વ્હેલ અને વિશાળ સંખ્યામાં માઇક્રોફોસિલ્સ જોવા મળ્યા છે. આ સમયની જીવસૃષ્ટિ મુખ્યત્વે ભારતીય ઉપખંડ પૂરતી મર્યાદિત હતી. બીજી તરફ, નિયોજીન માયોસીન યુગ માં મોટો બદલાવ જોવા મળ્યો.આ સમયગાળામાં ઉત્તર આફ્રિકા, એફ્રો-અરેબિયા અને તિબેટ તરફથી નવા જીવોનું સ્થળાંતર થયું. આ જીવોમાં ગોમપોથેરિયમ અને બ્રેકીપોથેરિયમ જેવા ભૂમિચર પ્રાણીઓનો સમાવેશ થાય છે. સંશોધન દર્શાવે છે કે, સમય જતાં કચ્છનું વાતાવરણ ઠંડું અને સૂકું બન્યું હતું, અને દરિયાઈ જીવો ખાડી જેવા વાતાવરણમાં અનુકૂલિત થયા હતા. આજે આપણે ભલે ક્લાઈમેટ ચેન્જની ચર્ચાઓ કરતા હોઈએ છીએ, પણ હકીકત એ છે કે કચ્છમાં પેલિયોજીન યુગના જીવો આદિમ અને સ્થાનિક હતા, જ્યારે નિયોજીન યુગમાં જટિલ અને આધુનિક પ્રજાતિઓના પૂર્વજો જોવા મળે છે, જે બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં સક્ષમ હતા. આ સંશોધન ઇન્ડિયન સ્ટેટીસ્ટીકેલ ઇન્સ્ટિટ્યૂટના ઉજન કર્મકાર દ્વારા હાથ ધરાયુ હતું. દરિયાઇ વિસ્તારમાં ચેરિયાના જંગલો કચ્છની ઢાલ છે કચ્છના વન પ્રદેશને મુખ્યત્વે ત્રણ શ્રેણીમાં વહેંચી શકાય છે, જે પ્રત્યેકની પોતાની આગવી વિશેષતા છે. સૌથી મહત્વનું પાસું દરિયાકાંઠાના મેન્ગ્રોવ્સ અથવા ચેરના જંગલો છે. કચ્છના અખાત અને ક્રીક વિસ્તારોમાં ફેલાયેલા આ જંગલો ભારતમાં પશ્ચિમ કિનારાના સૌથી મોટા મેન્ગ્રોવ પટ્ટા તરીકે ઓળખાય છે. આ જંગલો સમુદ્રી જીવો માટે સંવર્ધન કેન્દ્ર સમાન છે અને દરિયાઈ ધોવાણને અટકાવવામાં કુદરતી દીવાલની ભૂમિકા ભજવે છે. બન્ની ; કચ્છનું પોતાનું સવાના જંગલ બન્ની જેવા ઘાસિયા મેદાનોમાં દેશી ઘાસની વિવિધ પ્રજાતિઓ જેવી કે ‘ધામણ’ અને ‘શીયાળપૂંછ’ જોવા મળે છે. જોકે, છેલ્લા કેટલાક દાયકાઓથી ગાંડા બાવળના ફેલાવાને કારણે આ નિવસનતંત્રમાં મોટા ફેરફારો આવ્યા છે. તેમ છતાં, આ વિસ્તાર હજુ પશુપાલન આધારિત અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે. ડુંગરાળ પ્રદેશ વન્યજીવોનું સોફ્ટ હોમ રણની સરહદે આવેલા કાંટાળા જંગલો ત્રીજો મહત્વનો પ્રકાર છે. અહીં ખીજડો, ગોરડ, થોર અને કિંમતી ગૂગળ જેવી વનસ્પતિઓ મુખ્ય છે. ગૂગળ જેવી વનસ્પતિ તેની આયુર્વેદિક અને આર્થિક કિંમતને કારણે અત્યંત મહત્વની છે. ઘોરાડથી લઈને સુરખાબનું પિયર એટલે કચ્છ કચ્છનું નાનું રણ ઘુડખરનું એકમાત્ર નિવાસસ્થાન છે. આ ઉપરાંત, રણ પ્રદેશની લોમડી, ચિંકારા અને લુપ્ત થવાને આરે રહેલું ઘોરાડ પક્ષી આ જ કાંટાળા અને ઘાસિયા જંગલોમાં આશરો લે છે. મોટા રણના અંદરના ભાગમાં આવેલું ‘ફ્લેમિંગો સિટી’ હજારો હંજ પક્ષીઓ માટે પ્રજનનનું સુરક્ષિત સ્થાન પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    શુભેચ્છા મુલાકાત:રાજ્યમંત્રીએ કોટેશ્વરમાં ફરજ બજાવતા બીએસએફ જવાનો સાથે કરી મુલાકાત
    Next Article
    High-level committee meeting: Govt asks WhatsApp to block device IDs used in digital arrest scams

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment