Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ રામી માળી જ્ઞાતિનો 56મો સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓ અને જનપ્રતિનિધિનું સી.યુ.શાહ મેડિકલ હોલ ખાતે સન્માન કરાયું

    1 सप्ताह पहले

    વઢવાણ રામી માળી જ્ઞાતિ કેળવણી મંડળ દ્વારા 56મો સરસ્વતી વંદના કાર્યક્રમ સીયુશાહ મેડિકલ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને સમાજના ચૂંટાયેલા જનપ્રતિનિધિનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 12ની ચૂંટણીમાં વિજેતા બનેલા માળી સમાજના નેહલબેન રાજેશભાઈ હળવદીયાનું વિશેષ સન્માન કરાયું હતું. આ ઉપરાંત, ધોરણ 8 થી 12માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ અને કોલેજમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેમાનો તરીકે કિશોરભાઈ ધોળકીયા, સુરેશભાઈ બરોલીયા, શંકરભાઈ ધોળકીયા, રાજેશભાઈ હળવદીયા, અશોકભાઈ રામી, અંજનાબેન ખોખર સહિત વઢવાણ રામી માળી જ્ઞાતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કેળવણી મંડળ છેલ્લા 56 વર્ષથી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કાર્યરત છે. આ કાર્યક્રમનું સંચાલન કેળવણી મંડળના પ્રમુખ અજયભાઈ હળવદીયા, મંત્રી જયભાઈ અમરકોટી અને સંગઠન મંત્રી ધનસુખભાઈ બરોલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    JEE એડવાન્સ 2026નું પરિણામ જાહેર:સુરતમાંથી શૌર્ય ખેમકા સિટી ટોપર, રાષ્ટ્રીય સ્તરે એલન ઇન્સ્ટિટ્યૂટનો ઐતિહાસિક દબદબો
    Next Article
    Veteran producer TP Aggarwal challenges film body’s ‘ban’ on Ranveer Singh in court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment