Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આખું વર્ષ આદિ કૈલાસ યાત્રા ચલાવવાની તૈયારી:550 નવા હોમસ્ટે તૈયાર, PM મોદીએ કહ્યું હતું કે- એટલી ભીડ આવશે કે સંભાળવી મુશ્કેલ બનશે

    2 days ago

    ઉત્તરાખંડ સરકાર આદિ કૈલાસ યાત્રા આખું વર્ષ ચલાવવાની તૈયારીમાં છે. આ માટે પિથોરાગઢ પ્રશાસને સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. હાલમાં ખરાબ હવામાનને કારણે યાત્રા રોકવામાં આવી છે, જેને 15 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે. 1 મેથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં 52 હજારથી વધુ લોકોએ દર્શન કર્યા છે. ડીએમ આશિષ ભટગાંઈએ જણાવ્યું કે જો બધું બરાબર રહ્યું તો આ વર્ષે જ તેને આખું વર્ષ ચાલુ કરી શકાય છે. આને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં 550 થી વધુ નવા હોમસ્ટે બનાવવામાં આવ્યા છે. આદિ કૈલાસમાં હાલમાં મોબાઇલ નેટવર્કમાં થોડી મુશ્કેલીઓ આવે છે, જેના માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ત્યાં ફક્ત BSNL અને જિયોના નેટવર્ક આવે છે. બાકીની કંપનીઓનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ 2023માં આદિ કૈલાસના દર્શન કર્યા હતા. ત્યારથી આ યાત્રાને આખું વર્ષ ચલાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. આ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે. ચાર વર્ષ પહેલાં સુધી અહીં ફક્ત બે હજાર યાત્રીઓ આવતા હતા, જેમની સંખ્યા હવે વધીને 25 ગણી થઈ ગઈ છે. ઓક્ટોબર 2023માં પીએમ મોદીએ આદિ કૈલાસમાં ધ્યાન ધર્યું હતું ઓક્ટોબર 2023માં પીએમ નરેન્દ્ર મોદીએ આદિ કૈલાસના દર્શન કર્યા હતા. ત્યારબાદ પિથોરાગઢમાં આયોજિત જનસભામાં તેમણે કહ્યું હતું, "હમણાંથી જ તૈયારી કરી લો, આવતા વર્ષે એટલી ભીડ આવશે કે સંભાળવી મુશ્કેલ બનશે." તેમનું આ અનુમાન સાચું સાબિત થયું. મોદીના પ્રવાસ પછી આ ક્ષેત્ર રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું અને શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધતી ગઈ. DM આશિષ ભટગાંઈએ જણાવ્યું કે જો હવામાન અને વ્યવસ્થા અનુકૂળ રહેશે તો આ વર્ષે યાત્રાને આખું વર્ષ ચલાવવાની દિશામાં પગલાં લેવામાં આવશે. કૈલાશ માનસરોવર અને આદિ કૈલાશ યાત્રાનું સંચાલણ સંકલન સાથે કરવામાં આવશે, જેથી બંને યાત્રાઓ સુચારુ રૂપે ચાલી શકે. પહેલા 100 કિમી પગપાળા, હવે એક દિવસમાં દર્શન થોડા વર્ષો પહેલા સુધી આદિ કૈલાસ પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું. યાત્રીઓને તવાઘાટથી લગભગ 100 કિલોમીટર પગપાળા યાત્રા કરવી પડતી હતી અને આખી યાત્રામાં લગભગ 7 દિવસ લાગતા હતા. 2018માં રસ્તો બન્યા પછી હવે શ્રદ્ધાળુઓ ધારચુલાથી વાહન દ્વારા એક દિવસમાં આદિ કૈલાસ પહોંચીને દર્શન કરી રહ્યા છે અને બીજા દિવસે ઓમ પર્વતના દર્શન કરીને પાછા ફરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સંજીદા શેખ અને હર્ષવર્ધન રાણેએ રિલેશનશિપ કન્ફર્મ કર્યું!:પુણેના રિસોર્ટમાં સાથે સમય વિતાવ્યો, ફોટોથી ખુલાસો; 2022માં આમિર અલીથી છૂટાછેડા લીધા હતા
    Next Article
    સુરતમાં ભાજપ નેતાઓની મારામારીમાં 'મેચ ફિક્સિંગ':પ્રદેશ મહામંત્રી કોરાટ દોડી આવ્યા, બંધ બારણે સમાધાનની સ્ક્રિપ્ટ લખી, ચારેયની FB પર તસવીર પોસ્ટ થતા જ યુઝર્સ તૂટી પડ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment