Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5.50 તોલાના સોનાના દાગીનાની ચોરી:પોરબંદરમાં વાઘેશ્વરી પ્લોટમાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર મકાનમાં તસ્કર ત્રાટક્યા

    2 days ago

    પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં ઠાકોરદ્વાર એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા એક વૃધ્ધાના મકાનમાં તસ્કરોએ કળા કરી હતી. કબાટ માંથી રૂ.5.50 લાખના સોનાના દાગીનાની ચોરી કરી લઈ જતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં ઠાકોરદ્વાર એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મકાનમાં રહેતા જયશ્રીબેન પ્રવીણભાઈ પરમાર નામના વૃધ્ધા હાલી ચાલી શકતા નથી. આ વૃધ્ધાના મકાનમાં તા.10/4 થી તા.24/4 દરમ્યાન તસ્કરોએ કળા કરી હતી. વૃધ્ધના મકાનમાં રહેલ કબાટ માંથી વૃધ્ધાના 5.50 તોલાના સોનાના દાગીના અંદાજી કિંમત રૂ.5.50 લાખના દાગીના ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી કમલાબાગ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વૃધ્ધાએ કોઈ પર શંકા દર્શાવી નહીં રાતડી ગામે રહેતા રામભાઈ સૂકાભાઈ કેશવાલાએ આ વૃધ્ધાને પોતાની માતા માનેલા હોય અને તેની ખબર અંતર પૂછવા પોરબંદર આવ્યા હતા ત્યારે કામવાળા બેનને પગાર આપવા કબાટ ખોલ્યો હતો ત્યારે આ વાત સામે આવી હતી. બનાવના અઠવાડિયા પહેલા વૃધ્ધા પડી ગયા હતા જેથી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો રાખતા હતા અને સગા સબંધીઓ આવતા હતા. જોકે કોઈ પર વૃધ્ધાએ શંકા જતાવી નથી.
    Click here to Read More
    Previous Article
    દુર્ઘટના:લેડી હોસ્પિટલની ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી
    Next Article
    સૌથી વધુ વોર્ડ નં.11માં નાટોના મતો:શહેરમાં 4,064 મતદારોને એક પણ ઉમેદવાર ન ગમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment