Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય આરોપીનું મોત:પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરવામાં આવી હતી, ખેંચ અને ચક્કર આવ્યા બાદ સારવાર મળે તે પહેલા પ્રાણ પંખેરું ઉડી ગયું

    1 day ago

    સુરત શહેરમાંથી કસ્ટોડિયલ ડેથની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પોલીસ મથકની કસ્ટડીમાં રહેલા એક 22 વર્ષીય આરોપીનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં પોલીસ બેડા સહિત સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દારૂ પીધેલાના ગુનામાં પકડાયેલા આ યુવકને મોડી રાત્રે લોકઅપમાં અચાનક ખેંચ આવી હતી અને બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રોહિબિશનના ગુનામાં લવાયો હતો પોલીસ સ્ટેશન મળતી માહિતી મુજબ, પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રોજ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ૨૨ વર્ષીય રણજીત નામના યુવકની દારૂ પીધેલી હાલતમાં અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેને લોકઅપમાં બંધ કરવામાં આવ્યો હતો. જો કે, લોકઅપમાં બંધ થયાના ગણતરીના કલાકોમાં જ આ કમનસીબ ઘટના ઘટી હતી. સારવાર મળે તે પહેલા જ તબીબોએ મૃત જાહેર કર્યો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે આરોપી રણજીત લોકઅપની અંદર અચાનક ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. લોકઅપમાં હાજર અન્ય લોકો અને ફરજ પરના પોલીસકર્મીઓની નજર પડતાં જ તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી. યુવકની ગંભીર સ્થિતિને જોતા પોલીસ પ્રોટોકોલ હેઠળ તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ખેંચ આવવાનું પ્રાથમિક અનુમાન, પીએમ રિપોર્ટની રાહ આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે. પ્રાથમિક તબીબી તપાસ અને પોલીસના અનુમાન મુજબ, યુવકને લોકઅપમાં અચાનક ખેંચ આવી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે. જો કે, કસ્ટડીમાં મોતના મામલે પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. મૃતક સાથે ચાર લોકોને દારૂ પીધેલા હોવાથી લઈ ગયા હતા નારાયણ ગિરી (મૃતકના કાકા) એ જણાવ્યું હતું કે મૃતક રંજીતગિરી (ઉંમર 22 વર્ષ) મજૂરી કામ કરતો હતો. નારાયણ ગિરીના જણાવ્યા અનુસાર, પોલીસ તેમના ભત્રીજા સહિત આશરે ચાર લોકોને પોલીસ ચોકી પર લઈ ગઈ હતી. પોલીસના કહેવા મુજબ ભોગ બનનાર વ્યક્તિએ દારૂ પીધો હતો. તેમને સવારે જાણ થઈ કે તેમનો ભત્રીજો પોલીસ ચોકીમાં છે, ત્યારબાદ પોલીસ દ્વારા કાગળિયા અને લખાણની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. મૃતદેહ જોતા પ્રથમ દ્રષ્ટિએ કોઈ મારપીટ થઈ હોય તેવું લાગતું નથી: કાકા હોસ્પિટલમાં સારવાર દરમિયાન 1 વાગ્યાની આસપાસ ભત્રીજાનું મૃત્યુ થયું હોવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. પોલીસે તેમને એક વીડિયો પણ બતાવ્યો હતો, જેમાં ભત્રીજાને ચક્કર આવ્યા હોય અને તે તરફડિયા મારતો હોય તેમ દેખાતું હતું. પોલીસે મૃત્યુનું કારણ દારૂ પીવાના કારણે ખેંચની બીમારી ગણાવ્યું છે. મૃતદેહ જોતા પ્રથમ દ્રષ્ટિએ કોઈ મારપીટ થઈ હોય તેવું લાગતું નથી, પરંતુ કમરના ભાગે સામાન્ય થોડા ખરોચ જોવા મળ્યા છે. મૃતક વોટર બોટલના ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો ઝેડ આર દેસાઈ (એસીપી) એ જણાવ્યું હતું કે, ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબિશનના કાયદા હેઠળ એક કાર્યવાહી કરવામાં આવી હતી, આ મામલામાં એક વ્યક્તિને પીધેલી હાલતમાં પકડવામાં આવ્યો હતો. શરૂઆતમાં પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ રણજીત શેખર પટેલ જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ ઝીણવટભરી તપાસ કરતા તેનું સાચું નામ રણજીત ચંદ્રશેખર ગીરી હોવાનું બહાર આવ્યું હતું. તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. તેના પિતાજી ચેન્નાઈ ખાતે રહે છે અને હાલમાં તેનું પાલનપોષણ તેના કાકા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આર.ઓ. વોટર બોટલના ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. તે અગાઉ એક વર્ષ વતનમાં રહ્યો હતો અને છેલ્લા સાત-આઠ દિવસથી જ અહીં પરત આવીને કામ શરૂ કર્યું હતું. અચાનક જ ચક્કર ખાઈને બેભાન થઈ ઢળી પડ્યો ગઈકાલે સાંજે પંચનામું પૂરું થયા બાદ, સાંજે 7:00 વાગ્યે આ ઇસમની વિધિવત ધરપકડ (અટક) કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે આશરે 12:30 વાગ્યે તેને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી ત્યારે તે બૂમો પાડતા લોકઅપમાંથી બહાર આવ્યો હતો અને અચાનક જ ચક્કર ખાઈને બેભાન થઈ ઢળી પડ્યો હતો. પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક તેને સીપીઆર (CPR) આપી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. 108ની ટીમ સમયસર આવી પહોંચતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેની સ્થિતિમાં કોઈ સુધારો ન જણાતા તેને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ પ્રાથમિક તપાસ કરીને અંદાજિત રાત્રે સવા એક (01:15) વાગ્યે તેને મૃત જાહેર કર્યો હતો. ભૂતકાળની બીમારી અને કસ્ટોડિયલ ડેથ થઈ આ બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતકના સગા વહાલા - તેની માતા, કાકા અને બહેનને બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. તેની માતાએ જણાવ્યું હતું કે બે-ત્રણ દિવસ પહેલા જ તેને ઘરે ખેંચ આવી હતી, અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ સમજાવ્યો હતો, પરંતુ મૃતકે સારવાર લેવાની ના પાડી દીધી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ખેંચ આવવાની તકલીફના કારણે જ તેનું મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટના પોલીસ કસ્ટડી દરમિયાન બની હોવાથી આ એક કસ્ટોડિયલ ડેથ છે. હાલમાં પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા મૃતદેહનું પીએમ કરાવવાની તજવીજ ચાલી રહી છે. પોલીસ દ્વારા બનાવની રાત્રે જ પરિવારને જાણ કરી દેવામાં આવી હતી અને સવારે 6 વાગ્યે તેમનો પરિવાર પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ:જીગ્નેશ દાદા 'રાધે રાધે' વ્યાસપીઠ પર, ચગ પરિવાર યજમાન
    Next Article
    સુરતમાં સાતમા માળે જીવ સટોસટીનો ખેલ, VIDEO:ફ્લેટનો દરવાજો બંધ કરી યુવકે ઝેરી દવા ગટગટાવી, બારીમાંથી કૂદી પોલીસે જીવ બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment