Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના છાપરિયામાં રામજી મંદિરેથી પ્રભાત ફેરી શરૂ:અધિક જેઠ માસમાં 52 વર્ષીય શ્રાવણ માસની પરંપરા જળવાઈ

    8 hours ago

    હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા રામજી મંદિરેથી અધિક જેઠ માસની અમાસના દિવસે પરંપરાગત પ્રભાત ફેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રભાત ફેરી 52 વર્ષથી ચાલી આવતી શ્રાવણ માસની પરંપરાનો એક ભાગ છે, જે આ વર્ષે અધિક જેઠ માસમાં યોજાઈ હતી. છાપરિયા વિસ્તારમાં છેલ્લા 52 વર્ષથી દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક રહીશો દ્વારા આ પરંપરા આજે પણ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક જાળવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ રૂઢિગત પરંપરાને આગળ ધપાવતા વહેલી સવારે ભક્તિમય માહોલ વચ્ચે પ્રભાત ફેરી સમગ્ર છાપરિયા વિસ્તારમાં ફરી હતી. આ પ્રભાત ફેરી દરમિયાન શ્રદ્ધાળુઓએ ખરતાલ અને મંજીરા સાથે "શ્રીરામ જય રામ જય જય રામ"ની સુમધુર રામધૂનનું ગાન કર્યું હતું. વહેલી સવારના 5 વાગ્યે શાંત વાતાવરણમાં ગુંજી ઉઠેલા આ ભક્તિનાદોને કારણે સમગ્ર પંથકમાં એક આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક અગ્રણીઓ અને સમિતિના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જેમાં રાજુભાઈ સથવારા, રમણભાઈ પ્રજાપતિ અને ચંદ્રકાંત પંચાલ સહિતના સક્રિય સભ્યોએ પ્રભાત ફેરીના રૂટ પર વ્યવસ્થા સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    જાંબુડા પાટિયા પાસે યુવાન પર છરી વડે હુમલો, CCTV:અગાઉની અદાવતમાં સમાધાન કરવા જતાં બે શખ્સોએ માર માર્યો, પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    ગોધરાના લિલેસરા GEB સબ સ્ટેશનમાં આગ:11 કેવી પેનલમાં આગથી શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment