Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી પૂરમાં 500થી વધુ વાહનો ગરકાવ થતાં કરોડોનું નુકસાન:મધ્યમ અને નાના વર્ગના લોકોની આર્થિક કમર ભાંગી, સ્થાનિકોએ આર્થિક પેકેજની માગ કરી

    10 hours ago

    નવસારી શહેરમાં બે દિવસ અગાઉ આવેલા ભયાનક પૂરે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ખાસ કરીને મધ્યમ અને નાના વર્ગના લોકોની આર્થિક કમર તૂટી ગઈ છે. શહેરના શાંતાદેવી વિસ્તારમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો રહે છે, જેઓ દરરોજ નવસારી અને સુરત વચ્ચે અવરજવર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ નીચાણવાળા વિસ્તારમાં અચાનક પૂરના પાણી ફરી વળતાં લોકોના વાહનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પૂરના પાણી એટલી ઝડપે આવ્યા કે સ્થાનિકોને પોતાના વાહનો સલામત સ્થળે ખસેડવાનો મોકો જ ન મળ્યો. વિસ્તારના 500થી વધુ બાઇક અને અનેક ફોર વ્હીલર વાહનો પાણીમાં ડૂબી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પાણી ઓસર્યા બાદ મોટા ભાગના વાહનો 'ટોટલ લોસ' કન્ડિશનમાં આવી ગયા છે, એટલે કે હવે તે રિપેર થઈ શકે તેમ નથી. સુરત અપડાઉન કરતા શ્રમજીવી વર્ગ પર અચાનક રૂ. 1,00,000 સુધીનો વધારાનો આર્થિક ભારણ આવી પડ્યો છે. અનેક લોકોના બાઇકના ફાઇનાન્સના હપ્તા હજી ચાલુ છે, તેવામાં જ વાહન નકામા થઈ જતાં રોજગારી પર પણ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. સ્થાનિક રહીશ જગદીશ કાનાણીએ જણાવ્યું કે, અમે જિંદગીમાં ક્યારેય આટલું ભયંકર પાણી નથી જોયું. આખા રોડ પર લગભગ 10 ફૂટ જેટલા પાણી હતા, જેમાં 500થી વધુ બાઇક અને ફોર-વ્હીલર ડૂબી ગયા હતા. લોકોની રોજગારી આ વાહનો પર જ નિર્ભર છે અને મોટા ભાગના વાહનોના હપ્તા પણ ચાલુ છે. જો સરકાર થોડીઘણી સહાય કરે તો મધ્યમ વર્ગને મોટી રાહત મળશે. નગરસેવક દિવ્યકાંત પનારાએ જણાવ્યું કે, શાંતાદેવી વિસ્તાર મધ્યમ અને નાના વર્ગનો વોર્ડ છે, જ્યાં બાઇક જ અવરજવરનું મુખ્ય સાધન છે. એકતરફ હીરા ઉદ્યોગમાં મંદી છે, ત્યારે બીજી તરફ 500થી 550 બાઇકો પાણીમાં ગરકાવ થતાં લોકોને કમરતોડ ફટકો પડ્યો છે. સુરતમાં પૂર બાદ જે રીતે પેકેજ જાહેર થયું હતું, તે જ રીતે સરકારે નવસારી માટે પણ ખાસ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. હાલમાં શાંતાદેવી વિસ્તારના રત્નકલાકારો અને સ્થાનિક વાહનચાલકો સરકાર સામે મદદની ગુહાર લગાવી રહ્યા છે. રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા અને રોજીરોટી મેળવવા માટે વાહન અનિવાર્ય હોવાથી, સ્થાનિકો વહેલી તકે વળતર અથવા વિશેષ આર્થિક સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કોસ્ટ ગાર્ડે પોરબંદર દરિયામાં ખલાસીનો જીવ બચાવ્યો:21 વર્ષનો ક્રૂ મેમ્બર છાતીમાં તીવ્ર દુખાવો, ઊંચા તાવથી પીડાઈ રહ્યો હતો; હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરી હોસ્પિટલ પહોંચાડ્યો
    Next Article
    ગુજરાતનું શિપબિલ્ડિંગ ક્ષેત્ર બનશે દેશનું નવું મેરિટાઇમ હબ:CMએ લોન્ચ કરી ‘શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી-2026’, 5 લાખથી વધુ લોકોને સ્કિલ ડેવલપમેન્ટની તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment