Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલના વેજલપુર બાગાયત ફાર્મમાં કેરીના પાકને નુકસાન:મોડી રાત્રે ફૂંકાયેલા મીની વાવાઝોડાથી 500 મણ કેરી ખરી પડી

    10 घंटे पहले

    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા વેજલપુર બાગાયત કેન્દ્ર ખાતે ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને મીની વાવાઝોડાના કારણે અહીંના સરકારી બાગાયત ફાર્મમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. વેજલપુર બાગાયત કેન્દ્ર અંદાજે 40 વીઘા જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ ફાર્મમાં અલગ-અલગ પ્રજાતિના 150થી વધુ આંબાના વૃક્ષો આવેલા છે. આ વર્ષે આંબા પર સારો પાક ઉતર્યો હતો, જેનાથી ખેડૂતો અને વેપારીઓને સારી ઉપજની આશા હતી. જોકે, ગત રાત્રે ત્રાટકેલા મીની વાવાઝોડા અને પ્રચંડ પવનના કારણે આંબા પર તૈયાર થયેલી અંદાજે 500 મણથી વધુ કેરી ખરી પડીને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઘટનાથી ખેડૂતો અને વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. બાગાયત કેન્દ્રની આ કેરીઓના વેચાણ માટે ચાલુ વર્ષે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નડિયાદના એક વેપારીએ આ ફાર્મનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. તેમને પણ આ નુકસાનનો ભોગ બનવું પડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં પ્રકૃતિપ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન:વડસરનું 21 એકરમાં આનંદમ્ જેડવા તળાવ ઇકો ટુરિઝમનું મોડેલ બન્યું, વૃક્ષો પર ખાસ QR કોડ લગાવાયા
    Next Article
    વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ ની 21મી આવૃત્તિનું વિમોચન:કોંગ્રેસ નેતાઓની ઉપસ્થિતિમાં ડિજિટલ એડિશન લોન્ચ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment