Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં શ્રી કૈવલ્યાનંદ સ્વામી દેરી ખાતે બટુક ભોજન યોજાયું:500થી વધુ બાળકોએ ભોજનનો લાભ લીધો

    6 days ago

    ભાવનગરના કૃષ્ણનગર દેરીરોડ વિસ્તારમાં આવેલા શ્રી કૈવલ્યાનંદ સ્વામી મહારાજ (દેરીદાદા)ની દેરી ખાતે બટુક ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 500થી વધુ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો. દેરીરોડ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ બીજના દિવસે આ બટુક ભોજનનું આયોજન થાય છે. આ કાર્યક્રમમાં બાળકોને ભોજન ઉપરાંત ગિફ્ટ અને આઈસ્ક્રીમ પણ આપવામાં આવે છે. શ્રી કૈવલ્યાનંદ સ્વામી મહારાજની આ દેરીનો જીર્ણોદ્ધાર વર્ષ 2001માં કરવામાં આવ્યો હતો. ત્યારથી સતત 25 વર્ષથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે શ્રી કૈવલ્યાનંદ સ્વામી મહારાજ (દેરીદાદા)ની 131મી પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. દેરીરોડ મિત્ર મંડળના જગદીશભાઈ ભટ્ટ, હિતેનભાઈ શાહ, ચેતનભાઈ ત્રિવેદી સહિતના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    Express Exclusive: Govt asks WhatsApp to block device IDs used in digital arrest scams
    Next Article
    મોડાસામાં ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી:સિંધી સમાજે શોભાયાત્રા કાઢી, 'આયોલાલ ઝુલેલાલ'ના નાદથી ગુંજ્યું શહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment