Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિએ અક્ષયપાત્રનું 5 અબજમું ભોજન પીરસ્યું:માનવતાની સેવાના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી

    2 days ago

    અક્ષયપાત્ર ફાઉન્ડેશને રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે 5 અબજ ભોજન સેવાની સીમાચિહ્નરૂપ સિદ્ધિ અને માનવતાની સેવાના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી. ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે અને માનનીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અક્ષયપાત્રના સ્થાપકો - મધુ પંડિત દાસા (ઇસ્કોન બેંગ્લોરના અધ્યક્ષ અને પ્રમુખ) અને ચંચલપતિ દાસા (ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ ઉપપ્રમુખ)ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. 'સુપોષિત અને સુશિક્ષિત ભારત વિકસિત ભારત માટે' વિષય પર આધારિત આ કાર્યક્રમે બાળ પોષણ અને શિક્ષણ તરફના સામૂહિક પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે અક્ષયપાત્રના ટ્રસ્ટીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, પ્રતિષ્ઠિત નેતાઓ, નીતિનિર્માણ સંસ્થાઓ, દાતાઓ, ભાગીદારો, સમર્થકો અને અન્ય મહત્વપૂર્ણ હિતધારકો હાજર રહ્યા હતા. અક્ષયપાત્રના કેટલાક પૂર્વ લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સરકારી શાળાઓના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય રાષ્ટ્રપતિએ ઉજવણીના ભાગરૂપે બાળકોને ભેટો આપી અને ભોજન પીરસ્યું. ભારત સરકારની મહત્વપૂર્ણ પીએમ પોષણ પહેલના અમલીકરણ ભાગીદાર તરીકે, અક્ષયપાત્ર ભારતભરની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા લાખો બાળકોને તાજું અને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે. હાલમાં, ફાઉન્ડેશન ભારતના 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 78 સ્થળોએ તેના અત્યાધુનિક રસોડા દ્વારા દરરોજ 2.35 મિલિયન (23,50,000) બાળકોને ભોજન આપી રહ્યું છે. તેનો લક્ષ્યાંક 2030 સુધીમાં દરરોજ 3 મિલિયન (30,00,000) બાળકોને ભોજન આપવાનો છે. આ પ્રસંગે બોલતા, ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, “આજે, આપણે ભોજનના આશીર્વાદ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં અક્ષયપાત્રની શાનદાર ભૂમિકાની ઉજવણી કરવા માટે અહીં છીએ. અક્ષયપાત્ર કરુણાના ગુણ પર આધારિત સામાજિક નવીનતાના ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે. તે પ્રશંસનીય બાબત છે કે અક્ષયપાત્ર છેલ્લા 25 વર્ષથી એક પણ દિવસ ચૂક્યા વિના શાળામાં ભોજન પીરસતું રહ્યું છે.” તેમણે વધુમાં કહ્યું, “હું ઇસ્કોનના સ્થાપક-આચાર્ય શ્રીલ પ્રભુપાદને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમણે કલ્પના કરી હતી કે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને બાળકો, ભૂખ્યા ન રહે અને વિશ્વભરમાં અન્નદાનની ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો.” બાળકો ફક્ત મફત શાળા ભોજન કાર્યક્રમના લાભાર્થીઓ નથી; તેઓ વર્ષ 2047 સુધીમાં 30 ટ્રિલિયન યુ.એસ. ડોલર જેટલું અર્થતંત્ર સુનિશ્ચિત કરવા માટે પ્રોડક્ટીવ, કોમ્પીટીટીવ ભાવિ કાર્યબળના ચાલકો છે. દરેક ભોજન એ આપણા રાષ્ટ્રની માનવ મૂડીમાં રોકાણ છે, જેના પરિણામે સ્વસ્થ, શિક્ષિત યુવા વસ્તી વિષયક લાભાંશ મળે છે જે નવા અને વિકસિત ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં ફાળો આપશે. અક્ષયપાત્ર આ દિશામાં અદ્ભુત કાર્ય કરી રહ્યું છે. આ શાળા ભોજન કાર્યક્રમ અસરકારક રીતે ચાલે તે મહત્વપૂર્ણ છે અને તેની સમાજ પર સકારાત્મક અસર પડી રહી છે. હું આનંદીત છું કે અક્ષય પાત્રના કેટલાક પૂર્વ લાભાર્થીઓ આજે આપણી સાથે કાર્યક્રમમાં છે. હું ખરા હૃદયથી આનંદ અનુભવી રહી છું કે આ યુવાનો શાળાના ભોજન કાર્યક્રમને કારણે તેમની મહત્વાકાંક્ષાઓને આગળ ધપાવી શકયા છે, જે કારણે તેઓ એક સમયે શાળામાં ભણતા હતા. તેઓ વિકસીત ભારત માટે સુપોષિત અને સુશીક્ષિત ભારતના વિચારનો પુરાવો છે. હું મધુપંડિત દાસા, ચંચલપતિ દાસા અને અક્ષયપાત્રની સમગ્ર ટીમની પ્રશંસા કરું છું અને આશા રાખું છું કે તમે બધા તમારું સમર્પણ, જુસ્સો અને પ્રતિબદ્ધતા સાથે સમાજ અને રાષ્ટ્ર માટે તમારી અમૂલ્ય સેવાઓનું યોગદાન સતત આપતા રહેશો.”માનનીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “હું શ્રીલ પ્રભુપાદને મારું આદર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમની પ્રેરણાથી આ નિઃસ્વાર્થ ભોજન વિતરણ પહેલ શરૂ થઈ, જે હવે એક જન આંદોલનમાં ફેરવાઈ ગઈ છે. હું મધુપંડિત દાસા અને ચંચલપતિ દાસાનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમના દ્રષ્ટિકોણથી અક્ષયપાત્ર ફાઉન્ડેશનનો પાયો નખાયો. 25 વર્ષની યાત્રા સરળ નહોતી, છતાં તમારો સંકલ્પ અટલ રહ્યો છે. આજે, આ જન આંદોલનનો સૌથી મોટો લાભાર્થી ભારતનું શિક્ષણ ક્ષેત્ર છે. 16 રાજ્યો અને 25,000 થી વધુ શાળાઓમાં, તમે દરરોજ 2.35 મિલિયન(આશરે 23,50,000) બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડી રહ્યા છો. આ માટે, હું મારી ઊંડી પ્રશંસા વ્યક્ત કરું છું. જ્યાં સુધી આપણા બાળકો અને યુવાનોને સારું પોષણ નહીં મળે, ત્યાં સુધી ભારત દેશ તેની ક્ષમતાને સંપૂર્ણ રીતે સમજી શકશે નહીં. આજે, ભારતનો વિકાસ તેની ભૌગોલિક સીમાઓ સુધી મર્યાદિત નથી. ભારત દેશ વૈશ્વિક દક્ષિણ ભાગ અને માનવતાના કલ્યાણ પ્રત્યે પણ જવાબદારી ધરાવે છે. આ વસુધૈવ કુટુમ્બકમના આદર્શમાં આપણી શ્રદ્ધાનો સાર છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશનનો પીએમ પોષણ યોજનાના મુખ્ય અમલીકરણ ભાગીદાર તરીકે ઉદય થયો છે. ગુણવત્તા, સ્વચ્છતા અને નવીનતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દ્વારા, તેણે આ મિશનને વધુ મજબૂત બનાવ્યું છે. આ ભાગીદારી એક તેજસ્વી ઉદાહરણ તરીકે ઉભરી આવી છે કે કેવી રીતે સરકાર, સમાજ અને સંસ્થાઓ રાષ્ટ્રના કેટલાક સૌથી જટિલ પડકારોનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરી શકે છે. દેશના દરેક બાળક સુધી પૌષ્ટિક ખોરાક પહોંચવો એ માત્ર એક સેવા નથી પરંતુ ભવિષ્ય માટેનો સંકલ્પ છે. દેશના યુવાનો પ્રત્યે આ આપણી જવાબદારી છે. વિકાસ ભારત વર્ષ 2047 સુધીમાં ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશના દરેક બાળકને સારી રીતે પોષણ મળે અને દરેક બાળક શાળાકીય ભણતર સુધી જળવાઈ રહે.ચાલો આપણે બધા સાથે મળીને ખાતરી કરીએ કે આપણું વિઝન અને સંકલ્પ દેશના દરેક બાળક સુધી પહોંચે અને વિકસિત ભારત માટે નો પાયો અને અસ્તિત્વ બને. મધુપંડિત દાસાએ કહ્યું, “આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ હું માનનીય રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું માનનીય શિક્ષણ મંત્રી અને અન્ય તમામ મહાનુભાવોનો પણ તેઓ ઉપસ્થિતિ રહેવા બદલ આભાર માનું છું. અક્ષયપાત્રની માનવતા પ્રત્યેની 25 વર્ષની સેવા અને 5 અબજ (500 કરોડ) ભોજન પીરસવાના સીમાચિહ્નની ઉજવણી કરતી વખતે, અમે શ્રીલ પ્રભુપાદના ઉમદા દ્રષ્ટિકોણ “કોઈ પણ ક્યારેય ભૂખ્યું ન રહે” એ પ્રત્યે કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ. આ કાર્યક્રમે અક્ષયપાત્ર ખાતેના દરેકને વધુ ઉત્સાહ સાથે બાળકો માટે અમારી સેવાઓ નિરંતર ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ, મહત્વપૂર્ણ પીએમ પોષણ પહેલે બાળકોની પોષણ સ્થિતિ સુધારવા અને તેમને નિયમિતપણે શાળામાં જવા માટે પ્રોત્સાહિત કરવામાં મહાન પ્રગતિ કરી છે. જેમ જેમ ભારત વિકાસ ભારતના વિઝન તરફ સ્થિર રીતે સતત આગળ વધી રહ્યું છે, તેમ તેમ આ સીમાચિહ્નો શાળા પોષણ કાર્યક્રમોને મજબૂત બનાવવા અને દેશભરમાં વધુ બાળકો સુધી પહોંચ વધારવા માટે અમારી સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. વસુધૈવ કુટુમ્બકમનો પ્રિય આદર્શ, અથવા આખું વિશ્વ એક પરિવાર છે તે વિચાર, આપણા રાષ્ટ્ર-સંસ્કૃતિ નો મૂળભૂત સિદ્ધાંત છે.. તેથી, અમે અમારા ભોજન પુરૂં પાડવાના મિશનને ભારત બહારના ભૌગોલિક વિસ્તારોમાં પણ વિસ્તાર્યું છે. માનવસમાજની સામૂહિક કરુણાની પરિવર્તનશીલ શક્તિ સાથે, આપણે ચોક્કસપણે આપણી આગામી પેઢીઓ માટે સુખી અને સ્વસ્થ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપી શકીશું. ચંચલપતિ દાસાએ કહ્યું, “અક્ષય પાત્ર માટે આ એક આનંદદાયક પ્રસંગ છે કારણ કે અમે અમારી 25 વર્ષની યાત્રામાં 5 અબજ (500 કરોડ) સંચિત ભોજન પીરસવાના એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યા છીએ. આજના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમના મહત્વના સમયપત્રકમાંથી સમય કાઢવા બદલ અમે અમારા બધા મહેમાનોનો આભાર માનીએ છીએ. અમારા બધા પ્રયાસોમાં સતત સમર્થન અને પ્રોત્સાહન આપવા બદલ અમે ભારત સરકાર અને વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોનો ખૂબ ખૂબ આભારી છીએ. તાજા રાંધેલા, સ્વસ્થ ભોજન દ્વારા બાળપોષણ અને શિક્ષણ સુનિશ્ચિત કરવાના અમારા નમ્ર પ્રયાસોમાં અમારી સાથે જોડાવા બદલ અમે અમારા દાતાશ્રીઓ, ભાગીદારો અને શુભેચ્છકોનો આભાર માનીએ છીએ. આ પ્રસંગે, અમે અક્ષયપાત્રના તમામ સમર્પિત પૂર્ણ-સમયના મિશનરીઓ અને વ્યાવસાયિકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેઓ સમાજના કલ્યાણ માટે દરરોજ અથાક મહેનત કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે અક્ષયપાત્રની સફળ જાહેર-ખાનગી ભાગીદારી વધુ બાળકોને પોષણ અને શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે, જેનાથી તેઓ આગામી વર્ષોમાં નવા અને વિકસિત ભારતમાં યોગદાન આપી શકશે.” અક્ષયપાત્રની 5 અબજ (500 કરોડ) ભોજન સુધીની સફર અક્ષયપાત્રની સ્થાપના 25 વર્ષ પહેલાં આ ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી કે ભારતમાં કોઈ પણ બાળક ભૂખના કારણે શિક્ષણથી વંચિત ન રહે. ફાઉન્ડેશને બેંગલુરુમાં તેની ભોજન પૂરું પાડવાની કામગીરી શરૂ કરી અને કર્ણાટક સરકાર સાથે ભાગીદારી કરીને તેની મહત્વપૂર્ણ અક્ષર દશોહા મધ્યાહન ભોજન યોજના અમલમાં મૂકી અને રાજ્યના અન્ય સ્થળોએ પણ રસોડાની સ્થાપના કરી. વિવિધ હિતધારકોના સહકારથી, અક્ષયપાત્ર એ ધીમે ધીમે તેની સેવાઓ ભારતના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિસ્તારી અને વિશ્વના સૌથી મોટા એનજીઓ -સંચાલિત શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખ મેળવી. અક્ષયપાત્ર એ માત્ર 12 વર્ષના સમયગાળામાં 1 અબજ (100 કરોડ) ભોજન પીરસવાનો પ્રથમ સીમાચિહ્ન હાંસલ કર્યો. વર્ષ 2012માં, 1 અબજમું (100 કરોડમું) ભોજન ઇન્ફોસિસના સ્થાપક અને પરોપકારી શ્રી નારાયણ મૂર્તિ દ્વારા પીરસવામાં આવ્યું હતું. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ વર્ષ 2016માં ઇસ્કોન બેંગ્લોરમાં 2 અબજમું (200 કરોડમું) ભોજન પીરસ્યું હતું. વર્ષ 2019 માં, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૃંદાવનમાં ૩ અબજમું (300 કરોડમું) ભોજન પીરસ્યું હતું. પાંચ વર્ષ પછી, વર્ષ 2024માં, અક્ષયપાત્રએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં 4 અબજ (400 કરોડમું) ભોજન પીરસવાની ઉજવણી કરી. આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા 5 અબજમું (500 કરોડમું) ભોજન પીરસવામાં આવ્યું હતું. અક્ષયપાત્ર ફાઉન્ડેશન વિશે અક્ષયપાત્ર ફાઉન્ડેશન એક નફા-માટે-નહીં કામકરતી સંસ્થા છે અને ભારત સરકારની મહત્વપૂર્ણ પીએમ પોષણ પહેલ માટે અમલીકરણ ભાગીદાર છે. ભારત સરકાર, રાજ્ય સરકારો, કોર્પોરેટ ભાગીદારો અને પરોપકારી દાતાઓ સાથે મળીને એક મજબૂત જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ પર કાર્યરત, અક્ષયપાત્ર દેશભરની સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં તાજા રાંધેલા, પૌષ્ટિક મધ્યાહન ભોજન પૂરા પાડીને વર્ગખંડની ભૂખ દૂર કરવા અને બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. શાળા ભોજન ઉપરાંત, ફાઉન્ડેશનના હસ્તક્ષેપો બાળકોને શિક્ષણની ઉપલબ્ધતા, સમાજની સક્ષમતા અને રાષ્ટ્રીય વિકાસ સુધી પહોંચને પણ પ્રોત્સાહન આપે છે. વર્ષ 2000 માં સ્થાપિત, અક્ષયપાત્રએ તેની ઉમદા શરૂઆતથી વિકસીને ખાદ્ય અને પોષણ સુરક્ષામાં આપેલા તેના યોગદાન દ્વારા વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સામાજિક ચળવળ બની ગયું છે. વર્ષો દરમ્યાન, આ કાર્યક્રમ દ્રારા શાળામાં પ્રવેશ અને હાજરીમાં નોંધપાત્ર વધારો, વર્ગખંડની ભૂખમાં ઘટાડો, બાળકોમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો અને પોષણ પરિણામોમાં ફાળો આપ્યો છે. ફાઉન્ડેશન વિશ્વના સૌથી મોટા નેટવર્કોમાંનું એક સૌથી મોટા સ્વચાલિત, ટેકનોલોજી-આધારિત કોમ્યુનીટી રસોડાઓનુ નેટવર્કનુ સંચાલન કરે છે, જે દરેક શાળાના દિવસે મોટા પાયે સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બ્રહ્મલીન ભારતી બાપુની પાંચમી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી:​ગિરનારની ગોદમાં ગુંજશે સંતવાણી: મહામંડલેશ્વર ભારતી બાપુની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે હરિહરાનંદ ભારતીજીના સાનિધ્યમાં યોજાયો ભવ્ય સંત ભંડારો અને ધાર્મિક મહોત્સવ
    Next Article
    PM Modi LIVE | રાજ્યસભાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઈવ | PM Modi Rajya Sabha Speech | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment