Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:‘નિઃશુલ્ક રસોડું’ | રામરચિત ફાઉન્ડેશનની અનોખી સેવા, દરરોજ 500 વડીલની જઠરાગ્નિ ઠારવાનો મહાયજ્ઞ

    8 hours ago

    રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટમાં એક પ્રશંસનીય પહેલ કરી રહ્યું છે. સંસ્થા દ્વારા આગામી તા.17 મેના રોજ ‘નિઃશુલ્ક રસોડું’ શરૂ કરવામાં આવશે. આ રસોડું ઈન્દિરા સર્કલ નજીક, શ્રદ્ધા હોસ્પિટલની નીચે શરૂ થશે, જ્યાં એવા લોકોને ભોજન આપવામાં આવશે જેઓ આર્થિક રીતે સક્ષમ નથી, એકલવાયું જીવન જીવી રહ્યા છે, અથવા દિવ્યાંગતા અને ગંભીર બીમારીને કારણે લાચાર છે. આ તકે 17મીથી પુરુષોત્તમ માસ પણ શરૂ થઈ રહ્યો છે. પુરુષોત્તમ માસમાં દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ અનેરું હોય છે. આ પવિત્ર માસના પ્રથમ દિવસથી જ ટ્રસ્ટનું ‘નિઃશુલ્ક રસોડું’ શરૂ થશે. આ રસોડાનો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ ભૂખ્યો ન રહે અને દરેકને પોષણયુક્ત ભોજન મળી રહે. અહીં દરરોજ સવારે 250 અને સાંજે 250 એમ કુલ 500 લોકોને નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવશે. રસોડામાં શુદ્ધ અને સાત્વિક આહાર તૈયાર કરવામાં આવશે. જેમાં બપોરના સમયે રોજ વિવિધ પ્રકારના શાક, રોટલી, દાળ-ભાત, છાશ અને સાંજના સમયે કઢી, ખીચડી, શાક,રોટલી હશે. આ કાર્યમાં વડીલો શાંતિપૂર્વક જમી શકે તે માટે અલગ-અલગ સમયના સ્લોટ કરવામાં આવશે. જેમાં એક સમયમાં 40 જેટલા વડીલો ભોજન ગ્રહણ કરી શકશે. જેમાં બપોરે 11થી 2 અને સાંજે 7થી 9 વાગ્યા સુધી નિ:શુલ્ક ભોજન અપાશે. જે વડીલોને ખરેખર નિઃશુલ્ક ભોજનની જરૂર છે, તેમના માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. તેઓ મો. 70160 41329 પર સંપર્ક કરીને નોંધણી કરાવી શકે છે. વધુ માહિતી માટે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા સંસ્થાની ઓફિસ, શિવધામ સોસાયટીની સામે, વિમલનગર ચોક, યુનિવર્સિટી રોડ ખાતે મુલાકાત લઈ શકે છે. ઓફિસ સવારે 9થી 10 સુધી ખુલ્લી રહેશે. નોંધણીમાં બાયોમેટ્રિકનો ઉપયોગ જેથી અનાજનો બગાડ ન થાય આ નિ:શુલ્ક રસોડામાં એવી સુવિધા કરવામાં આવી છે જ્યાં વડીલોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય તેની ચકાસણી કરાશે અને ખરેખર જરૂર હોય તેવા વડીલોને બાયોમેટ્રિક મશીનમાં નોંધણી કરવામાં આવશે. જેથી અનાજનો કોઇ બગાડ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી નિ:શુલ્ક ટિફિન સેવા અવિરત ચાલી રહી છે જેમાં બન્ને સમય થઇને 177થી વધુ ટિફિન વડીલોને ઘરે પહોંચાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:રાજસ્થાનના એન્ટિ-સાઇક્લોનથી ફૂંકાયા ગરમ પવનો44.3 ડિગ્રી સાથે શહેર શેકાયું, હજુ 7 દિવસ રાહત નહીં
    Next Article
    ‘એક કા ડબલ’ રેકેટ:250 લોકો સાથે રોકાણના બહાને રૂ. 10 કરોડની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment