Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:500 વર્ષ જૂના કંથારપુરાના ઐતિહાસિક વડને બચાવવા વૈજ્ઞાનિક સારવાર શરૂ: ઇંટોથી પોષણ કુંડ બનાવાયા

    4 दिन पहले

    ગાંધીનગર જિલ્લાના કંથારપુરા ગામમાં આવેલો આશરે 500 વર્ષ જૂનો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતો મહાકાળી માતાનો વડ હવે વૈજ્ઞાનિક સંરક્ષણ હેઠળ આવી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી વડની ડાળીઓ સુકાવા લાગવી, થડમાં ઉધઈ અને ફૂગનો પ્રકોપ જોવા મળવો તેમજ વૃક્ષના અસ્તિત્વ સામે જોખમ ઉભું થતાં સ્થાનિકોમાં ચિંતા વધી હતી. આ મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ વન વિભાગે નિષ્ણાતોની સલાહના આધારે હવે તબક્કાવાર સંરક્ષણ કામગીરી શરૂ કરી છે. સૌપ્રથમ નાયબ વન સંરક્ષક (DCF) રવિરાજસિંહ રાઠોડ અને મદદનીશ વન સંરક્ષક (ACF) રાઘવ જોષીએ સ્થળ પર પહોંચી વડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાતોએ વૃક્ષની આરોગ્ય સ્થિતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરીને જરૂરી સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ભલામણોના આધારે દહેગામ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મધુબેન ખાંટના માર્ગદર્શન હેઠળ સંરક્ષણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં પ્રથમ તબક્કામાં વડના મુખ્ય થડ અને વડવાઈઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉધઈ, ફૂગ અને અન્ય જીવાણુઓના પ્રકોપને નિયંત્રિત કરવા વિશેષ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ વૃક્ષની કુદરતી વૃદ્ધિ જળવાઈ રહે અને તેની તંદુરસ્તી સુધરે તે માટે જરૂરી પોષક તત્ત્વો પણ આપવામાં આવી રહ્યા છે. વડની આસપાસ ઈંટોના ખામડા બનાવી તેમાં ગુણવત્તાયુક્ત માટી, જૈવિક ખાતર અને અન્ય પોષક તત્ત્વો ઉમેરવામાં આવશે. જેથી વડવાઈઓને જમીનમાં મજબૂત રીતે મૂળ પકડવા માટે અનુકૂળ વાતાવરણ મળી રહે અને નવા મૂળનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે. વર્ષો દરમિયાન વડના કુદરતી વિકાસમાં અવરોધરૂપ બનેલા બિનજરૂરી બ્લોક અને અન્ય માળખાં પણ દૂર કરવામાં આવશે. દબાણો હટાવવા પણ ખાસ ઝુંબેશ ચલાવાશે વડની આસપાસ દબાણો થઇ ગયા હોવાથી પણ વડનો વિકાસ અરોધાયો હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. વડના સંરક્ષણ માટે વિવિધ ઉપાયોની સાથે દબાણો દૂર કરવાની પણ ઝૂંબેશ ચલાવાશે.
    Click here to Read More
    Previous Article
    Abhishek Banerjee’s dare to rebels: ‘Return and I will quit party posts within one hour’
    Next Article
    જોગવાઇઓથી વિરૂદ્ધ હોવાથી સ્ટેન્ડિંગે દરખાસ્ત ફગાવી:સ્માર્ટ સિટી કંપનીએ કન્સલ્ટન્સી માટે 1 ટકો ફી માગી, દરખાસ્ત રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment