Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં દબાણો સામે તંત્રનું મેગા ડિમોલેશન:50થી વધુ અધિકારીઓ જોડાયા, સ્વૈચ્છિક રીતે હટ્યાં મોટાભાગના દબાણ, નિયમિત દેખરેખના આદેશ

    2 days ago

    અમરેલી શહેરમાં લાંબા સમયથી ટ્રાફિક અવરોધ અને જાહેર માર્ગો પર થયેલા દબાણોને લઈને ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આજે નગરપાલિકા અને માર્ગ-મકાન (RB) વિભાગે સંયુક્ત રીતે મેગા ડિમોલેશન અભિયાન હાથ ધર્યું હતું. સેન્ટર પોઇન્ટથી રૂપમ ટોકીઝ, ગઢીની રાંગ તેમજ લાઠી રોડ બાયપાસ સુધીના વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. સ્વૈચ્છિક રીતે દબાણો દૂર થતાં કામગીરી ઝડપથી પૂર્ણ થઈ તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપ્યા બાદ મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરી દીધા હતા, જેના કારણે કામગીરી ઝડપથી પૂર્ણ થઈ હતી. જોકે, જ્યાં દબાણો યથાવત રહ્યા હતા ત્યાં નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગે પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર અભિયાન દરમિયાન પોલીસ સહિત વિવિધ વિભાગોના 50થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર તૈનાત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દબાણો દૂર કરવા અગાઉથી નોટિસ અપાઈ હતી અમરેલીના પ્રાંત અધિકારી એમ.જે. નાકિયાએ જણાવ્યું હતું કે સેન્ટર પોઇન્ટથી રૂપમ ટોકીઝના ઢાળ, ગઢીની રાંગ તેમજ લાઠી રોડ બાયપાસ સુધીના વિસ્તારોમાં થયેલા દબાણોને દૂર કરવા અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી દીધાં છે, જ્યારે બાકીના દબાણો આજે સંયુક્ત કામગીરી દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. બાયપાસ વિસ્તારમાં પણ દબાણો હટાવાશે પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં ફરી દબાણ ન થાય તે માટે નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગને દર અઠવાડિયે સ્થળ નિરીક્ષણ કરીને નવા દબાણો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની કડક સૂચના આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે હાલની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાયપાસ વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને સંબંધિત લોકોને નોટિસ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં ડિમોલેશન બાદ ફરીથી દબાણ થવાની ફરિયાદો વારંવાર સામે આવતી રહી છે. તેથી આ વખતે તંત્ર માત્ર દબાણ દૂર કરવા સુધી મર્યાદિત ન રહી, પરંતુ નિયમિત દેખરેખ રાખીને જાહેર માર્ગોને દબાણમુક્ત રાખવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો છે. હાલમાં આ કામગીરીમાં 20 થી 25 પોલીસકર્મીઓ અને 25 જેટલો અન્ય સ્ટાફ જોડાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    રાવણની લંકા અને અશોક વાટિકા હવે કેવી દેખાય છે?:એક્ટર પ્રદીપ કાબરાએ શ્રીલંકાથી રામાયણ સંબંધિત સ્થળોની ઝલક શેર કરી
    Next Article
    Thieves Break Into Jailed Giribala Singh's Home, Flee After Fight With Cops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment