Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ શિક્ષક મંડળીના 50 વર્ષ પૂર્ણ:સુવર્ણ મહોત્સવ ઉજવાયો; જૂની પેન્શન યોજના, પડતર પ્રશ્નો પર ચર્ચા

    2 days ago

    પાટણ અને સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળી લિમિટેડના 50વર્ષ પૂર્ણ થતા પાટણના ખોડાભાહોલ ખાતે સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારોનું સન્માન કરાયું હતું.રાજ્ય અને જિલ્લા શિક્ષક સંઘના અગ્રણીઓએ શિક્ષકોના પડતર પ્રશ્નો અને મંડળીની આર્થિક પ્રગતિ અંગે વિગતો રજૂ કરી હતી. પાટણ અને સરસ્વતી તાલુકાની પ્રાથમિક શિક્ષક નાણાં ધીરનારી સહકારી મંડળીની સ્થાપના 24 ઓક્ટોબર 1974ના રોજ થઈ હતી. સંસ્થાએ સફળતાપૂર્વક 50 વર્ષ પૂર્ણ કરતા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સન્માનથી કરવામાં આવી હતી. આ અવસરે મંડળીના વિકાસમાં પાયાનું યોગદાન આપનાર ભૂતપૂર્વ પ્રમુખો,મંત્રીઓ અને કારોબારી સભ્યો સહિત વર્તમાન હોદ્દેદારોનું વિશેષ બહુમાન કરાયું હતું.સગોડિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીતરજૂ કર્યું હતું.જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલે મંડળીની પ્રગતિની વિગતો આપતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં માત્ર 5000ના ધિરાણથી કાર્યરત મંડળી આજે સભાસદોને 25લાખ સુધીનું ધિરાણ પૂરું પાડે છે. તેમણે 2005 સુધીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો હોવાનું જણાવી 2005 પછીના શિક્ષકો માટે પેન્શન, મેડિકલ સહાય અને પ્રસૂતિ રજા જેવા પડતર પ્રશ્નો અંગે રજૂઆતો ચાલુ હોવાનું ઉમેર્યું હતું. રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રીજૈમીનભાઈ પટેલે મંડળીના વહીવટની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ફિક્સ ડિપોઝિટ અને ધિરાણના વ્યાજ દર વચ્ચે માત્ર 0.50ટકાનો નજીવો તફાવત રાખીને પણ મંડળી સભાસદોને દર વર્ષે ભેટ આપે છે.ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ સતીશભાઈ પટેલે પાટણ જિલ્લાની શિક્ષક મંડળીના વહીવટને રાજ્યમાં સર્વશ્રેષ્ઠ ગણાવ્યો હતો. તેમણે 2005 સુધીના શિક્ષકોના સી.પી.એફ. ખાતાને જી.પી.એફ.માં ટ્રાન્સફર કરવાની કામગીરી સરકારમાં ગતિમાં હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ટેટ પરીક્ષા બાદ જ ઉચ્ચતર પગાર ધોરણ આપવાના સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં કાયદેસરની લડત શરૂ કરી હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા અને નિવૃત્ત શિક્ષકોના જીપીએફ ખાતા ઝડપથી ખોલવા અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. મંડળી દ્વારા હાલમાં સભાસદોને 8.75 ટકાના વ્યાજ દરે 25 લાખ સુધીની લોન, 5 લાખનો અકસ્માત વીમો, 2 લાખની મૃત્યુ સહાય અને સભાસદના અવસાન પર અન્ય સભ્યોના ફાળામાંથી આર્થિક મદદ જેવી સુવિધાઓ અપાય છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા, રજીસ્ટ્રાર એસ. એન. ઝાલા સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ પટેલ અને ચિરાગભાઈ પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ બાબુભાઈ દેસાઈએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 41 મિલકતો સીલ:અવધ રેસિડેન્સીમાં વેરા વસૂલાત, 4 દિવસમાં 65 લાખની રિકવરી
    Next Article
    જામનગર પોલીસે બુટલેગરો-અસામાજિક તત્વોના ઘરે દરોડા પાડ્યા:PGVCL સાથે કાર્યવાહી, ₹12.60 લાખનો દંડ, 35 સામે ગુના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment