Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐતિહાસિક નિર્ણય‎:નાડોદા રાજપૂત સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ અંદાજે રૂ. 50 કરોડનો ખર્ચે બનશે

    12 hours ago

    ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજના યુવાનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે સુરેન્દ્રનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમદાવાદ-ગાંધીનગર હાઈવે રોડની નજીક અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે અત્યાધુનિક છાત્રાલય અને શૈક્ષણિક સંકુલ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે સુરેન્દ્રનગર પંથકના 36 ગામના આગેવાનોએ એકસૂરે સહમતી દર્શાવી ભવિષ્યની પેઢી માટે મજબૂત પાયો નાખવાની તૈયારી દર્શાવી છે. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી નાડોદા રાજપુત સમાજની બોર્ડિંગ ખાતે તા.14-3-2026ને શનિવારે મીટીંગ યોજાઇ હતી. ક્ષત્રિય નાડોદા રાજપુત સમાજની છાત્રાલય માટે વિસ્તારના 36 ગામના આગેવાનોની મીટીંગ શ્રીજીસ્વામીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં અખીલ ગુજરાત નાદોડા રાજપુત સમાજના પ્રમુખ હિંમતસિંહ કટારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં અખીલ ગુજરાત નાદોડા રાજપુત છાત્રાલય માટે અમદાવાદથી ગાંધીનગર હાઇવે રોડ નજીક છાત્રાલય માટે જમીન લેવા માટેની ચર્ચા થઇ હતી. જેમાં તમામ આગેવાનો દ્વારા છાત્રાલય માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી અને ઉત્સાહભેર આ વિચારને વધાવ્યો હતો. આ મીટીંગમાં દાનની સરવાણી ચાલુ થઇ ગઇ હતી. આ પ્રોજેકટ રૂ. 50 કરોડના હોય તેમાંથી અદ્યતન શૈક્ષણિક સંકુલ બનાવવા માટેની વાત થઇ હતી.
    Click here to Read More
    Previous Article
    કોમી એકતાની અનોખી મિસાલ:વઢવાણમાં 26 વર્ષથી ચા પીવડાવી મુસ્લિમ બિરાદરોને રોઝા છોડાવતા હિન્દુ યુવાન
    Next Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:મનપાની સાંસ્કૃતિક શાખામાં 89 બિલ મૂકી 2.87 કરોડ રૂપિયા ઉપાડી લીધા, હવે હિસાબ મળતો નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment