Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવાઝોડાથી સંચાણામાં 50થી 60 માછીમારી બોટને નુકસાન:માછીમારોની આજીવિકા પર અસર, સરકારી સહાયની માગ

    6 days ago

    સંચાણાના દરિયાકિનારે આવેલા વાવાઝોડાને કારણે માછીમારોની હાલત કફોડી બની છે. આ વાવાઝોડામાં અંદાજે 50 થી 60 જેટલી માછીમારી બોટોને ભારે નુકસાન થયું છે, જેના કારણે માછીમારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે. તાલુકા પંચાયતના માજી સભ્ય કસમ કકલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બપોરના 3:30 થી 4:00 વાગ્યાના અરસામાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે બોટોને મોટું નુકસાન થયું છે. કેટલીક બોટો તો સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને બિનઉપયોગી બની ગઈ છે. કકલે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી ફિશરીઝ વિભાગના કોઈ પણ અધિકારીએ સ્થળ પર આવીને નુકસાનીનું નિરીક્ષણ કર્યું નથી. તેમણે સરકારને વિનંતી કરી છે કે અધિકારીઓ રૂબરૂ આવીને નુકસાનીનો સર્વે કરે. માછીમારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે સરકાર પાસે યોગ્ય વળતર અને સહાયની માંગ કરી છે, જેથી આ ગરીબ માછીમારોને આર્થિક ટેકો મળી શકે અને તેઓ ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
    Click here to Read More
    Previous Article
    સુરતના પોશ અલથાણ વિસ્તારમાં મિનિ ખજોદ જેવી સ્થિતિ:પાલિકાના પ્લોટમાં કચરાના ડમ્પિંગથી રહીશો ત્રાહિમામ; મનપાના સ્વચ્છતાના દાવા પોકળ
    Next Article
    અશાંતધારાના ભંગ મામલે સરકાર આકરા પાણીએ:SDM પ્રતિભા અને ડ્રાઇવર પર 14 લાખની લાંચના આક્ષેપ મામલે પ્રભારી મંત્રી કૌશિકે કડક ચેતવણી આપી – “દોષિતને છોડવામાં નહીં આવે”

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment