Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇક આઇસર પાછળ ધડાકાભેર અથડાતા ચાલકનું મોત:ખેતીકામ કરતા 50 વર્ષીય આધેડનું પ્રાણપંખેરું ઊડ્યું, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો

    14 hours ago

    વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકની હદમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ગધેડા માર્કેટ ચાર રસ્તાથી મહાવીર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર રોડની સાઇડમાં ઊભેલા આઇસરના પાછળના ભાગમાં બાઇક ધડાકાભેર અથડાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક આઇસર ટ્રક પાછળ ઘૂસી ગઈ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ મનોજભાઈ અંબાલાલ વસાવા (ઉંમર 50 વર્ષ) તરીકે થઈ છે. તેઓ વડોદરા તાલુકાના કતારપુર ગામના વતની હતા અને ખેતીનો વ્યવસાય કરતા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક આઇસર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં ચાલકને ગંભીર ઇજાઓ પોહચી હતી. પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યો અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાઇકચાલકને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. પાણીગેટ પોલીસે અકસ્માતમાં મોત થયા અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધ મામલે કાલે PM મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક:સંસદમાં કહ્યું હતું- આવનારો સમય પરીક્ષા લેશે, રાજ્ય-કેન્દ્રએ મળીને કામ કરવું પડશે
    Next Article
    અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સહિતનાઓ જનસભાને સંબોધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment