Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધાર મુદ્દે મહિલાઓના ધરણા:50 લાખની ગ્રાન્ટ છતાં શીતળા કુંડ અને શિવ મંદિર જર્જરિત, સ્થાનિકોના ચેરમેનની ચેમ્બર બહાર કલાકો સુધી ધરણા

    1 day ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા અતિ પૌરાણિક અને ઐતિહાસિક એવા શીતળા કુંડ તેમજ તેની સાથે જોડાયેલા શિવ મંદિરની અત્યંત જર્જરિત હાલતને લઈને સ્થાનિક રહીશોમાં લાંબા સમયથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધાર અને રિનોવેશનની માંગણીઓ સંતોષવામાં ન આવતા આખરે સ્થાનિક મહિલાઓ અને વિસ્તારના અગ્રણીઓનો મનપા તંત્ર સામેનો પિત્તો ગયો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા સ્થાનિકોએ જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી આવીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચેમ્બરની બહાર જ લોબીમાં ધામા નાખ્યા હતા અને કલાકો સુધી ઉગ્ર ધરણા કાર્યક્રમ યોજીને શાસક પક્ષ વિરુદ્ધ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મંદિરના ગર્ભગૃહની છત એટલી હદે બિસ્માર કે સીધું શિવલિંગની માથે પાણી પડે છે ​આ અંગે વોર્ડ નંબર 10ના મહિલા રહીશ પ્રિયાબેન ટાકોદરાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોનો મુખ્ય પ્રશ્ન મંદિરમાં ચોમાસા દરમિયાન અને બારેમાસ ટપકતું પાણી છે. પૌરાણિક શંકર ભગવાનના મંદિરના ગર્ભગૃહની છત એટલી હદે બિસ્માર થઈ ગઈ છે કે સીધું શિવલિંગની માથે પાણી પડે છે, તેમજ બાજુમાં આવેલા શીતળા માતાની મૂર્તિ ઉપર પણ સતત પાણી ટપક્યા કરે છે. નગરપાલિકાના સત્તાધીશોએ ત્રણ મહિના પહેલા આ મંદિરના કામ માટે 50 લાખ રૂપિયા ફાળવ્યા હોવાની જાહેરાત કરી હતી, પરંતુ આજ દિન સુધી આ મંદિરના રિનોવેશન માટે ધાણીપીણીનો એક પણ રૂપિયો વાપરવામાં આવ્યો નથી કે નથી જમીન પર કોઈ કામ શરૂ થયું. વહેલી તકે આ પૌરાણિક મંદિરનું રિનોવેશન થાય એવી સ્થાનિકોની માગ ​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પવિત્ર શ્રાવણ મહિનામાં દર સોમવારે મંદિરમાં પરંપરાગત રીતે ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવે છે. આ સમયે કુંડ અને મંદિરની દીવાલો એટલી જર્જરિત હોય છે કે સ્થાનિક નાના છોકરાઓ પોતાના જાનના જોખમે બધે ઊંચે ચડી-ચડીને દીવા મૂકે છે. જો આ બિસ્માર દીવાલો પરથી પડી જવાથી કે છતનો પોપડો તૂટી પડવાથી છોકરાઓને કંઈ પણ અઘટિત થશે, તો તેની જવાબદારી લેવા માટે મનપાના કયા અધિકારી આગળ આવશે એવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો. આ સિવાય માતાજીના મંદિરની સ્થિતિ પણ દયનીય છે, જ્યાં રોજ સેવા-પૂજા કરતા કંચનબેન નામના મહિલા જ્યારે માતાજીના વાઘા બદલાવવા જાય છે ત્યારે ઉપરથી પડતા પાણીને કારણે આખા પલળી જાય છે. ગર્ભગૃહમાં આવેલી ટ્યુબલાઈટો પરથી પણ પાણી ટપકતું હોવાથી ચોવીસ કલાક વીજ કરંટ (શોર્ટ) લાગવાનો ભય રહે છે. ધારાસભ્ય માત્ર 50 લાખ રૂપિયા આપ્યાની વાતો કરે છે, પરંતુ ક્યારેય પ્રત્યક્ષ સ્થિતિ જોવા ડોકાયા પણ નથી. સ્થાનિકોની માત્ર એટલી જ માંગ છે કે, વહેલી તકે આ પૌરાણિક મંદિરનું રિનોવેશન કામ પૂરું કરવામાં આવે. જો આ ધરણાથી ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં તમામ ભાઈઓ અને બહેનો નગરપાલિકા કચેરીએ અચોક્કસ મુદતના ધરણા પર બેસશે. ​શાસકો દર વખતે કામ ચાલુ હોવાના મોટા-મોટા દાવાઓ કરે છે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 10 એ ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના પદાધિકારીઓનો જ હોમ વોર્ડ છે. પોતાના જ વોર્ડમાં આવેલો અતિ પૌરાણિક શીતળા કુંડ છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં પડ્યો છે. મહાનગરપાલિકાના શાસકો દર વખતે કામ ચાલુ હોવાના મોટા-મોટા દાવાઓ કરે છે અને પત્રિકાઓ બહાર પાડીને વાહવાહી લૂંટે છે, પરંતુ હકીકતમાં કોઈ નક્કર કામગીરી થતી નથી. ઉપરથી પાણી પડવાને કારણે ગમે ત્યારે મંદિરના પોપડા ઉખડીને ભક્તો પર પડે એવી ગંભીર સ્થિતિ વચ્ચે મહિલાઓ અને સ્થાનિકો અત્યારે ઉપવાસ આંદોલન અને ધરણા પર બેઠા છે. તમામ કાર્યકરો આ જન આંદોલનને ટેકો જાહેર રાખીને ધરણા ચાલુ રખાવશે ​વિપક્ષી નેતાએ શાસકોની કથની અને કરની પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા હિન્દુત્વ અને પૌરાણિક મંદિરોના જીર્ણોદ્ધારની વાતો કરે છે, પરંતુ તેમના જ વોર્ડના મંદિરોની આ દશા છે. આગામી સમયમાં સાતમ-આઠમ અને શીતળા સાતમનો મોટો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આ કામ તાત્કાલિક શરૂ થવું જોઈએ. ધારાસભ્ય દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત 70-30ની યોજના હેઠળ આ કામ માટે 50 લાખ રૂપિયા મંજૂર કરાયા હોવા છતાં વહીવટી બેદરકારીને કારણે હજુ સુધી પ્રત્યક્ષ કામ શરૂ કરાયું નથી. જ્યાં સુધી શીતળા કુંડ પર પ્રત્યક્ષ જેસીબી મશીન કે કામદારો કામ શરૂ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ, કોર્પોરેટરો અને મીરભાઈ મહેતા સહિતના તમામ કાર્યકરો આ જન આંદોલનને ટેકો જાહેર રાખીને ધરણા ચાલુ રખાવશે. આગામી બેથી ત્રણ દિવસમાં જ ઓફિશિયલ વર્ક ઓર્ડર ઈશ્યુ કરી કામ શરુ કરીશું ​જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે મીડિયા સમક્ષ સત્તાવાર ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે વોર્ડ નંબર 10 ના રહીશો પોતાની રજૂઆત લઈને આવ્યા હતા. આ વોર્ડના ચારેય કોર્પોરેટરો - મનનભાઈ, પરાગભાઈ, ચંદ્રિકાબેન અને તેઓ પોતે - જ્યારથી મનપામાં ચૂંટાઈને આવ્યા છે ત્યારથી જ આ ઐતિહાસિક શીતળા કુંડના પુનઃઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે પોતે આ વિસ્તારની બે થી ત્રણ વખત રૂબરૂ મુલાકાત લીધી છે અને ત્યાં કઈ રીતે વ્યવસ્થિત કામ કરી શકાય તે માટેનો વિસ્તૃત પ્રોજેક્ટ અહેવાલ એટલે કે ડી.પી.આર. પણ તૈયાર કરાવ્યો છે. ​સ્ટેન્ડિંગ ચેરમેને ગ્રાન્ટની ટેકનિકલ વિગતો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, આ શીતળા કુંડનું રિસ્ટોરેશન લોકભાગીદારીની 70, 20 અને 10 ટકાની વિશેષ ગ્રાન્ટ અંતર્ગત જ થવાનું છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગત તારીખ 26/5/26 ના રોજ આ અંગેનો ખાસ ઠરાવ પણ સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યો હતો, જેમાં દરેક વોર્ડના લોકભાગીદારીના વિકાસકામોનો સમાવેશ કરાયો હતો. આ ઠરાવ અન્વયે શીતળા કુંડના ભવ્ય રિસ્ટોરેશન માટે કુલ 50 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. તેમણે ધરણા પર બેસેલા રહીશોને ખાતરી આપી છે કે આગામી શનિવાર સુધીમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવી દેવામાં આવશે અને આગામી બે થી ત્રણ દિવસમાં જ ઓફિશિયલ વર્ક ઓર્ડર ઈશ્યુ કરીને ટૂંક સમયમાં જ જમીન પર રિસ્ટોરેશનની કામગીરી ધામધૂમથી શરૂ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Passport a travel document, not a proof of citizenship: MEA
    Next Article
    ગઢડામાં PMSMAના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી:25 સગર્ભા માતાની નિઃશુલ્ક તપાસ કરી પોષણ કીટનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment