Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછામાં ભારે વરસાદ બાદ ત્રણ જગ્યાએથી તાપીનો પાળો તૂટ્યો:સુરત મનપાએ માત્ર બેરીકેટ લગાવી સંતોષ માન્યો, 50 ફૂટના અંતરે જ ગગનચુંબી બિલ્ડિંગો બને છે

    1 day ago

    સુરત શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે એક જોખમી પરિસ્થિતિ સામે આવી છે. સુરતના ઝડપથી વિકસતા મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના કિનારે સર્જાયેલી સ્થિતિ હાલ સ્થાનિક રહીશો માટે કાળ સમાન સાબિત થઈ રહી છે. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે મોટા વરાછા ખાતે તાપી નદીનો સુરક્ષા પાળો ત્રણ અલગ-અલગ જગ્યાએથી ભયજનક રીતે તૂટી ગયો છે. નદીના ધસમસતા પ્રવાહના કારણે થઈ રહેલા સતત ધોવાણે સ્થાનિક પ્રશાસનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ જોખમી અને સતત ઘસાતા નદીના પાળાથી માત્ર 45થી 50 ફૂટના નજીકના અંતરે જ ગગનચુંબી બિલ્ડિંગો આકાર લઈ રહી છે, જેના કારણે હજારો લોકોના જાનમાલ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. નદીની માટી અને પથ્થરો ધસી પડવાના કારણે કિનારાનું ધોવાણ સુરતમાં 7 અને 8 તારીખે મોસમનો ભારે વરસાદ નોંધાયો હતો. આ વરસાદના કારણે નદીના જળસ્તરમાં અને પ્રવાહની ગતિમાં વધારો થતાં મોટા વરાછા વિસ્તારમાં નદી કિનારે બનાવેલો પ્રોટેક્શન પાળો તૂટી પડ્યો છે. નદીની માટી અને પથ્થરો ધસી પડવાના કારણે કિનારાનું ધોવાણ સતત આગળ વધી રહ્યું છે. આ ધોવાણ એટલું ગંભીર છે કે નદી કિનારે સ્થાનિક નાગરિકો માટે મોર્નિંગ વોક અને સાંજે ફરવા માટે બનાવવામાં આવેલી જાહેર ફૂટપાથ પણ જોતજોતામાં જમીનમાં ધસી પડી છે. સવાર-સાંજ ચાલવા નીકળતા સિનિયર સિટિઝનો અને બાળકો માટે આ જગ્યા હવે મોતના કૂવા સમાન બની ગઈ છે. ગમે ત્યારે કોઈ નિર્દોષ નાગરિક આ ધસી પડેલી ફૂટપાથ પરથી નદીમાં ગરકાવ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. 50 ફૂટના અંતરે જ ગગનચુંબી બિલ્ડિંગો બને છે આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર અને ભયાનક પાસું એ છે કે, જ્યાં નદીનો પાળો તૂટ્યો છે અને જ્યાં સતત જમીન ધસી રહી છે, ત્યાંથી માંડ 45થી 50 ફૂટના અંતરે જ હાઈરાઈઝ ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે. ફ્લેટો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના થઈ રહેલા આ મોટા કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર દરરોજ સેંકડો શ્રમિકો કામ કરે છે અને ભવિષ્યમાં અહીં હજારો પરિવારો રહેવા આવવાના છે. બિલ્ડિંગોના પાયા નબળા પડવાની શકયતા આ ઉપરાંત આસપાસમાં પહેલેથી જ અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી છે. નદી કિનારાની જમીન આટલી હદે પોચી થઈને ધસી રહી હોવા છતાં, આટલી નજીક ગગનચુંબી ઇમારતોને મંજૂરી કેવી રીતે મળી?. જો નદીનું ધોવાણ ચાલુ રહેશે તો આ બિલ્ડિંગોના પાયા નબળા પડી શકે છે અને ભવિષ્યમાં સુરતમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે. સુરત મનપાએ માત્ર બેરીકેટ લગાવી સંતોષ માન્યો પરિસ્થિતિ આટલી હદે વણસી ગઈ હોવા છતાં અને હજારો લોકોના જીવ જોખમમાં હોવા છતાં સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અહીં કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી નથી. નદીના પાળાને રિપેર કરવા કે પથ્થરનું પીચિંગ કરીને ધોવાણ અટકાવવાના બદલે, પાલિકાના અધિકારીઓએ શોર્ટકટ અપનાવ્યો છે. પાલિકાએ તૂટેલા પાળા અને ધસી પડેલી ફૂટપાથની આસપાસ માત્ર 'જોખમી વિસ્તાર'ના બેનરો અને આડસો લગાવીને પોતાના હાથ ઊંચા કરી લીધા છે. તંત્રના આ પ્રકારના બેજવાબદાર વલણથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 'જગન્નાથ પ્રકૃતિ વન'નું નિર્માણ શરૂ:જિલ્લા કલેક્ટરના હસ્તે વૃક્ષારોપણ સાથે શુભારંભ, જગન્નાથજીનું પૂજન કરાયું
    Next Article
    DB REELS :'આ અદાણીના બાપનું ખેતર નથી':'અમારે 2027ની ચૂંટણીમાં ભાજપ નથી જોતી'; સરકાર-ઉદ્યોગપતિ સામે ખેડૂતોનો આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment