Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતા દાગીનાની ખરીદીમાં ઘટાડો:50 ગ્રામ નેકલેસ લેનારા હવે માત્ર બે તોલામાં પતાવે છે પ્રસંગ, કારીગરોની રોજીરોટી બચાવવા રિસાયકલ ગોલ્ડ પર આધાર

    22 hours ago

    વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે સુરતના સુવર્ણ બજાર પર જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફાર કરીને તેને ફરી 15% પર પહોંચાડી દેવામાં આવી છે. અગાઉ બજેટમાં આ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી હતી, પરંતુ બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ફરીથી ડ્યુટીમાં વધારો થતા સોનાના ભાવમાં એકાએક મોટો ઉછાળો આવ્યો છે. આ સ્થિતિને કારણે સુરતના જ્વેલરી માર્કેટમાં ઘરાકીમાં મોટું ગાબડું પડ્યું છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતા ભાવમાં ઉછાળો સુરતના જાણીતા જ્વેલર દીપક ચોકસીએ જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ મચી છે. સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી જે અગાઉ ઘટાડવામાં આવી હતી, તે હવે ફરી વધારીને 15% કરવામાં આવતા સ્થાનિક બજારમાં આજે જ સોનાના ભાવમાં અંદાજે 10% જેટલો તોતિંગ વધારો જોવા મળ્યો છે. માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય ગ્રાહક માટે હવે સોનું ખરીદવું મુશ્કેલ બની ગયું છે. લગ્નસરાની સીઝનમાં જ ઘરાકીમાં 60%નો ઘટાડો અત્યારે લગ્નસરાની સીઝન ચાલી રહી છે, જે સામાન્ય રીતે જ્વેલર્સ માટે સૌથી મહત્વની સીઝન ગણાય છે. પરંતુ દીપક ચોકસીના જણાવ્યા મુજબ, અત્યારે માર્કેટમાં ઘરાકીનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું છે. પહેલાથી જ બજારમાં ખરીદી 40% જેટલી ઓછી હતી, પરંતુ ડ્યુટીમાં વધારો અને યુદ્ધની અનિશ્ચિતતાના કારણે હવે ઘરાકીમાં 55% થી 60% જેટલો ઘટાડો થવાની સંભાવના છે. જે ગ્રાહકોએ લગ્ન માટે ખરીદીનું આયોજન કર્યું હતું, તેઓ પણ હવે મોંઘવારીને જોતા પોતાના બજેટમાં કાપ મૂકી રહ્યા છે. ગ્રાહકોની ખરીદશક્તિમાં મોટો ઘટાડો ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગે સોનાની આપ-લે કરવી એ પરંપરા છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં લોકોની ખરીદશક્તિ પર સીધી અસર પડી છે. દીપક ચોકસીએ એક ઉદાહરણ આપતા કહ્યું કે, "ગયા વર્ષે જે પરિવારો લગ્ન માટે 50 ગ્રામનો નેકલેસ ખરીદતા હતા, તેઓ આ વર્ષે ભાવ વધારાને કારણે માત્ર બે થી અઢી તોલામાં જ પોતાનું કામ પતાવી રહ્યા છે." સોનાની માંગમાં આવેલો આ મોટો ઘટાડો જ્વેલરી ઉદ્યોગ માટે કપરો સમય સૂચવે છે. પ્રધાનમંત્રીની અપીલ અને જ્વેલર્સનો ટેકો દેશની આર્થિક સ્થિતિ અને સોનાની આયાત પરના બોજને ઘટાડવા માટે પ્રધાનમંત્રીએ જે આહ્વાન કર્યું હતું અને ચિંતા વ્યક્ત કરી હતી, તેને સુરતના જ્વેલર્સ ઉદ્યોગે ટેકો આપ્યો છે. દીપક ચોકસીએ જણાવ્યું કે જ્વેલરી માલિકો પ્રધાનમંત્રીની અપીલમાં જોડાયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી લોકોમાં યુદ્ધ અને આર્થિક સમીકરણો અંગે જે જાગૃતિ આવી છે તેના કારણે પણ બિનજરૂરી ખરીદીમાં ઘટાડો થયો છે. ઉદ્યોગપતિઓ માની રહ્યા છે કે દેશના હિતમાં હાલ પૂરતી સોનાની ખરીદી પર સંયમ રાખવો જરૂરી છે. લાખો કારીગરોની રોજીરોટી પર સંકટ સર્જાવાની ભીતિ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું મોટું કેન્દ્ર છે, જ્યાં હજારો કારીગરો રોજીરોટી મેળવે છે. જો ઘરાકીમાં 60% જેટલો ઘટાડો થશે તો આ ઉદ્યોગમાં મોટી મંદી આવવાની શક્યતા છે. જ્યારે વેચાણ ઘટશે ત્યારે કારીગરો પાસે કામ પણ ઓછું થઈ જશે. દીપક ચોકસીએ આશંકા વ્યક્ત કરી છે કે જો પરિસ્થિતિ લાંબો સમય આવી જ રહી તો જ્વેલરી ક્ષેત્રે સંકટ વધી શકે છે. બજારને ટકાવી રાખવા માટે રિસાયકલ ગોલ્ડનો વિકલ્પ આ મંદીના માહોલમાં દીપક ચોકસીએ એક મહત્વનું સૂચન કર્યું છે. જો ગ્રાહકો નવું સોનું ખરીદવાને બદલે ઘરમાં પડેલા જૂના સોનાને રિસાયકલ કરીને નવી જ્વેલરી બનાવડાવશે, તો કારીગરોને સતત કામ મળતું રહેશે. તેમણે જણાવ્યું કે, "અમે કસ્ટમરને સમજાવવાનો પ્રયત્ન કરશું કે તેઓ રિસાયકલ દ્વારા સોનું ફેરવે. આનાથી ગ્રાહક પર આર્થિક બોજ નહીં પડે અને જ્વેલર્સ તેમજ કારીગરોનું કામ પણ ચાલતું રહેશે." આગામી દિવસોમાં સુરતના માર્કેટની દિશા સુરતના જ્વેલરી બજારમાં અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે. વેપારીઓ આશા રાખી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ શાંત પડે અને સોનાના ભાવ સ્થિર થાય. જોકે, વર્તમાન પરિસ્થિતિ મુજબ તો મંદીનો માહોલ હજુ થોડા સમય સુધી જળવાઈ રહે તેવું લાગે છે. ડ્યુટી વધારાના કારણે ગ્રાહકોમાં પણ થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ડિજિટલ દુનિયાના ગુનેગારો સાવધાન!:મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ધરપકડ’નું પાવરફુલ ટાઈટલ ટ્રેક ‘છળકપટની ધરપકડ’ રિલીઝ
    Next Article
    હિંમતનગરમાં પાલિકાએ 20થી વધુ દબાણ હટાવ્યા:ગણપતિ મંદિરથી ટીપી રોડ પર કાર્યવાહી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment