Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણાના ટોડિયામાં શ્વાનોએ 50 ઘેટાં-બકરાંનો શિકાર કર્યો:પશુપાલક પરિવાર પર આર્થિક સંકટ, સહાયની માંગ ઉઠી

    18 घंटे पहले

    કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાં શ્વાનોના હુમલાની એક ગંભીર અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં પશુપાલન કરી જીવનનિર્વાહ ચલાવતા મુબારક ઈસા પિંજારા નામના પશુપાલકના વાડામાં શ્વાનો ઘૂસી આવ્યા હતા. આ હુમલામાં અંદાજે 50 જેટલા ઘેટાં-બકરાંના મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ છે. પશુપાલકની ગેરહાજરીમાં શ્વાનોએ વાડામાં પૂરાયેલા પશુઓનો શિકાર કર્યો પશુપાલક મુબારક પિંજારા પોતાના પશુપાલનના વ્યવસાય દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટના બની તે સમયે તેઓ જરૂરી દવા લેવા માટે ઘરેથી બહાર ગયા હતા. તેમની ગેરહાજરીમાં વાડામાં ઘૂસેલા શ્વાનોએ ત્યાં બંધાયેલા ઘેટાં-બકરાં પર હુમલો કરી દીધો હતો. વાડામાં પૂરાયેલા હોવાને કારણે પશુઓને બચવાની કોઈ તક મળી ન હતી. પરત ફરતાં વાડામાં મૃત પશુઓનો અંબાર દેખાયો, મોટા આર્થિક નુકસાનની ભીતિ જ્યારે મુબારક પિંજારા ઘરે પરત ફર્યા ત્યારે તેમણે વાડામાં મોટા પ્રમાણમાં ઘેટાં-બકરાંને મૃત હાલતમાં જોયા હતા. પ્રાથમિક અંદાજ અનુસાર આ હુમલામાં લગભગ ૫૦ ઘેટાં-બકરાંના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક પશુઓ ઈજાગ્રસ્ત થયા છે. સંપૂર્ણપણે પશુપાલન પર નિર્ભર આ પરિવાર માટે એકસાથે આટલા પશુઓ ગુમાવવાથી આવક અને રોજગારી પર ગંભીર અસર પડી છે. રખડતાં શ્વાનો સામે કાર્યવાહી અને સરકારી વળતર આપવા ગ્રામજનોની માંગ આ અરેરાટીભરી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. સ્થાનિકોએ ગામમાં રખડતા શ્વાનોના ત્રાસ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે. આ સાથે જ આર્થિક સંકટમાં મુકાયેલા પશુપાલક પરિવારને તાત્કાલિક ધોરણે સર્વેક્ષણ હાથ ધરીને યોગ્ય સરકારી સહાય અને વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરના ખાયડી ગામે જુગાર રમતા 5 ઝડપાયા:પોલીસે તીનપત્તીનો જુગાર ઝડપી રૂપિયા 14,700 રોકડા જપ્ત કર્યા
    Next Article
    સિવિલ હોસ્પિટલની છબી સુધારવા પ્રયાસ:રાજકોટનાં નવનિયુક્ત અધિક્ષક ઓચિંતા સાયકલ લઈ રાઉન્ડમાં નિકળ્યાં, ઓનડ્યુટી તબીબો નીંદર માણતા ઝડપાયા, ગેરહાજર સ્ટાફને શિસ્તમાં રહેવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment