Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ કોંગ્રેસ સ્થાનિક ચૂંટણી માટે સક્રિય:50% યુવાનોને ટિકિટ, 15મીએ કાર્યાલય લોકાર્પણ, બેઠકો શરૂ

    10 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના નવા સંગઠન માળખાની રચના પછી સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તાલુકા અને શહેર કક્ષાએ પાર્ટીને મજબૂત કરવા કોંગ્રેસ કાર્યકર્તાઓ સક્રિય બન્યા છે. આ સંદર્ભે, સુત્રાપાડા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા હોદ્દેદારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આગામી દિવસોમાં પાર્ટી સંગઠનને ગામ અને વોર્ડ સ્તરે વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અત્યારથી જ વ્યૂહરચના ઘડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આગામી 15મી તારીખે જિલ્લા કક્ષાના કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડા તેમજ વિપક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ હાજરી આપશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તાલુકા અને જિલ્લા કક્ષાએ ચૂંટણી સમિતિઓની રચના તેમજ બેઠકોનું આયોજન પણ શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ઉમેદવારો જીતવાની ક્ષમતા ધરાવતા હોય, સ્થાનિક સ્તરે લોકપ્રિયતા ધરાવતા હોય અને સ્વચ્છ છબી ધરાવતા હોય, તેવા ઉમેદવારોને જ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. આ વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50 ટકા ટિકિટ યુવા વર્ગને આપવામાં આવશે. યુવાનોને રાજકારણમાં આગળ લાવવા અને નવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. આમ, ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં સક્રિય રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026માં ધોની આખી સીઝન રમશે:CSK CEOએ કહ્યું- તેની ભૂમિકા પર નિર્ણય કોચિંગ સ્ટાફ કરશે, ટ્રેનિંગ શરૂ કરી
    Next Article
    સાંતલપુરના બામરોલીમાં બોગસ ડોક્ટર ઝડપાયો:ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં શખ્સ પાસેથી SOGએ 33 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment